Retail Inflation: સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધશે, મોંઘવારી 4 મહિનાની ટોચે પહોંચી


  • Published By :
  • Published Date : 2024-01-12 20:18:36

દેશમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોની મુશ્કેલી વધી છે અને હજુ પણ તેમા રાહત મળે તેવા આસાર જોવા મળતા નથી. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે મોંઘવારી વધી રહી છે. ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાને કારણે છૂટક ફુગાવો ગયા મહિને વધીને 5.69 ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત ફુગાવો નવેમ્બર, 2023માં 5.55 ટકા અને ડિસેમ્બર, 2022માં 5.72 ટકા રહ્યો હતો. અગાઉ ગત વર્ષે ઓગસ્ટમાં મોંઘવારી દર 6.83 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. આ જ કારણે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધ્યો છે, મોંઘવારીનો માર સામાન્ય માણસ પર પડી રહ્યો છે.


એક વર્ષમાં મોંઘવારી કેટલી વધી?

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)ના ડેટા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓની છૂટક ફુગાવો ડિસેમ્બર મહિનામાં વધીને 9.53 ટકા થયો હતો, જે અગાઉના મહિનામાં 8.7 ટકા હતો અને એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 4.9 ટકા હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય નીતિ સમીક્ષાની વિચારણા કરતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને ધ્યાનમાં લે છે. તેમને બે ટકાની વધ-ઘટ સાથે ફુગાવાને ચાર ટકા રાખવાની જવાબદારી સરકાર દ્વારા મળેલી છે.


નવેમ્બરમાં ત્રણ મહિનાની ટોચ પર હતી


મોંઘવારીની ડાકણ ફરી એકવાર માથું ઉંચકવા લાગી છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે નવેમ્બરમાં રિટેલ ઈન્ફ્લેશન વધીને 5.55 ટકાની ત્રણ મહિનાની ટોચે પહોંચી ગયો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પરથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવો ઓક્ટોબરમાં 4.87 ટકા હતો. જ્યારે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 5.88 ટકાના સ્તરે હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય નીતિને ધ્યાનમાં લેતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવા પર નજર રાખે છે. તેને બે ટકાના તફાવત સાથે ચાર ટકા રાખવાની જવાબદારી મળેલી છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.