મોંઘવારી કાબુમાં કેમ નથી આવી રહી? કેન્દ્ર સરકારે માંગ્યો RBI પાસે જવાબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 12:19:07

મોંઘવારીને કાબુમાં લેવા માટે રિઝર્વ બેંક સતત વ્યાજ દરો વધારી રહી છે, જો કે તેમ છતાં પણ સપ્ટેમ્બરના આંકડા જોતા રિટેલ મોંઘવારી સંતોષજનક સ્તરથી ઉપર જ રહી છે. હવે  રિઝર્વ બેંકએ કેન્દ્ર સરકારને  રિપોર્ટ  આપીને સવિસ્તાર તેનું કારણ બતાવવું પડશે. વર્ષ 2016માં નવી નાણાકિય નીતિ બન્યા પછી પહેલી વખત એવું બન્યું છે કે રિપોર્ટ દ્વારા સરકારે પોતાના પગલા અંગે સરકારને પુરી માહિતી આપવી પડશે.


RBIની રિપોર્ટ ગુપ્ત રહેશે


ઈતિહાસમાં પહેલીવાર RBI કેન્દ્ર સરકારને મોંઘવારીનું કારણ આપશે, કેન્દ્ર સરકાર દ્વારા રિઝર્વ બેંકને મળેલી જવાબદારી પ્રમાણે આરબીઆઈને રિટેલ મોંઘવારી બે ટકા વધઘટ સાથે ચાર ટકા પર જાળવી રાખવી અનિવાર્ય છે. હવે જ્યારે સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી 7.41 ટકા પર છે ત્યારે  RBI કેન્દ્ર સરકારને રિપોર્ટ રજૂ કરી તેનું કારણ આપશે. જો કે RBIના ગવર્નર લક્ષ્મીકાંતા દાસનાં જણાવ્યા પ્રમાણે આ રિપોર્ટ સંપુર્ણપણે ગુપ્ત રહેશે.    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .