નકલી પીએસઆઈ મયૂર તડવીના રિમાન્ડ થયા મંજૂર, ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો હતો મયૂર


  • Published By :
  • Published Date : 2023-03-02 13:20:00

થોડા દિવસો પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોલીસ એકેડેમીમાં નકલી પીએસઆઈ મુદ્દે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. મયૂર તડવી નામનો વ્યક્તિ કોઈ પણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર કરાઈ પોલીસ એકેડેમીમાં ટ્રેનીંગ લઈ રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી મયુર પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. આ કૌભાંડ સામે આવતા પોલીસે તપાસ આરંભી હતી. નકલી પીએસઆઈ મયૂર તડવી મામલે આખરે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. જ્યારે આ કેસની તપાસ કરવાની જવાબદારી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આખરે મયૂર તડવીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટે 8 દિવસના રિમાન્ડને મંજૂર કરી છે. 

  

વિધાનસભામાં ઉઠ્યો હતો આ મુદ્દો          

આ મામલો ગંભીર બનતા સરકારે સ્વીકાર્યું કે ત્રણ મહિનાથી મયૂર તડવી તાલીમ લેતો હતો. એકેડમીમાં તાલમી લઈ રહેલા 582 તાલીમાર્થીઓના ફેબ્રુઆરીનાં પગાર બિલ બન્યા ત્યારે મયૂર તડવીનું નામ પાસ થયેલા ઉમેદવારોના લિસ્ટમાં હતું જ નહીં. આ મામલો વિધાનસભામાં પણ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ઉઠાવ્યો હતો. સત્રમાં આ અંગે ચર્ચાની માગ કરવામાં આવી હતી પરંતુ ચર્ચા ન થતા વિપક્ષે ગઈકાલે વોકઆઉટ કરી લીધું હતું. બાદમાં વિધાનસભા અધ્યક્ષે 21 જેટલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરી લીધા હતા. 


આ કૌભાંડ અંગે સરકારને ખબર જ ન હતી?

ત્યારે મયૂર તડવીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગાંધીનગર કોર્ટમાં પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહેલા મયૂર તડવીને રજૂ કરાશે. મહત્વનું છે કે પોલીસની એકેડેમીમાં મયૂર ટ્રેનિંગ લઈ રહ્યો હતો છતાં પણ પોલીસને આ અંગે જાણ ન હતી. મયૂરે ન માત્ર પોલીસ એકેડેમીમાં નકલી પીએસઆઈ બની ટેનિંગ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો પરંતુ સરકારી પગાર પણ મેળવી લીધો હતો. ત્યાં સુધી સરકારને આ અંગે ખબર ન પડી? જો આ સમગ્ર મામલો સામે ન આવ્યો હોત તો નકલી પીએસઆઈ બની ટ્રેનિંગ લઈ રહેલા મયૂર તડવીએ કોઈ જગ્યા પર નોકરી પણ મેળવી લીધી હોત.           



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.