નકલી પીએસઆઈ મયૂર તડવીના રિમાન્ડ થયા મંજૂર, ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો હતો મયૂર


  • Published By :
  • Published Date : 2023-03-02 13:20:00

થોડા દિવસો પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોલીસ એકેડેમીમાં નકલી પીએસઆઈ મુદ્દે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. મયૂર તડવી નામનો વ્યક્તિ કોઈ પણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર કરાઈ પોલીસ એકેડેમીમાં ટ્રેનીંગ લઈ રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી મયુર પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. આ કૌભાંડ સામે આવતા પોલીસે તપાસ આરંભી હતી. નકલી પીએસઆઈ મયૂર તડવી મામલે આખરે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. જ્યારે આ કેસની તપાસ કરવાની જવાબદારી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આખરે મયૂર તડવીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટે 8 દિવસના રિમાન્ડને મંજૂર કરી છે. 

  

વિધાનસભામાં ઉઠ્યો હતો આ મુદ્દો          

આ મામલો ગંભીર બનતા સરકારે સ્વીકાર્યું કે ત્રણ મહિનાથી મયૂર તડવી તાલીમ લેતો હતો. એકેડમીમાં તાલમી લઈ રહેલા 582 તાલીમાર્થીઓના ફેબ્રુઆરીનાં પગાર બિલ બન્યા ત્યારે મયૂર તડવીનું નામ પાસ થયેલા ઉમેદવારોના લિસ્ટમાં હતું જ નહીં. આ મામલો વિધાનસભામાં પણ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ઉઠાવ્યો હતો. સત્રમાં આ અંગે ચર્ચાની માગ કરવામાં આવી હતી પરંતુ ચર્ચા ન થતા વિપક્ષે ગઈકાલે વોકઆઉટ કરી લીધું હતું. બાદમાં વિધાનસભા અધ્યક્ષે 21 જેટલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરી લીધા હતા. 


આ કૌભાંડ અંગે સરકારને ખબર જ ન હતી?

ત્યારે મયૂર તડવીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગાંધીનગર કોર્ટમાં પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહેલા મયૂર તડવીને રજૂ કરાશે. મહત્વનું છે કે પોલીસની એકેડેમીમાં મયૂર ટ્રેનિંગ લઈ રહ્યો હતો છતાં પણ પોલીસને આ અંગે જાણ ન હતી. મયૂરે ન માત્ર પોલીસ એકેડેમીમાં નકલી પીએસઆઈ બની ટેનિંગ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો પરંતુ સરકારી પગાર પણ મેળવી લીધો હતો. ત્યાં સુધી સરકારને આ અંગે ખબર ન પડી? જો આ સમગ્ર મામલો સામે ન આવ્યો હોત તો નકલી પીએસઆઈ બની ટ્રેનિંગ લઈ રહેલા મયૂર તડવીએ કોઈ જગ્યા પર નોકરી પણ મેળવી લીધી હોત.           



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.