Repo Rate: નહીં વધે હોમ લોનની EMI!સતત છઠ્ઠી વખત RBIએ રેપો રેટ 6.5% પર સ્થિર રાખ્યો


  • Published By :
  • Published Date : 2024-02-12 15:54:10

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરૂવારે નાણાકીય નીતિની સમીક્ષા રજુ કરી. ભારતીય રિઝર્વ બેંકે ગુરૂવારે નાણાકિય નીતિની સમીક્ષામાં પોલીસી રેટ્સમાં કોઈ ફેરફાર નથી કર્યા. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ 7 ટકા રહી શકે છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. ગત વર્ષે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ફેબ્રુઆરી 2023માં બેંચમાર્ક દરોમાં વૃધ્ધી કરી હતી. આ સમયે રેપો રેટ 6.25 ટકાથી વધારીને 6.5 ટકા કરી દીધો હતો.  


ડિસેમ્બર 2023માં મોંઘવારી દર 5.69 ટકા પર યથાવત


ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારીનો દર જુલાઈ 2023માં 7.4 ટકાના ઉચ્ચ દર પર સ્થિર હતા. મોંઘવારી દરોમાં હજું પણ તેજી યથાવત છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ડિસેમ્બર 2023માં મોંઘવારી દર 5.69 ટકા પર યથાવત રહી છે. 


સતત છઠ્ઠી વખત પોલીસી રેટ્સમાં કોઈ ફેરફાર નહીં


RBI મોંઘવારી દરને 4થી 6 ટકાની મર્યાદામાં જાળવી રાખવા માંગે છે. ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય નિતીઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેથી જ સામાન્ય લોકોની હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતના દરોમાં કોઈ ફેરફાર થયો નથી. બેંકની નાણાકીય નીતિ સમિતિના 12 સભ્યોમાંથી તમામે રેપો રેટમાં ફેરફાર નહીં કરવાના પ્રસ્તાવ પર સહમતિ વ્યક્ત કરી હતી. સતત છઠ્ઠી વખત ભારતીય રિઝર્વ બેંકે પોલીસી રેટ્સમાં કોઈ ફેરફાર નથી કર્યો. છેલ્લે 8 ફેબ્રુઆરી, 2023ના રોજ રેપો રેટને 25 બેઝીસ પોઈન્ટ એટલે કે 0.25 ટકા વધારીને 6.50 ટકા કરી દીધો હતો. 



ઈશ્વરને, પ્રભુને ક્યારેય આપણે પત્ર લખ્યો છે? જ્યારે જ્યારે મન ઉદાસ હોય, મનમાં અનેક મુંઝવણ હોય ત્યારે સલાહ લેવા કોની પાસે જાવ છો? કહેવાય છે પ્રભુ પાસે દરેક સવાલના જવાબ હોય છે..

લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..