ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની વયે નિધન, પત્રકાર જગતમાં શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-11-27 22:02:39

ગુજરાતના ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ, પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષ આજે અમદાવાદમાં નિધન થયું છે. વય સંબંધિત બિમારીને કારણે છેલ્લા બે સપ્તાહથી તેઓ બિમાર હતા અને તે કારણે જ તેમનું અવસાન થયું હતું. તેમના અવસાનથી પત્રકાર જગતની જાણીતી હસ્તીઓ અને તેમના પરિવારમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. ઝવેરીલાલ મહેતાએ તેમની પુત્રી કાનન જોશીના ઘરે છેલ્લા શ્વાસ લીધા હતા. ઝવેરીલાલ દલપતરામ મહેતા ગુજરાત સમાચાર અખબારના સૌથી અનુભવી ફોટો જર્નાલિસ્ટ હતા. અખબાર જગતમાં 60 વર્ષથી વધુની તેમની કારકિર્દી છે. પોતાના અવનવા ફોટો માટે તેઓ ભારતભરમાં જાણીતા હતા. ફોટો જર્નાલિસ્ટ અને સાહિત્ય તથા શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ 2018માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

Image


ઈન્દિરા ગાંધી ઝવેરીલાલને રાખડી બાંધતા


સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના રહેવાસી ઝવેરીલાલ 1970ના દાયકાથી ગુજરાત સમાચાર સાથે સિનિયર ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરતા હતા. તેમને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ઝવેરીલાલને રાખડી બાંધતા હતા. કિશોર કુમાર જેવી સ્ટાઈલ માટે જાણીતા ઝવેરીલાલ માત્ર તેમના ફોટોગ્રાફ માટે જ નહીં, પણ ફોટો લાઈનો માટે પણ વખાણવામાં આવતા હતા.  તેમના દરેક ફોટાની ફોટોલાઈનમાં તેઓ પોતાના ઉર્મિસભર વિચારો વ્યક્ત કરતા હતા.




2018માં પદ્મશ્રીથી સન્માન


ઝવેરીલાલને રાજ્ય કક્ષાના અસંખ્ય પુરસ્કારો મળ્યા હતા, વર્ષ 2018માં તત્કાલિન રાષ્ટ્રપતિના હાથે રાષ્ટ્રીય સન્માન પદ્મશ્રી પણ આપવામાં આવ્યું હતું. છેલ્લી સદીના ઉત્તરાર્ધના દાયકાઓમાં ઝવેરીલાલની લોકપ્રિયતા અને સેલિબ્રિટીના દરજ્જાને જોતા, કારકિર્દી તરીકે ફોટો જર્નાલિઝમના માર્ગે અસંખ્ય યુવાનોને ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે જોડાવાની પ્રેરણા મળી હતી. ઝવેરીલાલના નિધનથી ગુજરાતી ફોટો જર્નાલિઝમના એક યુગનો અંત આવ્યો છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.