Repo Rate: નહીં વધે હોમ લોનની EMI!સતત છઠ્ઠી વખત RBIએ રેપો રેટ 6.5% પર સ્થિર રાખ્યો


  • Published By :
  • Published Date : 2024-02-12 15:54:10

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરૂવારે નાણાકીય નીતિની સમીક્ષા રજુ કરી. ભારતીય રિઝર્વ બેંકે ગુરૂવારે નાણાકિય નીતિની સમીક્ષામાં પોલીસી રેટ્સમાં કોઈ ફેરફાર નથી કર્યા. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ 7 ટકા રહી શકે છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. ગત વર્ષે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ફેબ્રુઆરી 2023માં બેંચમાર્ક દરોમાં વૃધ્ધી કરી હતી. આ સમયે રેપો રેટ 6.25 ટકાથી વધારીને 6.5 ટકા કરી દીધો હતો.  


ડિસેમ્બર 2023માં મોંઘવારી દર 5.69 ટકા પર યથાવત


ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારીનો દર જુલાઈ 2023માં 7.4 ટકાના ઉચ્ચ દર પર સ્થિર હતા. મોંઘવારી દરોમાં હજું પણ તેજી યથાવત છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ડિસેમ્બર 2023માં મોંઘવારી દર 5.69 ટકા પર યથાવત રહી છે. 


સતત છઠ્ઠી વખત પોલીસી રેટ્સમાં કોઈ ફેરફાર નહીં


RBI મોંઘવારી દરને 4થી 6 ટકાની મર્યાદામાં જાળવી રાખવા માંગે છે. ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય નિતીઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેથી જ સામાન્ય લોકોની હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતના દરોમાં કોઈ ફેરફાર થયો નથી. બેંકની નાણાકીય નીતિ સમિતિના 12 સભ્યોમાંથી તમામે રેપો રેટમાં ફેરફાર નહીં કરવાના પ્રસ્તાવ પર સહમતિ વ્યક્ત કરી હતી. સતત છઠ્ઠી વખત ભારતીય રિઝર્વ બેંકે પોલીસી રેટ્સમાં કોઈ ફેરફાર નથી કર્યો. છેલ્લે 8 ફેબ્રુઆરી, 2023ના રોજ રેપો રેટને 25 બેઝીસ પોઈન્ટ એટલે કે 0.25 ટકા વધારીને 6.50 ટકા કરી દીધો હતો. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.