Reliance Industryએ શેર ધારકોને આપી ભેટ, લાયક શેરધારકોના ડીમેટ ખાતામાં જમા થયા JFSLના શેર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-13 19:12:02

આવનાર દિવસોમાં Jio Financial Service (JFSL)નું લિસ્ટિંગ થવાનું છે. હજી સુધી તારીખ જાહેર નથી થઈ પરંતુ તે પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ પોતાના નિવેશકોને ભેટ આપી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તે રોકાણકારોના ડીમેટ ખાતામાં ગુરુવારે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના શેર જમા કરવામાં આવ્યા છે જેઓ તેના માટે પાત્ર હતા. Jio Financial ના શેર 20 જુલાઈ, 2023 સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ધરાવતા કોઈપણ રોકાણકારના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવ્યા છે.



રિલાયન્સની સમાન સંખ્યામાં JFSLના શેર ફાળવવામાં આવ્યા છે  

જેમના ડિમેટ ખાતામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર હશે તેમને કંપની તરફથી એક પ્રકારની ભેટ આપવામાં આવી છે. 20 જુલાઈ 2023 ડિમેટ અકાઉન્ટમાં જેટલા શેર હતા તે પ્રમાણે તેમને Jio Financial Service (JFSL)ફાળવવામાં આવ્યા છે. જેટલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જેટલા શેર હતા, તેમને JFSLના સમાન સંખ્યામાં શેર શેરધારકોને ફાળવવામાં આવ્યા છે. JFSLનો સ્ટોક સ્પેશિયલ ટ્રેડિંગમાં રૂ. 273 પર સેટલ થયો હતો. જ્યારે BSE પર ભાવ રૂ. 261.85 પર સ્થિર થયો હતો. Jio Financial ના શેર ખરીદનારા રોકાણકારો હવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. જ્યાં સુધી સ્વતંત્ર રીતે સ્ટોકનું લિસ્ટિંગ નહીં થાય ત્યાં સુધી ભાવ સ્થિર રહેશે. 



આ રહેશે શેરના ભાવ 

ભલે હાલ શેર ટ્રેડરના ખાતામાં આવી ગયા છે પરંતુ શેરનું ટ્રેડિંગ જ્યારે લિસ્ટિંગ થઈ જાય તે બાદ પણ થશે જેવી જાણકારી આપવામાં આવી છે. હાલ ટ્રેડિંગ કરી શકાશે નહીં. જ્યારે કંપનીનું લિસ્ટિંગ થશે તે બાદ જ ટ્રડિંગ કરાશે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર 28 ઓગસ્ટ 2023ની આસપાસ કંપનીનું લિસ્ટિંગ થઈ શકે છે. રૂ. 273 પર Jio Finનો સ્ટોક સ્પેશિયલ ટ્રેડિંગમાં સેટલ થયો હતો. જ્યારે BSE પર રૂ. 261.85ના ભાવે સેટલ થયો હતો. રોકાણકારો હવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે.    



JFSL 32મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ!

જો Jio Financial Servicesનું માર્કેટ કેપની વાત કરીએ તો  રૂ. 1,66,000 કરોડ એટલે કે 20 અબજ ડોલરથી વધુ હશે. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોવા જઈએ તો Jio Financial Services દેશની 32મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. મહત્વનું છે કે HDFC લાઇફ અને બજાજ ઓટોનું માર્કેટ કેપ પણ Jio ફાઇનાન્શિયલ સર્વિસિસ કરતા ઓછું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ થયેલી ફાઇનાન્શિયલ કંપની Jio ફાઇનાન્સિયલ સર્વિસિસના શેરનું મૂલ્ય 261.85 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .