મોંઘવારી કાબુમાં કેમ નથી આવી રહી? કેન્દ્ર સરકારે માંગ્યો RBI પાસે જવાબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 12:19:07

મોંઘવારીને કાબુમાં લેવા માટે રિઝર્વ બેંક સતત વ્યાજ દરો વધારી રહી છે, જો કે તેમ છતાં પણ સપ્ટેમ્બરના આંકડા જોતા રિટેલ મોંઘવારી સંતોષજનક સ્તરથી ઉપર જ રહી છે. હવે  રિઝર્વ બેંકએ કેન્દ્ર સરકારને  રિપોર્ટ  આપીને સવિસ્તાર તેનું કારણ બતાવવું પડશે. વર્ષ 2016માં નવી નાણાકિય નીતિ બન્યા પછી પહેલી વખત એવું બન્યું છે કે રિપોર્ટ દ્વારા સરકારે પોતાના પગલા અંગે સરકારને પુરી માહિતી આપવી પડશે.


RBIની રિપોર્ટ ગુપ્ત રહેશે


ઈતિહાસમાં પહેલીવાર RBI કેન્દ્ર સરકારને મોંઘવારીનું કારણ આપશે, કેન્દ્ર સરકાર દ્વારા રિઝર્વ બેંકને મળેલી જવાબદારી પ્રમાણે આરબીઆઈને રિટેલ મોંઘવારી બે ટકા વધઘટ સાથે ચાર ટકા પર જાળવી રાખવી અનિવાર્ય છે. હવે જ્યારે સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી 7.41 ટકા પર છે ત્યારે  RBI કેન્દ્ર સરકારને રિપોર્ટ રજૂ કરી તેનું કારણ આપશે. જો કે RBIના ગવર્નર લક્ષ્મીકાંતા દાસનાં જણાવ્યા પ્રમાણે આ રિપોર્ટ સંપુર્ણપણે ગુપ્ત રહેશે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.