Unseasonal Rainથી મળશે રાહત! આગામી દિવસોમાં Gujaratમાં થશે કડકડતી ઠંડીનો અહેસાસ, જાણો હવામાન વિભાગની આગાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-01 09:55:14

હાલ ભલે શિયાળાની મૌસમ ચાલી રહી છે પરંતુ આગાહી વરસાદને લઈ કરવામાં આવી રહી છે. રવિવારે તેમજ સોમવારે જગતના તાતને કુદરતનો માર સહન કરવો પડ્યો હતો. ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસમાં વરસાદની શક્યતા નહિંવત છે. મહત્વનું છે કે રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. 

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

ઠંડીનો અનુભવ કરવા રહેવું પડશે તૈયાર! 

શિયાળામાં ઠંડક કેટલી હશે તે અંગેના સમાચાર નથી આવતા પરંતુ કમોસમી વરસાદ ક્યાં આવશે તેના સમાચારો આવી રહ્યા છે. માવઠાને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત છે. થોડા દિવસ પૂર્વે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની અસર થઈ હતી. ભલે વરસાદની સંભાવના નથી પરંતુ ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

Cold Wave Start In Gujarat On Today | ગુજરાતમાં કાતિલ ઠંડી: સૌથી વધુ ઠંડી  કઈ જગ્યાએ છે? માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

ડો. મનોરમા મોહન્તીએ કહ્યું કે, ગુજરાતમાં પાંચ દિવસના હવામાનમાં કોઇ મોટો ફેરફર થવાનો નથી. તેમણે કહ્યુ કે, 'હાલ જે વરસાદ થયો હતો જેના કારણે ભેજ છે એટલે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું, ડીસાનું તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું જ્યારે સુરતમાં તાપમાન 19.6 ડિગ્રી નોંધાયું છે. કંડલાનું તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે. કેશોદનો પારો 15.9 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું છે.  



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..