Reliance Industryએ શેર ધારકોને આપી ભેટ, લાયક શેરધારકોના ડીમેટ ખાતામાં જમા થયા JFSLના શેર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-13 19:12:02

આવનાર દિવસોમાં Jio Financial Service (JFSL)નું લિસ્ટિંગ થવાનું છે. હજી સુધી તારીખ જાહેર નથી થઈ પરંતુ તે પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ પોતાના નિવેશકોને ભેટ આપી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તે રોકાણકારોના ડીમેટ ખાતામાં ગુરુવારે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના શેર જમા કરવામાં આવ્યા છે જેઓ તેના માટે પાત્ર હતા. Jio Financial ના શેર 20 જુલાઈ, 2023 સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ધરાવતા કોઈપણ રોકાણકારના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવ્યા છે.



રિલાયન્સની સમાન સંખ્યામાં JFSLના શેર ફાળવવામાં આવ્યા છે  

જેમના ડિમેટ ખાતામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર હશે તેમને કંપની તરફથી એક પ્રકારની ભેટ આપવામાં આવી છે. 20 જુલાઈ 2023 ડિમેટ અકાઉન્ટમાં જેટલા શેર હતા તે પ્રમાણે તેમને Jio Financial Service (JFSL)ફાળવવામાં આવ્યા છે. જેટલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જેટલા શેર હતા, તેમને JFSLના સમાન સંખ્યામાં શેર શેરધારકોને ફાળવવામાં આવ્યા છે. JFSLનો સ્ટોક સ્પેશિયલ ટ્રેડિંગમાં રૂ. 273 પર સેટલ થયો હતો. જ્યારે BSE પર ભાવ રૂ. 261.85 પર સ્થિર થયો હતો. Jio Financial ના શેર ખરીદનારા રોકાણકારો હવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. જ્યાં સુધી સ્વતંત્ર રીતે સ્ટોકનું લિસ્ટિંગ નહીં થાય ત્યાં સુધી ભાવ સ્થિર રહેશે. 



આ રહેશે શેરના ભાવ 

ભલે હાલ શેર ટ્રેડરના ખાતામાં આવી ગયા છે પરંતુ શેરનું ટ્રેડિંગ જ્યારે લિસ્ટિંગ થઈ જાય તે બાદ પણ થશે જેવી જાણકારી આપવામાં આવી છે. હાલ ટ્રેડિંગ કરી શકાશે નહીં. જ્યારે કંપનીનું લિસ્ટિંગ થશે તે બાદ જ ટ્રડિંગ કરાશે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર 28 ઓગસ્ટ 2023ની આસપાસ કંપનીનું લિસ્ટિંગ થઈ શકે છે. રૂ. 273 પર Jio Finનો સ્ટોક સ્પેશિયલ ટ્રેડિંગમાં સેટલ થયો હતો. જ્યારે BSE પર રૂ. 261.85ના ભાવે સેટલ થયો હતો. રોકાણકારો હવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે.    



JFSL 32મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ!

જો Jio Financial Servicesનું માર્કેટ કેપની વાત કરીએ તો  રૂ. 1,66,000 કરોડ એટલે કે 20 અબજ ડોલરથી વધુ હશે. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોવા જઈએ તો Jio Financial Services દેશની 32મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. મહત્વનું છે કે HDFC લાઇફ અને બજાજ ઓટોનું માર્કેટ કેપ પણ Jio ફાઇનાન્શિયલ સર્વિસિસ કરતા ઓછું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ થયેલી ફાઇનાન્શિયલ કંપની Jio ફાઇનાન્સિયલ સર્વિસિસના શેરનું મૂલ્ય 261.85 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.