મોરબી પગરખા કાંડ: લેડી ડોન 'રાણીબા' સહિત પાંચ આરોપીના રિમાન્ડ મંજુર, 1 ડિસેમ્બર સુધી રહેશે કસ્ટડીમાં


  • Published By :
  • Published Date : 2023-11-28 18:22:14

મોરબીમાં દલિત યુવાનને પગાર મામલે માર મારીને ચપ્પલ મોઢામાં લેવડાવવાના કેસમાં મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે 'રાણીબા'ના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. લેડી ડોન બનીને ફરતી રાણીબાના એક ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે. આજે વિભૂતિ પટેલ ઉર્ફે 'રાણીબા' સહિતના આરોપીઓને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે નામદાર મોરબી અદાલતમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચેય આરોપીઓના આગામી તા.1 ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી એટલે કે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ઉપરાંત ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત ભગલાની, ક્રિશ મેરજા, પ્રીત વડસોલાને કોર્ટમાં રજૂ કરાયા હતા. ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી લેડી ડોન વિભૂતિ પટેલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. 




7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ


મોરબીના ચકચારી પગરખા કાંડ મામલે આજે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે નામદાર મોરબી અદાલતમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચેય આરોપીઓને આગામી તા.1 ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતાં. આ કેસમાં આજે પણ પોલીસે વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા છે. આજે પોલીસે પરીક્ષિત ભગલાણી, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા નામના આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અગાઉ ડી ડી.રબારી નામના આરોપીને પોલીસ ઝડપી પાડયો હતો. અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે. આ પૈકીના છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.


કોણ છે રાણીબા?


મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે. ફરિયાદી યુવાન નિલેષભાઈને ઢોર માર મારતા મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત બાર લોકો સામે એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત IPC કલમ 323, 504, 506 વગેરે મુજબ ગુન્હો નોંધી પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

રાણીબા સહિત ત્રણની ધરપકડ, 5 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે -  Morbi Update

શું છે સમગ્ર મામલો?


મોરબીમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝની સંચાલિકા વિભૂતિ હિતેન્દ્રભાઈ સીતાપરાની ફેક્ટરીમાં અનુસૂચિત જાતિ સમાજનો નિલેશભાઈ દલસાણીયા નામના યુવાન નોકરી કરતો હતો. જો કે રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલે તેને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દીધો હતો અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો હતો. 'રાણીબા'એ તે દલિત યુવાનને ચામડાના પટ્ટાથી ઢોર માર મારી મોઢામાં પગરખું લેવડાવવાની કુચેષ્ઠા પણ કરી હતી. આ સમગ્ર મામલે રાણીબા ઇન્ડસ્ટ્રીઝની સંચાલિકા વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા અને પરીક્ષિત ભગલાણી અને ડી.ડી.રબારી વિરુદ્ધ ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી. બાદમાં લેડી ડોન વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી.આ મામલે સૌ પ્રથમ ડી.ડી.રબારી પોલીસના શરણે આવ્યા બાદ ગઈકાલે રાણીબા સહિતના ત્રણ આરોપીઓ અને આજે વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા તમામને નામદાર મોરબી અદાલત સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગ સાથે તપાસનિશ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.