Repo Rate: નહીં વધે હોમ લોનની EMI!સતત છઠ્ઠી વખત RBIએ રેપો રેટ 6.5% પર સ્થિર રાખ્યો


  • Published By :
  • Published Date : 2024-02-12 15:54:10

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરૂવારે નાણાકીય નીતિની સમીક્ષા રજુ કરી. ભારતીય રિઝર્વ બેંકે ગુરૂવારે નાણાકિય નીતિની સમીક્ષામાં પોલીસી રેટ્સમાં કોઈ ફેરફાર નથી કર્યા. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ 7 ટકા રહી શકે છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. ગત વર્ષે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ફેબ્રુઆરી 2023માં બેંચમાર્ક દરોમાં વૃધ્ધી કરી હતી. આ સમયે રેપો રેટ 6.25 ટકાથી વધારીને 6.5 ટકા કરી દીધો હતો.  


ડિસેમ્બર 2023માં મોંઘવારી દર 5.69 ટકા પર યથાવત


ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારીનો દર જુલાઈ 2023માં 7.4 ટકાના ઉચ્ચ દર પર સ્થિર હતા. મોંઘવારી દરોમાં હજું પણ તેજી યથાવત છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ડિસેમ્બર 2023માં મોંઘવારી દર 5.69 ટકા પર યથાવત રહી છે. 


સતત છઠ્ઠી વખત પોલીસી રેટ્સમાં કોઈ ફેરફાર નહીં


RBI મોંઘવારી દરને 4થી 6 ટકાની મર્યાદામાં જાળવી રાખવા માંગે છે. ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય નિતીઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેથી જ સામાન્ય લોકોની હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતના દરોમાં કોઈ ફેરફાર થયો નથી. બેંકની નાણાકીય નીતિ સમિતિના 12 સભ્યોમાંથી તમામે રેપો રેટમાં ફેરફાર નહીં કરવાના પ્રસ્તાવ પર સહમતિ વ્યક્ત કરી હતી. સતત છઠ્ઠી વખત ભારતીય રિઝર્વ બેંકે પોલીસી રેટ્સમાં કોઈ ફેરફાર નથી કર્યો. છેલ્લે 8 ફેબ્રુઆરી, 2023ના રોજ રેપો રેટને 25 બેઝીસ પોઈન્ટ એટલે કે 0.25 ટકા વધારીને 6.50 ટકા કરી દીધો હતો. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.