લોકસભા ચૂંટણી પહેલા AAP માટે રાહતના સમાચાર! દારૂ પોલિસી કેસમાં સંજય સિંહને જામીન મળ્યા છે, આટલા સમયથી હતા જેલમાં!


  • Published By :
  • Published Date : 2024-04-02 15:54:53

આમ આદમી પાર્ટીને લોકસભા પહેલા એક મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહને  જામીન આપી દીધા છે. કથિત દારૂ કૌભાંડ મામલે તેમની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 6 મહિનાથી તેઓ જેલમાં હતા પરંતુ આજે તેમને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. મોડી રાત સુધીમાં અથવા કાલે સવાર સુધીમાં તેમની જેલમુક્તિ થઈ શકે છે. આજે ઈડીએ તેમના જામીન પર વિરોધ પ્રદર્શિત ના કર્યો હતો.

       

સુપ્રીમ કોર્ટે સંજયસિંહના જામીન કર્યા મંજૂર 

ઈડીએ આમ આદમી પાર્ટી સુપ્રીમો અને દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. કોર્ટ સમક્ષ અરવિંદ કેજરીવાલને રજૂ કરવામાં આવ્યા હતા. અને અરવિંદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા મોટી રાહત મળી છે. આમ આદમી પાર્ટીના સંજય સિંહને ૬ મહિના પછી સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળી ગયા છે. વાત કરીએ સંજય સિંહની તો તેમની દિલ્હીના કથિત લિકર એક્સસાઈઝ પોલિસી  કૌભાંડ અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓક્ટોબર ૨૦૨૩ના રોજ તમની ધરપકડ થઈ હતી. 6 મહિનાથી તેઓ જેલમાં હતા. ત્યારે આજે તેમના જામીનને સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે. 


અરવિંદ કેજરીવાલની પણ ઈડીએ કરી ધરપકડ 

2024ના લોકસભાનું ઇલેકશનનું પ્રથમ ચરણનું વોટિંગ ૧૯ એપ્રિલે ચાલુ થશે ત્યારે એ પેહલા આમ આદમી પાર્ટીને આ ખુબ મોટી રાહત મળી છે . આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ જેલમાં છે. વાત કરીએ સત્યેન્દ્ર જૈનની તો તે મે ૨૦૨૨થી જેલમાં છે. મનીષ સીસોદીયા ફેબ્રુઆરી ૨૦૨૩થી, આપના કૉમ્યૂનિકેશન ઈન ચાર્જ વિજય નાયર નવેમ્બર ૨૦૨૨થી જેલમાં છે. મહત્વનું છે કે  આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે. અગાઉ અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યા છે કે કેન્દ્રીય એજન્સીઓ એ આખી આમ આદમી પાર્ટીને ખતમ કરી નાખવા માંગે છે.


સંજયસિંહ રહ્યા છે અરવિંદ કેજરીવાલના સહયોગી 

વાત કરીએ સંજયસિંહની તો તેઓ ૨૦૧૮ થી દિલ્હીથી રાજ્યસભામાં સાંસદ છે . તેમની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી . તેઓ આમ આદમી પાર્ટીના પ્રવકતા અને ઉત્તર પ્રદેશ, ઓડિશા, રાજસ્થાનના પ્રભારી છે . તેઓ અરવિંદ કેજરીવાલના ખુબ જુના સહયોગી છે , ૨૦૦૬ માં RTI માટેનું આંદોલન થયું ઉપરાંત ૨૦૧૧ના એન્ટી કરપ્શન મોવેમેન્ટમાં કેજરીવાલના સહયોગી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીને આજે મોટી રાહત મળી છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.