Republic Day 2024: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફરકાવ્યો ધ્વજ, Delhiના કર્તવ્ય પથ પર પરેડ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-26 13:08:22

આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. ગણતંત્ર દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહીછે. દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની તાકાત અને દેશના સંસ્કૃતિની ઝલક કર્તવ્ય પથ પર દર્શાવામાં આવી રહી છે. આ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બન્યા છે. રાષ્ટ્રપતિએ ધ્વજ ફરકાવ્યો છે. 21 તોપોની સલામી આપવામાં આવી. વિવિધ રાજ્યોની ઝાંખી કરાવતા ટેબ્લા પરેડમાં ચાલશે. વિવિધ શસ્ત્રબળ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે.


વિવિધ રાજ્યોની જોવા મળશે કર્તવ્ય પથ પર ઝાંખી!

ધ્વજ વંદન થાય તે પહેલા પીએમ મોદીએ વીરોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બે મિનીટનું મૌન પણ ધારણ કર્યું હતું. રાષ્ટ્રપતિએ ધ્વજ વંદન કર્યું હતું. કર્તવ્ય પથ પર શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ વખત સેનાની ત્રણેય ટુકડીને મહિલા ઓફિસરે લીડ કર્યું હતું. આર્મી મ્યુઝિકલ બેન્ડ પણ સામેલ થયું છે. વિવિધ રાજ્યોની ઝાંખી કર્તવ્ય પથ પર જોવા મળી રહી છે.    

     



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.