Gujarat Congressએ સુરતમાં બનેલી ઘટનાને યાદ કરતા X પર લખ્યું - જો બીજેપી ફરી સત્તામાં આવશે તો ભારતમાં હવે પછી કોઈ ચૂંટણી નહીં થાય, ત્યારે પ્રશ્ન થાય કે....


  • Published By :
  • Published Date : 2024-04-23 18:47:46

સુરત લોકસભા બેઠકની ચર્ચા ના માત્ર ગુજરાતમાં થઈ રહી છે પરંતુ સમગ્ર દેશમાં આ બેઠકની ચર્ચા થઈ રહી છે... દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...  

સુરતમાં બનેલી ઘટનાને લઈ કોંગ્રેસ દ્વારા કરાઈ ટ્વિટ

કારણ કે સુરતના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું તે બાદ કોંગ્રેસે જે રીતે આ મુદ્દાને ઉઠાવવો જોઈએ તે રીતે પાર્ટીએ આ મુદ્દો ઉઠાવ્યો નથી.. આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે ગઈકાલે સુરતમાં જે બન્યું તે એક ઉદાહરણ હતું. જો બીજેપી સત્તામાં આવશે તો ભારતમાં હવે પછી કોઈ ચૂંટણી નહીં થાય, કોઈ વિરોધ નહીં હોય, લોકોની સમસ્યાઓ સાંભળનાર કોઈ નહીં હોય.... 


ચૂંટણી સમયે જનપ્રતિનિધીઓ દેખાય છે જનતા વચ્ચે!

ચૂંટણી હોય છે ત્યારે નેતાઓ લોકોની વચ્ચે જોવા મળતા હોય છે. ચૂંટણી નજીક હોય છે ત્યારે નેતાઓને પોતાના મતવિસ્તારની જનતા યાદ આવે છે, મતદાતાઓને પડતી મુશ્કેલીઓ જાણે તેમને પડતી હોય તેવી રીતે મતદાતાઓ સમક્ષ હાજર થાય છે..! મતદાતાઓ પણ ચૂંટણીની રાહ જોતા હોય છે કે તેઓ પોતાને પડતી મુશ્કેલી જનપ્રતિનિધિને જણાવી શકે.. ચૂંટણી હોય ત્યારે સત્તા પક્ષને સવાલ કરવા પણ અનેક મુદ્દાઓ હોય છે. 


મુશ્કેલી અનેક છે પરંતુ સમસ્યાને લઈ બુલંદીથી વિપક્ષ નથી ઉઠાવતો સવાલ?

પરંતુ ગુજરાતમાં વિપક્ષ નબળું સાબિત થઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર જે પ્રમાણે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, વિપક્ષી નેતાઓ આક્રામક દેખાઈ રહ્યા છે પરંતુ જ્યારે રસ્તા પર ઉતરી તેનો વિરોધ કરવાની વાત આવે ત્યારે વિપક્ષ પાછીપાની કરતું હોય તેવું લાગે છે.. રાજ્યમાં અનેક મુદ્દાઓ છે જેના માટે વિપક્ષ ધારે તો બુલંદીથી અવાજ ઉપાડી શકે છે... સામાન્ય માણસોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.. પરંતુ જ્યારે ગ્રાઉન્ડ પર ઉતરવાની વાત આવે ત્યારે વિપક્ષી નેતાઓ એટલા આક્રામક નથી દેખાતા... 

        


લોકોના પ્રશ્નો મુદ્દે વિપક્ષ દેખાઈ રહ્યું છે નિરસ!

આપણા દેશમાં લોકશાહી છે... લોકશાહીમાં જેટલી જવાબદારી સત્તા પક્ષની હોય છે તેના કરતા વધારે જવાબદારી વિપક્ષની હોય છે.. સામાન્ય માણસના મુદ્દાઓને, તેમને પડતી મુશ્કેલી માટે અવાજ બનવાની જવાબદારી વિપક્ષની હોય છે.. પરંતુ ગુજરાતમાં હાલ જેવી પરિસ્થિતિ છે તે જોતા લાગે કે વિપક્ષના નેતાને લોકોના મુદ્દાઓને ઉઠાવવામાં રસ જ નથી...! 


કોંગ્રેસ એટલી આક્રામક ના દેખાઈ જેટલી દેખાવી જોઈએ!

ગઈકાલે સુરતમાં જે થયું તે આપણે જાણીએ છીએ.. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ ગયા.. આ મામલે કોંગ્રેસ જેટલી આક્રામક દેખાવી જોઈએ તેટલી આક્રામક ગ્રાઉન્ડ પર નથી દેખાઈ તેવું કહીએ તો પણ આપણે ખોટા ના પડીએ..ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ આ ચૂંટણીમાં કયા મુદ્દાને આક્રામકતાથી ઉઠાવે છે...   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.