'Pokમાં 24 સીટો અનામત’, અમિત શાહે કહ્યું- આંતરિક મુદ્દાને UNમાં લઈ જવો તે નહેરુની ઐતિહાસિક ભૂલ


  • Published By :
  • Published Date : 2023-12-06 20:41:53

જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે 1947માં કાશ્મીર પર પાકિસ્તાનના હુમલાથી લઈને 90ના દાયકામાં ફેલાયેલા આતંકવાદનો ઉલ્લેખ કર્યો અને આ બધા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી. ઉલ્લેખનિય છે કે નવા બિલની જોગવાઈઓ મુજબ જમ્મુમાં પહેલા 37 સીટો હતી, હવે 43 થશે. કાશ્મીરમાં પહેલા 46 હતા, હવે 47 થશે. અને પીઓકેમાં 24 સીટો અનામત રાખવામાં આવી છે કારણ કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પણ આપણું છે. અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પરના બે બિલમાંથી એકમાં એક મહિલા સહિત કાશ્મીરી સ્થળાંતર સમુદાયના બે સભ્યોને વિધાનસભામાં મોકલવાની જોગવાઈ છે.


વિપક્ષે કર્યું વોકઆઉટ


ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત બે બિલ રજૂ કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે વડાપ્રધાન જવાહરલાલ નેહરુના કારણે જમ્મુ-કાશ્મીરે બે બ્લંડરને સહન કરી રહ્યો છે. પ્રથમ યુદ્ધવિરામની જાહેરાત કરવી અને બીજું કાશ્મીરનો મુદ્દો યુએનમાં લઈ જવાનો હતો. અમિત શાહના આ નિવેદન બાદ બુધવારે લોકસભામાં હોબાળો થયો હતો. અમિત શાહના નિવેદન બાદ વિપક્ષી નેતાઓએ તેમની વિરુદ્ધ નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. થોડા સમય બાદ વિપક્ષી સાંસદોએ અમિત શાહના નિવેદનના વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.


શું કહ્યું અમિત શાહે?


અમિત શાહે ગૃહમાં કહ્યું કે, “વડાપ્રધાન તરીકે પંડિત નેહરુના કાર્યકાળ દરમિયાન બે મોટી ભૂલો તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે થઈ હતી, જેના કારણે કાશ્મીરને વર્ષો સુધી ભોગવવું પડ્યું હતું. પહેલી અને સૌથી મોટી ભૂલ એ હતી કે જ્યારે આપણી સેના જીતી રહી હતી ત્યારે પંજાબ વિસ્તારમાં પહોંચતાની સાથે જ સીઝફાયર જાહેર કરી દેવામાં આવ્યું અને આ કારણે જ PoKનો જન્મ થયો. જો યુદ્ધવિરામ ત્રણ દિવસ પછી થયું હોત તો આજે PoK ભારતનો ભાગ હોત. બીજી મોટી ભૂલ ભારતની આંતરિક સમસ્યાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની હતી. હું માનું છું કે આ મામલો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવો જોઈતો ન હતો, પરંતુ જો લઈ જવો હોય તો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર 51 હેઠળ લઈ જવો જોઈતો હતો, પરંતુ તેને ચાર્ટર 35 હેઠળ લઈ જવામાં આવ્યો હતો. નેહરુએ પોતે સ્વીકાર્યું કે તે એક ભૂલ હતી, પરંતુ હું માનું છું કે તે એક બ્લંડર હતું.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.