રેશ્મા પટેલે એનસીપીમાંથી રાજીનામું આપ્યા બાદ આપમાં જોડાયા,વિરમગામથી હાર્દિક પટેલ સામે ચૂંટણી લડે તેવી શક્યતા


  • Published By :
  • Published Date : 2022-11-16 12:10:48

એનસીપી નેતા રેશ્મા પટેલે પોતાના પદેથી રાજીનામું આપ્યું 
આમ આદમી પાર્ટીમાં જોડાયા રેશ્મા પટેલ
વિરમગામથી હાર્દિક પટેલ સામે લડી શકે છે રેશ્મા પટેલ:સૂત્ર 

Reshma Patel quits BJP, says she will contest LS polls from Porbandar - The  Week

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પક્ષે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારી લિસ્ટ જાહેર થયા બાદ અનેક નેતાઓ પાર્ટીથી નારાજ થઈ પોતાની પાર્ટીને છોડી બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી સમયે પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે અને એનસીપીએ ત્રણ બેઠકો માટે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે ગોંડલથી ઉમેદવારી નોંધાવા ગયેલા એનસીપી નેતા રેશ્મા પટેલ પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા ન હતા.


ગઠબંધન થવાને કારણે ન મળી ટિકિટ  

વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણના સમીકરણો બદલાઈ રહ્યા છે. અનેક નેતાઓ પોતાના પક્ષમાંથી રાજીનામા આપી બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા એનસીપી નેતા રેશ્મા પટેલે પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસે ત્રણ બેઠકો માટે એનસીપીની સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે કોઈ પણ ઉમેદવારને મેન્ડેટ આપવામાં ન આવ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા ગયેલા રેશ્મા પટેલ ફોર્મ ભર્યા વગર પરત ફર્યા હતા.


આમ આદમી પાર્ટીમાં જોડાયા રેશ્મા પટેલ

આ ઘટનાને લઈ નારાજ થયેલ એનસીપી નેતા રેશ્મા પટેલે એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડ્યા બાદ રેશ્મા પટેલે પાર્ટી પર અનેક આક્ષેપો કર્યા હતા. પત્ર લખી રેશ્મા પટેલે કહ્યું કે એનસીપી પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી જનતા માટે કામ કર્યું છે. હું સમજું છું કે જનતાને ન્યાય અપાવવા માટે તમારી તાકાતને વધારવી પડે છે જ્યારે તાકાત વધારવાનો મોકો આવે ત્યારે રાજકીય ષડયંત્ર અને અન્યાયનો સામનો કરે પડે છે. રાજીનામું આપ્યા બાદ એવી વાતો વહેતી થઈ હતી કે રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આપમાં જોડાઈ વીરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ સામે ચૂંટણી લડી શકે છે તેવી અટકળો વહેતી થઈ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.