Gujarat Congressએ સુરતમાં બનેલી ઘટનાને યાદ કરતા X પર લખ્યું - જો બીજેપી ફરી સત્તામાં આવશે તો ભારતમાં હવે પછી કોઈ ચૂંટણી નહીં થાય, ત્યારે પ્રશ્ન થાય કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-23 18:47:46

સુરત લોકસભા બેઠકની ચર્ચા ના માત્ર ગુજરાતમાં થઈ રહી છે પરંતુ સમગ્ર દેશમાં આ બેઠકની ચર્ચા થઈ રહી છે... દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...  

સુરતમાં બનેલી ઘટનાને લઈ કોંગ્રેસ દ્વારા કરાઈ ટ્વિટ

કારણ કે સુરતના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું તે બાદ કોંગ્રેસે જે રીતે આ મુદ્દાને ઉઠાવવો જોઈએ તે રીતે પાર્ટીએ આ મુદ્દો ઉઠાવ્યો નથી.. આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે ગઈકાલે સુરતમાં જે બન્યું તે એક ઉદાહરણ હતું. જો બીજેપી સત્તામાં આવશે તો ભારતમાં હવે પછી કોઈ ચૂંટણી નહીં થાય, કોઈ વિરોધ નહીં હોય, લોકોની સમસ્યાઓ સાંભળનાર કોઈ નહીં હોય.... 


ચૂંટણી સમયે જનપ્રતિનિધીઓ દેખાય છે જનતા વચ્ચે!

ચૂંટણી હોય છે ત્યારે નેતાઓ લોકોની વચ્ચે જોવા મળતા હોય છે. ચૂંટણી નજીક હોય છે ત્યારે નેતાઓને પોતાના મતવિસ્તારની જનતા યાદ આવે છે, મતદાતાઓને પડતી મુશ્કેલીઓ જાણે તેમને પડતી હોય તેવી રીતે મતદાતાઓ સમક્ષ હાજર થાય છે..! મતદાતાઓ પણ ચૂંટણીની રાહ જોતા હોય છે કે તેઓ પોતાને પડતી મુશ્કેલી જનપ્રતિનિધિને જણાવી શકે.. ચૂંટણી હોય ત્યારે સત્તા પક્ષને સવાલ કરવા પણ અનેક મુદ્દાઓ હોય છે. 


મુશ્કેલી અનેક છે પરંતુ સમસ્યાને લઈ બુલંદીથી વિપક્ષ નથી ઉઠાવતો સવાલ?

પરંતુ ગુજરાતમાં વિપક્ષ નબળું સાબિત થઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર જે પ્રમાણે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, વિપક્ષી નેતાઓ આક્રામક દેખાઈ રહ્યા છે પરંતુ જ્યારે રસ્તા પર ઉતરી તેનો વિરોધ કરવાની વાત આવે ત્યારે વિપક્ષ પાછીપાની કરતું હોય તેવું લાગે છે.. રાજ્યમાં અનેક મુદ્દાઓ છે જેના માટે વિપક્ષ ધારે તો બુલંદીથી અવાજ ઉપાડી શકે છે... સામાન્ય માણસોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.. પરંતુ જ્યારે ગ્રાઉન્ડ પર ઉતરવાની વાત આવે ત્યારે વિપક્ષી નેતાઓ એટલા આક્રામક નથી દેખાતા... 

        


લોકોના પ્રશ્નો મુદ્દે વિપક્ષ દેખાઈ રહ્યું છે નિરસ!

આપણા દેશમાં લોકશાહી છે... લોકશાહીમાં જેટલી જવાબદારી સત્તા પક્ષની હોય છે તેના કરતા વધારે જવાબદારી વિપક્ષની હોય છે.. સામાન્ય માણસના મુદ્દાઓને, તેમને પડતી મુશ્કેલી માટે અવાજ બનવાની જવાબદારી વિપક્ષની હોય છે.. પરંતુ ગુજરાતમાં હાલ જેવી પરિસ્થિતિ છે તે જોતા લાગે કે વિપક્ષના નેતાને લોકોના મુદ્દાઓને ઉઠાવવામાં રસ જ નથી...! 


કોંગ્રેસ એટલી આક્રામક ના દેખાઈ જેટલી દેખાવી જોઈએ!

ગઈકાલે સુરતમાં જે થયું તે આપણે જાણીએ છીએ.. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ ગયા.. આ મામલે કોંગ્રેસ જેટલી આક્રામક દેખાવી જોઈએ તેટલી આક્રામક ગ્રાઉન્ડ પર નથી દેખાઈ તેવું કહીએ તો પણ આપણે ખોટા ના પડીએ..ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ આ ચૂંટણીમાં કયા મુદ્દાને આક્રામકતાથી ઉઠાવે છે...   



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.