લોકસભા ચૂંટણી પહેલા AAP માટે રાહતના સમાચાર! દારૂ પોલિસી કેસમાં સંજય સિંહને જામીન મળ્યા છે, આટલા સમયથી હતા જેલમાં!


  • Published By :
  • Published Date : 2024-04-02 15:54:53

આમ આદમી પાર્ટીને લોકસભા પહેલા એક મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહને  જામીન આપી દીધા છે. કથિત દારૂ કૌભાંડ મામલે તેમની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 6 મહિનાથી તેઓ જેલમાં હતા પરંતુ આજે તેમને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. મોડી રાત સુધીમાં અથવા કાલે સવાર સુધીમાં તેમની જેલમુક્તિ થઈ શકે છે. આજે ઈડીએ તેમના જામીન પર વિરોધ પ્રદર્શિત ના કર્યો હતો.

       

સુપ્રીમ કોર્ટે સંજયસિંહના જામીન કર્યા મંજૂર 

ઈડીએ આમ આદમી પાર્ટી સુપ્રીમો અને દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. કોર્ટ સમક્ષ અરવિંદ કેજરીવાલને રજૂ કરવામાં આવ્યા હતા. અને અરવિંદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા મોટી રાહત મળી છે. આમ આદમી પાર્ટીના સંજય સિંહને ૬ મહિના પછી સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળી ગયા છે. વાત કરીએ સંજય સિંહની તો તેમની દિલ્હીના કથિત લિકર એક્સસાઈઝ પોલિસી  કૌભાંડ અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓક્ટોબર ૨૦૨૩ના રોજ તમની ધરપકડ થઈ હતી. 6 મહિનાથી તેઓ જેલમાં હતા. ત્યારે આજે તેમના જામીનને સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે. 


અરવિંદ કેજરીવાલની પણ ઈડીએ કરી ધરપકડ 

2024ના લોકસભાનું ઇલેકશનનું પ્રથમ ચરણનું વોટિંગ ૧૯ એપ્રિલે ચાલુ થશે ત્યારે એ પેહલા આમ આદમી પાર્ટીને આ ખુબ મોટી રાહત મળી છે . આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ જેલમાં છે. વાત કરીએ સત્યેન્દ્ર જૈનની તો તે મે ૨૦૨૨થી જેલમાં છે. મનીષ સીસોદીયા ફેબ્રુઆરી ૨૦૨૩થી, આપના કૉમ્યૂનિકેશન ઈન ચાર્જ વિજય નાયર નવેમ્બર ૨૦૨૨થી જેલમાં છે. મહત્વનું છે કે  આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે. અગાઉ અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યા છે કે કેન્દ્રીય એજન્સીઓ એ આખી આમ આદમી પાર્ટીને ખતમ કરી નાખવા માંગે છે.


સંજયસિંહ રહ્યા છે અરવિંદ કેજરીવાલના સહયોગી 

વાત કરીએ સંજયસિંહની તો તેઓ ૨૦૧૮ થી દિલ્હીથી રાજ્યસભામાં સાંસદ છે . તેમની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી . તેઓ આમ આદમી પાર્ટીના પ્રવકતા અને ઉત્તર પ્રદેશ, ઓડિશા, રાજસ્થાનના પ્રભારી છે . તેઓ અરવિંદ કેજરીવાલના ખુબ જુના સહયોગી છે , ૨૦૦૬ માં RTI માટેનું આંદોલન થયું ઉપરાંત ૨૦૧૧ના એન્ટી કરપ્શન મોવેમેન્ટમાં કેજરીવાલના સહયોગી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીને આજે મોટી રાહત મળી છે.    



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.