Reliance Industryએ શેર ધારકોને આપી ભેટ, લાયક શેરધારકોના ડીમેટ ખાતામાં જમા થયા JFSLના શેર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-13 19:12:02

આવનાર દિવસોમાં Jio Financial Service (JFSL)નું લિસ્ટિંગ થવાનું છે. હજી સુધી તારીખ જાહેર નથી થઈ પરંતુ તે પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ પોતાના નિવેશકોને ભેટ આપી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તે રોકાણકારોના ડીમેટ ખાતામાં ગુરુવારે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના શેર જમા કરવામાં આવ્યા છે જેઓ તેના માટે પાત્ર હતા. Jio Financial ના શેર 20 જુલાઈ, 2023 સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ધરાવતા કોઈપણ રોકાણકારના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવ્યા છે.



રિલાયન્સની સમાન સંખ્યામાં JFSLના શેર ફાળવવામાં આવ્યા છે  

જેમના ડિમેટ ખાતામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર હશે તેમને કંપની તરફથી એક પ્રકારની ભેટ આપવામાં આવી છે. 20 જુલાઈ 2023 ડિમેટ અકાઉન્ટમાં જેટલા શેર હતા તે પ્રમાણે તેમને Jio Financial Service (JFSL)ફાળવવામાં આવ્યા છે. જેટલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જેટલા શેર હતા, તેમને JFSLના સમાન સંખ્યામાં શેર શેરધારકોને ફાળવવામાં આવ્યા છે. JFSLનો સ્ટોક સ્પેશિયલ ટ્રેડિંગમાં રૂ. 273 પર સેટલ થયો હતો. જ્યારે BSE પર ભાવ રૂ. 261.85 પર સ્થિર થયો હતો. Jio Financial ના શેર ખરીદનારા રોકાણકારો હવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. જ્યાં સુધી સ્વતંત્ર રીતે સ્ટોકનું લિસ્ટિંગ નહીં થાય ત્યાં સુધી ભાવ સ્થિર રહેશે. 



આ રહેશે શેરના ભાવ 

ભલે હાલ શેર ટ્રેડરના ખાતામાં આવી ગયા છે પરંતુ શેરનું ટ્રેડિંગ જ્યારે લિસ્ટિંગ થઈ જાય તે બાદ પણ થશે જેવી જાણકારી આપવામાં આવી છે. હાલ ટ્રેડિંગ કરી શકાશે નહીં. જ્યારે કંપનીનું લિસ્ટિંગ થશે તે બાદ જ ટ્રડિંગ કરાશે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર 28 ઓગસ્ટ 2023ની આસપાસ કંપનીનું લિસ્ટિંગ થઈ શકે છે. રૂ. 273 પર Jio Finનો સ્ટોક સ્પેશિયલ ટ્રેડિંગમાં સેટલ થયો હતો. જ્યારે BSE પર રૂ. 261.85ના ભાવે સેટલ થયો હતો. રોકાણકારો હવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે.    



JFSL 32મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ!

જો Jio Financial Servicesનું માર્કેટ કેપની વાત કરીએ તો  રૂ. 1,66,000 કરોડ એટલે કે 20 અબજ ડોલરથી વધુ હશે. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોવા જઈએ તો Jio Financial Services દેશની 32મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. મહત્વનું છે કે HDFC લાઇફ અને બજાજ ઓટોનું માર્કેટ કેપ પણ Jio ફાઇનાન્શિયલ સર્વિસિસ કરતા ઓછું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ થયેલી ફાઇનાન્શિયલ કંપની Jio ફાઇનાન્સિયલ સર્વિસિસના શેરનું મૂલ્ય 261.85 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.