રેશ્મા પટેલે એનસીપીમાંથી રાજીનામું આપ્યા બાદ આપમાં જોડાયા,વિરમગામથી હાર્દિક પટેલ સામે ચૂંટણી લડે તેવી શક્યતા


  • Published By :
  • Published Date : 2022-11-16 12:10:48

એનસીપી નેતા રેશ્મા પટેલે પોતાના પદેથી રાજીનામું આપ્યું 
આમ આદમી પાર્ટીમાં જોડાયા રેશ્મા પટેલ
વિરમગામથી હાર્દિક પટેલ સામે લડી શકે છે રેશ્મા પટેલ:સૂત્ર 

Reshma Patel quits BJP, says she will contest LS polls from Porbandar - The  Week

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પક્ષે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારી લિસ્ટ જાહેર થયા બાદ અનેક નેતાઓ પાર્ટીથી નારાજ થઈ પોતાની પાર્ટીને છોડી બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી સમયે પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે અને એનસીપીએ ત્રણ બેઠકો માટે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે ગોંડલથી ઉમેદવારી નોંધાવા ગયેલા એનસીપી નેતા રેશ્મા પટેલ પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા ન હતા.


ગઠબંધન થવાને કારણે ન મળી ટિકિટ  

વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણના સમીકરણો બદલાઈ રહ્યા છે. અનેક નેતાઓ પોતાના પક્ષમાંથી રાજીનામા આપી બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા એનસીપી નેતા રેશ્મા પટેલે પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસે ત્રણ બેઠકો માટે એનસીપીની સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે કોઈ પણ ઉમેદવારને મેન્ડેટ આપવામાં ન આવ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા ગયેલા રેશ્મા પટેલ ફોર્મ ભર્યા વગર પરત ફર્યા હતા.


આમ આદમી પાર્ટીમાં જોડાયા રેશ્મા પટેલ

આ ઘટનાને લઈ નારાજ થયેલ એનસીપી નેતા રેશ્મા પટેલે એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડ્યા બાદ રેશ્મા પટેલે પાર્ટી પર અનેક આક્ષેપો કર્યા હતા. પત્ર લખી રેશ્મા પટેલે કહ્યું કે એનસીપી પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી જનતા માટે કામ કર્યું છે. હું સમજું છું કે જનતાને ન્યાય અપાવવા માટે તમારી તાકાતને વધારવી પડે છે જ્યારે તાકાત વધારવાનો મોકો આવે ત્યારે રાજકીય ષડયંત્ર અને અન્યાયનો સામનો કરે પડે છે. રાજીનામું આપ્યા બાદ એવી વાતો વહેતી થઈ હતી કે રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આપમાં જોડાઈ વીરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ સામે ચૂંટણી લડી શકે છે તેવી અટકળો વહેતી થઈ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.