Unseasonal Rainથી મળશે રાહત! આગામી દિવસોમાં Gujaratમાં થશે કડકડતી ઠંડીનો અહેસાસ, જાણો હવામાન વિભાગની આગાહી


  • Published By :
  • Published Date : 2023-12-01 09:55:14

હાલ ભલે શિયાળાની મૌસમ ચાલી રહી છે પરંતુ આગાહી વરસાદને લઈ કરવામાં આવી રહી છે. રવિવારે તેમજ સોમવારે જગતના તાતને કુદરતનો માર સહન કરવો પડ્યો હતો. ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસમાં વરસાદની શક્યતા નહિંવત છે. મહત્વનું છે કે રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. 

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

ઠંડીનો અનુભવ કરવા રહેવું પડશે તૈયાર! 

શિયાળામાં ઠંડક કેટલી હશે તે અંગેના સમાચાર નથી આવતા પરંતુ કમોસમી વરસાદ ક્યાં આવશે તેના સમાચારો આવી રહ્યા છે. માવઠાને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત છે. થોડા દિવસ પૂર્વે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની અસર થઈ હતી. ભલે વરસાદની સંભાવના નથી પરંતુ ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

Cold Wave Start In Gujarat On Today | ગુજરાતમાં કાતિલ ઠંડી: સૌથી વધુ ઠંડી  કઈ જગ્યાએ છે? માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

ડો. મનોરમા મોહન્તીએ કહ્યું કે, ગુજરાતમાં પાંચ દિવસના હવામાનમાં કોઇ મોટો ફેરફર થવાનો નથી. તેમણે કહ્યુ કે, 'હાલ જે વરસાદ થયો હતો જેના કારણે ભેજ છે એટલે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું, ડીસાનું તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું જ્યારે સુરતમાં તાપમાન 19.6 ડિગ્રી નોંધાયું છે. કંડલાનું તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે. કેશોદનો પારો 15.9 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી