રેશ્મા પટેલે એનસીપીમાંથી રાજીનામું આપ્યા બાદ આપમાં જોડાયા,વિરમગામથી હાર્દિક પટેલ સામે ચૂંટણી લડે તેવી શક્યતા


  • Published By :
  • Published Date : 2022-11-16 12:10:48

એનસીપી નેતા રેશ્મા પટેલે પોતાના પદેથી રાજીનામું આપ્યું 
આમ આદમી પાર્ટીમાં જોડાયા રેશ્મા પટેલ
વિરમગામથી હાર્દિક પટેલ સામે લડી શકે છે રેશ્મા પટેલ:સૂત્ર 

Reshma Patel quits BJP, says she will contest LS polls from Porbandar - The  Week

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પક્ષે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારી લિસ્ટ જાહેર થયા બાદ અનેક નેતાઓ પાર્ટીથી નારાજ થઈ પોતાની પાર્ટીને છોડી બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી સમયે પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે અને એનસીપીએ ત્રણ બેઠકો માટે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે ગોંડલથી ઉમેદવારી નોંધાવા ગયેલા એનસીપી નેતા રેશ્મા પટેલ પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા ન હતા.


ગઠબંધન થવાને કારણે ન મળી ટિકિટ  

વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણના સમીકરણો બદલાઈ રહ્યા છે. અનેક નેતાઓ પોતાના પક્ષમાંથી રાજીનામા આપી બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા એનસીપી નેતા રેશ્મા પટેલે પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસે ત્રણ બેઠકો માટે એનસીપીની સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે કોઈ પણ ઉમેદવારને મેન્ડેટ આપવામાં ન આવ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા ગયેલા રેશ્મા પટેલ ફોર્મ ભર્યા વગર પરત ફર્યા હતા.


આમ આદમી પાર્ટીમાં જોડાયા રેશ્મા પટેલ

આ ઘટનાને લઈ નારાજ થયેલ એનસીપી નેતા રેશ્મા પટેલે એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડ્યા બાદ રેશ્મા પટેલે પાર્ટી પર અનેક આક્ષેપો કર્યા હતા. પત્ર લખી રેશ્મા પટેલે કહ્યું કે એનસીપી પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી જનતા માટે કામ કર્યું છે. હું સમજું છું કે જનતાને ન્યાય અપાવવા માટે તમારી તાકાતને વધારવી પડે છે જ્યારે તાકાત વધારવાનો મોકો આવે ત્યારે રાજકીય ષડયંત્ર અને અન્યાયનો સામનો કરે પડે છે. રાજીનામું આપ્યા બાદ એવી વાતો વહેતી થઈ હતી કે રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આપમાં જોડાઈ વીરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ સામે ચૂંટણી લડી શકે છે તેવી અટકળો વહેતી થઈ છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.