મોરબી પગરખા કાંડ: લેડી ડોન 'રાણીબા' સહિત પાંચ આરોપીના રિમાન્ડ મંજુર, 1 ડિસેમ્બર સુધી રહેશે કસ્ટડીમાં


  • Published By :
  • Published Date : 2023-11-28 18:22:14

મોરબીમાં દલિત યુવાનને પગાર મામલે માર મારીને ચપ્પલ મોઢામાં લેવડાવવાના કેસમાં મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે 'રાણીબા'ના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. લેડી ડોન બનીને ફરતી રાણીબાના એક ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે. આજે વિભૂતિ પટેલ ઉર્ફે 'રાણીબા' સહિતના આરોપીઓને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે નામદાર મોરબી અદાલતમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચેય આરોપીઓના આગામી તા.1 ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી એટલે કે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ઉપરાંત ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત ભગલાની, ક્રિશ મેરજા, પ્રીત વડસોલાને કોર્ટમાં રજૂ કરાયા હતા. ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી લેડી ડોન વિભૂતિ પટેલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. 




7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ


મોરબીના ચકચારી પગરખા કાંડ મામલે આજે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે નામદાર મોરબી અદાલતમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચેય આરોપીઓને આગામી તા.1 ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતાં. આ કેસમાં આજે પણ પોલીસે વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા છે. આજે પોલીસે પરીક્ષિત ભગલાણી, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા નામના આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અગાઉ ડી ડી.રબારી નામના આરોપીને પોલીસ ઝડપી પાડયો હતો. અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે. આ પૈકીના છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.


કોણ છે રાણીબા?


મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે. ફરિયાદી યુવાન નિલેષભાઈને ઢોર માર મારતા મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત બાર લોકો સામે એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત IPC કલમ 323, 504, 506 વગેરે મુજબ ગુન્હો નોંધી પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

રાણીબા સહિત ત્રણની ધરપકડ, 5 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે -  Morbi Update

શું છે સમગ્ર મામલો?


મોરબીમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝની સંચાલિકા વિભૂતિ હિતેન્દ્રભાઈ સીતાપરાની ફેક્ટરીમાં અનુસૂચિત જાતિ સમાજનો નિલેશભાઈ દલસાણીયા નામના યુવાન નોકરી કરતો હતો. જો કે રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલે તેને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દીધો હતો અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો હતો. 'રાણીબા'એ તે દલિત યુવાનને ચામડાના પટ્ટાથી ઢોર માર મારી મોઢામાં પગરખું લેવડાવવાની કુચેષ્ઠા પણ કરી હતી. આ સમગ્ર મામલે રાણીબા ઇન્ડસ્ટ્રીઝની સંચાલિકા વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા અને પરીક્ષિત ભગલાણી અને ડી.ડી.રબારી વિરુદ્ધ ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી. બાદમાં લેડી ડોન વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી.આ મામલે સૌ પ્રથમ ડી.ડી.રબારી પોલીસના શરણે આવ્યા બાદ ગઈકાલે રાણીબા સહિતના ત્રણ આરોપીઓ અને આજે વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા તમામને નામદાર મોરબી અદાલત સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગ સાથે તપાસનિશ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.



થોડા દિવસ પહેલા અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.. ત્યારે એવી માહિતી સામે આવી છે કે તે ગુજરાત આવી પોરબંદરના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા માટે પ્રચાર કરી શકે છે..

જમાવટની ઈલેક્શન યાત્રા નવસારી પહોંચી હતી. ભાજપે સી.આર.પાટીલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નૈષેદ દેસાઈને ઉમેદવાર બનાવ્યા છે. નવસારીના યુવાનો ચૂંટણીને લઈ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

પીએમ મોદીએ ગુજરાતમાં અનેક જનસભાઓ કરી. જનસભા દરમિયાન ઉમેદવારો હાજર હતા પરંતુ પરષોત્તમ રૂપાલા હાજર ના હતા. સભામાંથી તે ગાયબ હતા. પીએમ મોદીએ રાજકોટનો ઉલ્લેખ કર્યો પરંતુ તેમણે પરષોત્તમ રૂપાલાને યાદ ના કર્યા.. !

પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.