Unseasonal Rainથી મળશે રાહત! આગામી દિવસોમાં Gujaratમાં થશે કડકડતી ઠંડીનો અહેસાસ, જાણો હવામાન વિભાગની આગાહી


  • Published By :
  • Published Date : 2023-12-01 09:55:14

હાલ ભલે શિયાળાની મૌસમ ચાલી રહી છે પરંતુ આગાહી વરસાદને લઈ કરવામાં આવી રહી છે. રવિવારે તેમજ સોમવારે જગતના તાતને કુદરતનો માર સહન કરવો પડ્યો હતો. ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસમાં વરસાદની શક્યતા નહિંવત છે. મહત્વનું છે કે રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. 

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

ઠંડીનો અનુભવ કરવા રહેવું પડશે તૈયાર! 

શિયાળામાં ઠંડક કેટલી હશે તે અંગેના સમાચાર નથી આવતા પરંતુ કમોસમી વરસાદ ક્યાં આવશે તેના સમાચારો આવી રહ્યા છે. માવઠાને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત છે. થોડા દિવસ પૂર્વે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની અસર થઈ હતી. ભલે વરસાદની સંભાવના નથી પરંતુ ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

Cold Wave Start In Gujarat On Today | ગુજરાતમાં કાતિલ ઠંડી: સૌથી વધુ ઠંડી  કઈ જગ્યાએ છે? માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

ડો. મનોરમા મોહન્તીએ કહ્યું કે, ગુજરાતમાં પાંચ દિવસના હવામાનમાં કોઇ મોટો ફેરફર થવાનો નથી. તેમણે કહ્યુ કે, 'હાલ જે વરસાદ થયો હતો જેના કારણે ભેજ છે એટલે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું, ડીસાનું તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું જ્યારે સુરતમાં તાપમાન 19.6 ડિગ્રી નોંધાયું છે. કંડલાનું તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે. કેશોદનો પારો 15.9 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.