નકલી પીએસઆઈ મયૂર તડવીના રિમાન્ડ થયા મંજૂર, ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો હતો મયૂર


  • Published By :
  • Published Date : 2023-03-02 13:20:00

થોડા દિવસો પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોલીસ એકેડેમીમાં નકલી પીએસઆઈ મુદ્દે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. મયૂર તડવી નામનો વ્યક્તિ કોઈ પણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર કરાઈ પોલીસ એકેડેમીમાં ટ્રેનીંગ લઈ રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી મયુર પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. આ કૌભાંડ સામે આવતા પોલીસે તપાસ આરંભી હતી. નકલી પીએસઆઈ મયૂર તડવી મામલે આખરે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. જ્યારે આ કેસની તપાસ કરવાની જવાબદારી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આખરે મયૂર તડવીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટે 8 દિવસના રિમાન્ડને મંજૂર કરી છે. 

  

વિધાનસભામાં ઉઠ્યો હતો આ મુદ્દો          

આ મામલો ગંભીર બનતા સરકારે સ્વીકાર્યું કે ત્રણ મહિનાથી મયૂર તડવી તાલીમ લેતો હતો. એકેડમીમાં તાલમી લઈ રહેલા 582 તાલીમાર્થીઓના ફેબ્રુઆરીનાં પગાર બિલ બન્યા ત્યારે મયૂર તડવીનું નામ પાસ થયેલા ઉમેદવારોના લિસ્ટમાં હતું જ નહીં. આ મામલો વિધાનસભામાં પણ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ઉઠાવ્યો હતો. સત્રમાં આ અંગે ચર્ચાની માગ કરવામાં આવી હતી પરંતુ ચર્ચા ન થતા વિપક્ષે ગઈકાલે વોકઆઉટ કરી લીધું હતું. બાદમાં વિધાનસભા અધ્યક્ષે 21 જેટલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરી લીધા હતા. 


આ કૌભાંડ અંગે સરકારને ખબર જ ન હતી?

ત્યારે મયૂર તડવીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગાંધીનગર કોર્ટમાં પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહેલા મયૂર તડવીને રજૂ કરાશે. મહત્વનું છે કે પોલીસની એકેડેમીમાં મયૂર ટ્રેનિંગ લઈ રહ્યો હતો છતાં પણ પોલીસને આ અંગે જાણ ન હતી. મયૂરે ન માત્ર પોલીસ એકેડેમીમાં નકલી પીએસઆઈ બની ટેનિંગ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો પરંતુ સરકારી પગાર પણ મેળવી લીધો હતો. ત્યાં સુધી સરકારને આ અંગે ખબર ન પડી? જો આ સમગ્ર મામલો સામે ન આવ્યો હોત તો નકલી પીએસઆઈ બની ટ્રેનિંગ લઈ રહેલા મયૂર તડવીએ કોઈ જગ્યા પર નોકરી પણ મેળવી લીધી હોત.           



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.