Republic Day 2024: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફરકાવ્યો ધ્વજ, Delhiના કર્તવ્ય પથ પર પરેડ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-26 13:08:22

આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. ગણતંત્ર દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહીછે. દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની તાકાત અને દેશના સંસ્કૃતિની ઝલક કર્તવ્ય પથ પર દર્શાવામાં આવી રહી છે. આ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બન્યા છે. રાષ્ટ્રપતિએ ધ્વજ ફરકાવ્યો છે. 21 તોપોની સલામી આપવામાં આવી. વિવિધ રાજ્યોની ઝાંખી કરાવતા ટેબ્લા પરેડમાં ચાલશે. વિવિધ શસ્ત્રબળ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે.


વિવિધ રાજ્યોની જોવા મળશે કર્તવ્ય પથ પર ઝાંખી!

ધ્વજ વંદન થાય તે પહેલા પીએમ મોદીએ વીરોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બે મિનીટનું મૌન પણ ધારણ કર્યું હતું. રાષ્ટ્રપતિએ ધ્વજ વંદન કર્યું હતું. કર્તવ્ય પથ પર શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ વખત સેનાની ત્રણેય ટુકડીને મહિલા ઓફિસરે લીડ કર્યું હતું. આર્મી મ્યુઝિકલ બેન્ડ પણ સામેલ થયું છે. વિવિધ રાજ્યોની ઝાંખી કર્તવ્ય પથ પર જોવા મળી રહી છે.    

     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.