Retail Inflation: સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધશે, મોંઘવારી 4 મહિનાની ટોચે પહોંચી


  • Published By :
  • Published Date : 2024-01-12 20:18:36

દેશમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોની મુશ્કેલી વધી છે અને હજુ પણ તેમા રાહત મળે તેવા આસાર જોવા મળતા નથી. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે મોંઘવારી વધી રહી છે. ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાને કારણે છૂટક ફુગાવો ગયા મહિને વધીને 5.69 ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત ફુગાવો નવેમ્બર, 2023માં 5.55 ટકા અને ડિસેમ્બર, 2022માં 5.72 ટકા રહ્યો હતો. અગાઉ ગત વર્ષે ઓગસ્ટમાં મોંઘવારી દર 6.83 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. આ જ કારણે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધ્યો છે, મોંઘવારીનો માર સામાન્ય માણસ પર પડી રહ્યો છે.


એક વર્ષમાં મોંઘવારી કેટલી વધી?

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)ના ડેટા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓની છૂટક ફુગાવો ડિસેમ્બર મહિનામાં વધીને 9.53 ટકા થયો હતો, જે અગાઉના મહિનામાં 8.7 ટકા હતો અને એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 4.9 ટકા હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય નીતિ સમીક્ષાની વિચારણા કરતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને ધ્યાનમાં લે છે. તેમને બે ટકાની વધ-ઘટ સાથે ફુગાવાને ચાર ટકા રાખવાની જવાબદારી સરકાર દ્વારા મળેલી છે.


નવેમ્બરમાં ત્રણ મહિનાની ટોચ પર હતી


મોંઘવારીની ડાકણ ફરી એકવાર માથું ઉંચકવા લાગી છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે નવેમ્બરમાં રિટેલ ઈન્ફ્લેશન વધીને 5.55 ટકાની ત્રણ મહિનાની ટોચે પહોંચી ગયો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પરથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવો ઓક્ટોબરમાં 4.87 ટકા હતો. જ્યારે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 5.88 ટકાના સ્તરે હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય નીતિને ધ્યાનમાં લેતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવા પર નજર રાખે છે. તેને બે ટકાના તફાવત સાથે ચાર ટકા રાખવાની જવાબદારી મળેલી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.