Retail Inflation: સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધશે, મોંઘવારી 4 મહિનાની ટોચે પહોંચી


  • Published By :
  • Published Date : 2024-01-12 20:18:36

દેશમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોની મુશ્કેલી વધી છે અને હજુ પણ તેમા રાહત મળે તેવા આસાર જોવા મળતા નથી. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે મોંઘવારી વધી રહી છે. ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાને કારણે છૂટક ફુગાવો ગયા મહિને વધીને 5.69 ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત ફુગાવો નવેમ્બર, 2023માં 5.55 ટકા અને ડિસેમ્બર, 2022માં 5.72 ટકા રહ્યો હતો. અગાઉ ગત વર્ષે ઓગસ્ટમાં મોંઘવારી દર 6.83 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. આ જ કારણે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધ્યો છે, મોંઘવારીનો માર સામાન્ય માણસ પર પડી રહ્યો છે.


એક વર્ષમાં મોંઘવારી કેટલી વધી?

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)ના ડેટા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓની છૂટક ફુગાવો ડિસેમ્બર મહિનામાં વધીને 9.53 ટકા થયો હતો, જે અગાઉના મહિનામાં 8.7 ટકા હતો અને એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 4.9 ટકા હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય નીતિ સમીક્ષાની વિચારણા કરતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને ધ્યાનમાં લે છે. તેમને બે ટકાની વધ-ઘટ સાથે ફુગાવાને ચાર ટકા રાખવાની જવાબદારી સરકાર દ્વારા મળેલી છે.


નવેમ્બરમાં ત્રણ મહિનાની ટોચ પર હતી


મોંઘવારીની ડાકણ ફરી એકવાર માથું ઉંચકવા લાગી છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે નવેમ્બરમાં રિટેલ ઈન્ફ્લેશન વધીને 5.55 ટકાની ત્રણ મહિનાની ટોચે પહોંચી ગયો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પરથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવો ઓક્ટોબરમાં 4.87 ટકા હતો. જ્યારે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 5.88 ટકાના સ્તરે હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય નીતિને ધ્યાનમાં લેતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવા પર નજર રાખે છે. તેને બે ટકાના તફાવત સાથે ચાર ટકા રાખવાની જવાબદારી મળેલી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.