મિત્રને મળવા જવાનું કહીને છોકરો ઘરેથી 5 વાર બહાર જતો, માબાપે તપાસ કરાવી તો ખબર પડી નમાઝ પઢવા જાય છે!


  • Published By :
  • Published Date : 2023-06-08 12:29:35

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદની આ ઘટના છે જેમાં એક સગીર વયનો બાળક ઘરેથી 5 વખત બહાર નીકળતો હતો. પહેલા તો પરિવારે ધ્યાન ન આપ્યું, પરંતુ આ ઘટના દરરોજ બનવા લાગી તો માબાપે સવાલો કર્યા. જેના જવાબમાં બાળકે કહ્યું કે તે જીમ જઇ રહ્યો છે. જો કે બાળકના કોઇ સંબંધીએ તેને મસ્જિદમાં જતો જોયો અને ઘરે જાણ કરી. અને આખી ઘટનામાં ખુલાસો થયો કે આ બાળક ઘરેથી 5 વાર જીમનું બહાનું કરીને મસ્જિદ જતો હતો નમાઝ પઢવા માટે.

છોકરાના પરિવારજનોએ તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી જેમાં જાણવા મળ્યું કે ઓનલાઇન ધર્મપરિવર્તનના એક સુવ્યવસ્થિત કાવતરાનો આ બાળક ભોગ બન્યો છે. પોલીસે બાળકની પૂછપરછ કરી જેમાં સામે આવ્યું કે તેણે વર્ષો પહેલા એક ગેમિંગ એપ ડાઉનલોડ કરી હતી. અને એપથી તે શાહનવાઝ નામના ઓનલાઇન ગેમરના સંપર્કમાં હતો.  અને ઓનલાઇન ગેમ રમતા રમતા તેની સાથે ચેટિંગ પણ કરતો હતો.

ગેમમાં જે સાથી પ્લેયર હોય તેની સાથે ગેમ રમવા ઉપરાંત વીડિયો ચેટિંગની પણ સગવડ  હોય છે.  આ એપમાં આ બાળક સાથે જે લોકો રમતા હતા તેમના આઇડી હિંદું નામથી હતા જેથી કોઇને શંકા ન જાય..આ એપનું નામ છે fortnite.. આ ગેમમાં શાહનવાઝ પહેલા પોતે ગેમ જીતતો અને ગેમમાં હારવાથી જે બાળકો હતાશ થયા હોય તેમને વાત કરીને કહેતો કે ગેમ જીતવી હોય તો હું જે લાઇન્સ  મોકલી આપું છું એ વાંચો અને આ રીતે તે  કુરાનની આયાતો મોકલતો..ધીમે ધીમે તે કુરાન અને ઇસ્લામ વિશે આ બાળકોને પ્રવચન આપવા લાગ્યો તેમનું બ્રેઇનવોશ કરવા લાગ્યો. તેમને કુરાનની વાર્તાઓ કહેતો અને આ એક દરરોજનું રૂટિન હતું. જેમાં બાળકો હોંશે હોંશે ભાગ લેતા અને પોતાની જીંદગીની ખૂબ પર્સનલ બાબતો શેર પણ કરતા.

કુમળી વયે જ્યારે દુનિયાની અને ઘટનાઓની વધુ સમજ  ન હોય ત્યારે દરેક બાળકને કોઇ બહારના એક વ્યક્તિ સાથે એક પ્રકારનું એટેચમેન્ટ થઇ જતું હોય છે. ખાસ કરીને ટીનએજના વર્ષોમાં મોટાભાગના બાળકો તેમના માતાપિતા સાથે એક પ્રકારનું ઘર્ષણ અનુભવતા હોય છે. તેમને એમ થાય છે કે કોઇ તેમને સમજતું નથી. આવી પરિસ્થિતિમાં તેમને બહારની દુનિયાનો મોહ, બહારનું આકર્ષણ વધારે હોય છે. અને આ જ એવી નાજુક પરિસ્થિતિ હોય છે જેમાં તેઓ ખરાબ સંગતના રવાડે ચડી જતા હોય છે. શાહનવાઝ બાળકોનું બ્રેઇનવોશ થાય એ માટે તેમને ઝાકિર નાઇકના વીડિયો દેખાડતો. તારિક જમીલના વીડિયો દેખાડતો. આ રીતે ચંદીગઢ , હરિયાણા અને યુપીના અંદાજે 4 બાળકોએ ઇસ્લામ અપનાવ્યો હોવાની ઘટનાઓ બની છે.

ગાઝિયાબાદના જે બાળકની માબાપે પોલીસમાં ફરિયાદ કરી હતી તેને સમજાવીને પોલીસે પાછો વાળ્યો છે.  પોલીસ સહિત હવે કેન્દ્ર સરકારની એજન્સીઓ ગાઝિયાબાદમાં પહોંચ્યા છે અને આ આખી ઘટનાની તપાસ  કરી રહ્યા છે.  અને આ તપાસમાં હવે આ આખા કાંડનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. પાકિસ્તાનથી એક શખ્સ યુટ્યુબ ચેનલ ઓપરેટ કરતો હતો અને ઓનલાઇન ગેમની લિંક મુકીને પછી બાળકોને ગેમ રમવાનું આમંત્રણ આપતો હતો. આખી ઘટનામાં સમજવાનું એમ છે કે બાળકો જ્યારે ઇન્ટરનેટ પર કંઇક જોતા હોય ત્યારે તેઓ શું જુએ છે તેનું ધ્યાન રાખવાની જવાબદારી માબાપની છે. મોબાઇલ  એપમાં ચાઇલ્ડ લોક લગાવી દેવાથી કામ પૂરું નથી થઇ જતું. બાળકો જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે કોને મળે છે. કોની સાથે કઇ ચીજવસ્તુની આપ લે કરે છે, તેની દરેક સામાન્ય લાગતી વર્તણુંક પર નજર  રાખવી જરૂરી છે.  કારણકે આ વર્તણુંકમાં જ સંકેતો હોય છે જેનાથી તેમને ખોટી દિશામાં જતા રોકી શકાય છે.

આનો અર્થ એવો પણ નથી કે બાળક પર સતત પહેરો રાખવો, કડક વાતાવરણ કરી નાખવું કે જેમાં તેનો શ્વાસરૂંધાવા લાગે, પણ તેને વધુને વધુ સમજવાનો પ્રયાસ કરવો તેને પ્રેમથી પાસે બેસાડીને પૂછવું.  તેના મિત્રો સાથે પણ સારો વ્યવહાર રાખી તેને એક સુરક્ષિત વાતાવરણ આપવું. એવા પ્રકારનું વાતાવરણ કે જેમાં તેને કોઇ જજમેન્ટ કે કોઇ સજાની બીક ન હોય. બાળક જ્યારે વાતો શેર કરે તો તેને વઢામણ કે બૂમાબૂમ ન મળે પરંતુ સ્નેહભર્યા જવાબો મળે તેને એક પ્રકારનો વિશ્વાસ હોય કે મારે મારી મમ્મીને અથવા પપ્પાને વાત કરવી જરૂરી છે. જે ઘરમાં માતાપિતા અને બાળક વચ્ચે આ પ્રકારનો સંવાદ રૂટિનમાં થતો રહેશે એ ઘરમાં ક્યારેય પણ કોઇ બાળક ખોટી ગતિવિધિઓમાં નહિ પડે.. અને તેઓ સલામત રહેશે...



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.