મિત્રને મળવા જવાનું કહીને છોકરો ઘરેથી 5 વાર બહાર જતો, માબાપે તપાસ કરાવી તો ખબર પડી નમાઝ પઢવા જાય છે!


  • Published By :
  • Published Date : 2023-06-08 12:29:35

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદની આ ઘટના છે જેમાં એક સગીર વયનો બાળક ઘરેથી 5 વખત બહાર નીકળતો હતો. પહેલા તો પરિવારે ધ્યાન ન આપ્યું, પરંતુ આ ઘટના દરરોજ બનવા લાગી તો માબાપે સવાલો કર્યા. જેના જવાબમાં બાળકે કહ્યું કે તે જીમ જઇ રહ્યો છે. જો કે બાળકના કોઇ સંબંધીએ તેને મસ્જિદમાં જતો જોયો અને ઘરે જાણ કરી. અને આખી ઘટનામાં ખુલાસો થયો કે આ બાળક ઘરેથી 5 વાર જીમનું બહાનું કરીને મસ્જિદ જતો હતો નમાઝ પઢવા માટે.

છોકરાના પરિવારજનોએ તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી જેમાં જાણવા મળ્યું કે ઓનલાઇન ધર્મપરિવર્તનના એક સુવ્યવસ્થિત કાવતરાનો આ બાળક ભોગ બન્યો છે. પોલીસે બાળકની પૂછપરછ કરી જેમાં સામે આવ્યું કે તેણે વર્ષો પહેલા એક ગેમિંગ એપ ડાઉનલોડ કરી હતી. અને એપથી તે શાહનવાઝ નામના ઓનલાઇન ગેમરના સંપર્કમાં હતો.  અને ઓનલાઇન ગેમ રમતા રમતા તેની સાથે ચેટિંગ પણ કરતો હતો.

ગેમમાં જે સાથી પ્લેયર હોય તેની સાથે ગેમ રમવા ઉપરાંત વીડિયો ચેટિંગની પણ સગવડ  હોય છે.  આ એપમાં આ બાળક સાથે જે લોકો રમતા હતા તેમના આઇડી હિંદું નામથી હતા જેથી કોઇને શંકા ન જાય..આ એપનું નામ છે fortnite.. આ ગેમમાં શાહનવાઝ પહેલા પોતે ગેમ જીતતો અને ગેમમાં હારવાથી જે બાળકો હતાશ થયા હોય તેમને વાત કરીને કહેતો કે ગેમ જીતવી હોય તો હું જે લાઇન્સ  મોકલી આપું છું એ વાંચો અને આ રીતે તે  કુરાનની આયાતો મોકલતો..ધીમે ધીમે તે કુરાન અને ઇસ્લામ વિશે આ બાળકોને પ્રવચન આપવા લાગ્યો તેમનું બ્રેઇનવોશ કરવા લાગ્યો. તેમને કુરાનની વાર્તાઓ કહેતો અને આ એક દરરોજનું રૂટિન હતું. જેમાં બાળકો હોંશે હોંશે ભાગ લેતા અને પોતાની જીંદગીની ખૂબ પર્સનલ બાબતો શેર પણ કરતા.

કુમળી વયે જ્યારે દુનિયાની અને ઘટનાઓની વધુ સમજ  ન હોય ત્યારે દરેક બાળકને કોઇ બહારના એક વ્યક્તિ સાથે એક પ્રકારનું એટેચમેન્ટ થઇ જતું હોય છે. ખાસ કરીને ટીનએજના વર્ષોમાં મોટાભાગના બાળકો તેમના માતાપિતા સાથે એક પ્રકારનું ઘર્ષણ અનુભવતા હોય છે. તેમને એમ થાય છે કે કોઇ તેમને સમજતું નથી. આવી પરિસ્થિતિમાં તેમને બહારની દુનિયાનો મોહ, બહારનું આકર્ષણ વધારે હોય છે. અને આ જ એવી નાજુક પરિસ્થિતિ હોય છે જેમાં તેઓ ખરાબ સંગતના રવાડે ચડી જતા હોય છે. શાહનવાઝ બાળકોનું બ્રેઇનવોશ થાય એ માટે તેમને ઝાકિર નાઇકના વીડિયો દેખાડતો. તારિક જમીલના વીડિયો દેખાડતો. આ રીતે ચંદીગઢ , હરિયાણા અને યુપીના અંદાજે 4 બાળકોએ ઇસ્લામ અપનાવ્યો હોવાની ઘટનાઓ બની છે.

ગાઝિયાબાદના જે બાળકની માબાપે પોલીસમાં ફરિયાદ કરી હતી તેને સમજાવીને પોલીસે પાછો વાળ્યો છે.  પોલીસ સહિત હવે કેન્દ્ર સરકારની એજન્સીઓ ગાઝિયાબાદમાં પહોંચ્યા છે અને આ આખી ઘટનાની તપાસ  કરી રહ્યા છે.  અને આ તપાસમાં હવે આ આખા કાંડનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. પાકિસ્તાનથી એક શખ્સ યુટ્યુબ ચેનલ ઓપરેટ કરતો હતો અને ઓનલાઇન ગેમની લિંક મુકીને પછી બાળકોને ગેમ રમવાનું આમંત્રણ આપતો હતો. આખી ઘટનામાં સમજવાનું એમ છે કે બાળકો જ્યારે ઇન્ટરનેટ પર કંઇક જોતા હોય ત્યારે તેઓ શું જુએ છે તેનું ધ્યાન રાખવાની જવાબદારી માબાપની છે. મોબાઇલ  એપમાં ચાઇલ્ડ લોક લગાવી દેવાથી કામ પૂરું નથી થઇ જતું. બાળકો જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે કોને મળે છે. કોની સાથે કઇ ચીજવસ્તુની આપ લે કરે છે, તેની દરેક સામાન્ય લાગતી વર્તણુંક પર નજર  રાખવી જરૂરી છે.  કારણકે આ વર્તણુંકમાં જ સંકેતો હોય છે જેનાથી તેમને ખોટી દિશામાં જતા રોકી શકાય છે.

આનો અર્થ એવો પણ નથી કે બાળક પર સતત પહેરો રાખવો, કડક વાતાવરણ કરી નાખવું કે જેમાં તેનો શ્વાસરૂંધાવા લાગે, પણ તેને વધુને વધુ સમજવાનો પ્રયાસ કરવો તેને પ્રેમથી પાસે બેસાડીને પૂછવું.  તેના મિત્રો સાથે પણ સારો વ્યવહાર રાખી તેને એક સુરક્ષિત વાતાવરણ આપવું. એવા પ્રકારનું વાતાવરણ કે જેમાં તેને કોઇ જજમેન્ટ કે કોઇ સજાની બીક ન હોય. બાળક જ્યારે વાતો શેર કરે તો તેને વઢામણ કે બૂમાબૂમ ન મળે પરંતુ સ્નેહભર્યા જવાબો મળે તેને એક પ્રકારનો વિશ્વાસ હોય કે મારે મારી મમ્મીને અથવા પપ્પાને વાત કરવી જરૂરી છે. જે ઘરમાં માતાપિતા અને બાળક વચ્ચે આ પ્રકારનો સંવાદ રૂટિનમાં થતો રહેશે એ ઘરમાં ક્યારેય પણ કોઇ બાળક ખોટી ગતિવિધિઓમાં નહિ પડે.. અને તેઓ સલામત રહેશે...



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.