Republic Day 2024: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફરકાવ્યો ધ્વજ, Delhiના કર્તવ્ય પથ પર પરેડ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-26 13:08:22

આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. ગણતંત્ર દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહીછે. દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની તાકાત અને દેશના સંસ્કૃતિની ઝલક કર્તવ્ય પથ પર દર્શાવામાં આવી રહી છે. આ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બન્યા છે. રાષ્ટ્રપતિએ ધ્વજ ફરકાવ્યો છે. 21 તોપોની સલામી આપવામાં આવી. વિવિધ રાજ્યોની ઝાંખી કરાવતા ટેબ્લા પરેડમાં ચાલશે. વિવિધ શસ્ત્રબળ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે.


વિવિધ રાજ્યોની જોવા મળશે કર્તવ્ય પથ પર ઝાંખી!

ધ્વજ વંદન થાય તે પહેલા પીએમ મોદીએ વીરોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બે મિનીટનું મૌન પણ ધારણ કર્યું હતું. રાષ્ટ્રપતિએ ધ્વજ વંદન કર્યું હતું. કર્તવ્ય પથ પર શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ વખત સેનાની ત્રણેય ટુકડીને મહિલા ઓફિસરે લીડ કર્યું હતું. આર્મી મ્યુઝિકલ બેન્ડ પણ સામેલ થયું છે. વિવિધ રાજ્યોની ઝાંખી કર્તવ્ય પથ પર જોવા મળી રહી છે.    

     



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.