Repo Rate: નહીં વધે હોમ લોનની EMI!સતત છઠ્ઠી વખત RBIએ રેપો રેટ 6.5% પર સ્થિર રાખ્યો


  • Published By :
  • Published Date : 2024-02-12 15:54:10

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરૂવારે નાણાકીય નીતિની સમીક્ષા રજુ કરી. ભારતીય રિઝર્વ બેંકે ગુરૂવારે નાણાકિય નીતિની સમીક્ષામાં પોલીસી રેટ્સમાં કોઈ ફેરફાર નથી કર્યા. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ 7 ટકા રહી શકે છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. ગત વર્ષે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ફેબ્રુઆરી 2023માં બેંચમાર્ક દરોમાં વૃધ્ધી કરી હતી. આ સમયે રેપો રેટ 6.25 ટકાથી વધારીને 6.5 ટકા કરી દીધો હતો.  


ડિસેમ્બર 2023માં મોંઘવારી દર 5.69 ટકા પર યથાવત


ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારીનો દર જુલાઈ 2023માં 7.4 ટકાના ઉચ્ચ દર પર સ્થિર હતા. મોંઘવારી દરોમાં હજું પણ તેજી યથાવત છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ડિસેમ્બર 2023માં મોંઘવારી દર 5.69 ટકા પર યથાવત રહી છે. 


સતત છઠ્ઠી વખત પોલીસી રેટ્સમાં કોઈ ફેરફાર નહીં


RBI મોંઘવારી દરને 4થી 6 ટકાની મર્યાદામાં જાળવી રાખવા માંગે છે. ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય નિતીઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેથી જ સામાન્ય લોકોની હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતના દરોમાં કોઈ ફેરફાર થયો નથી. બેંકની નાણાકીય નીતિ સમિતિના 12 સભ્યોમાંથી તમામે રેપો રેટમાં ફેરફાર નહીં કરવાના પ્રસ્તાવ પર સહમતિ વ્યક્ત કરી હતી. સતત છઠ્ઠી વખત ભારતીય રિઝર્વ બેંકે પોલીસી રેટ્સમાં કોઈ ફેરફાર નથી કર્યો. છેલ્લે 8 ફેબ્રુઆરી, 2023ના રોજ રેપો રેટને 25 બેઝીસ પોઈન્ટ એટલે કે 0.25 ટકા વધારીને 6.50 ટકા કરી દીધો હતો. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.