'Pokમાં 24 સીટો અનામત’, અમિત શાહે કહ્યું- આંતરિક મુદ્દાને UNમાં લઈ જવો તે નહેરુની ઐતિહાસિક ભૂલ


  • Published By :
  • Published Date : 2023-12-06 20:41:53

જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે 1947માં કાશ્મીર પર પાકિસ્તાનના હુમલાથી લઈને 90ના દાયકામાં ફેલાયેલા આતંકવાદનો ઉલ્લેખ કર્યો અને આ બધા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી. ઉલ્લેખનિય છે કે નવા બિલની જોગવાઈઓ મુજબ જમ્મુમાં પહેલા 37 સીટો હતી, હવે 43 થશે. કાશ્મીરમાં પહેલા 46 હતા, હવે 47 થશે. અને પીઓકેમાં 24 સીટો અનામત રાખવામાં આવી છે કારણ કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પણ આપણું છે. અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પરના બે બિલમાંથી એકમાં એક મહિલા સહિત કાશ્મીરી સ્થળાંતર સમુદાયના બે સભ્યોને વિધાનસભામાં મોકલવાની જોગવાઈ છે.


વિપક્ષે કર્યું વોકઆઉટ


ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત બે બિલ રજૂ કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે વડાપ્રધાન જવાહરલાલ નેહરુના કારણે જમ્મુ-કાશ્મીરે બે બ્લંડરને સહન કરી રહ્યો છે. પ્રથમ યુદ્ધવિરામની જાહેરાત કરવી અને બીજું કાશ્મીરનો મુદ્દો યુએનમાં લઈ જવાનો હતો. અમિત શાહના આ નિવેદન બાદ બુધવારે લોકસભામાં હોબાળો થયો હતો. અમિત શાહના નિવેદન બાદ વિપક્ષી નેતાઓએ તેમની વિરુદ્ધ નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. થોડા સમય બાદ વિપક્ષી સાંસદોએ અમિત શાહના નિવેદનના વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.


શું કહ્યું અમિત શાહે?


અમિત શાહે ગૃહમાં કહ્યું કે, “વડાપ્રધાન તરીકે પંડિત નેહરુના કાર્યકાળ દરમિયાન બે મોટી ભૂલો તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે થઈ હતી, જેના કારણે કાશ્મીરને વર્ષો સુધી ભોગવવું પડ્યું હતું. પહેલી અને સૌથી મોટી ભૂલ એ હતી કે જ્યારે આપણી સેના જીતી રહી હતી ત્યારે પંજાબ વિસ્તારમાં પહોંચતાની સાથે જ સીઝફાયર જાહેર કરી દેવામાં આવ્યું અને આ કારણે જ PoKનો જન્મ થયો. જો યુદ્ધવિરામ ત્રણ દિવસ પછી થયું હોત તો આજે PoK ભારતનો ભાગ હોત. બીજી મોટી ભૂલ ભારતની આંતરિક સમસ્યાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની હતી. હું માનું છું કે આ મામલો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવો જોઈતો ન હતો, પરંતુ જો લઈ જવો હોય તો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર 51 હેઠળ લઈ જવો જોઈતો હતો, પરંતુ તેને ચાર્ટર 35 હેઠળ લઈ જવામાં આવ્યો હતો. નેહરુએ પોતે સ્વીકાર્યું કે તે એક ભૂલ હતી, પરંતુ હું માનું છું કે તે એક બ્લંડર હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.