Retail Inflation: સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધશે, મોંઘવારી 4 મહિનાની ટોચે પહોંચી


  • Published By :
  • Published Date : 2024-01-12 20:18:36

દેશમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોની મુશ્કેલી વધી છે અને હજુ પણ તેમા રાહત મળે તેવા આસાર જોવા મળતા નથી. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે મોંઘવારી વધી રહી છે. ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાને કારણે છૂટક ફુગાવો ગયા મહિને વધીને 5.69 ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત ફુગાવો નવેમ્બર, 2023માં 5.55 ટકા અને ડિસેમ્બર, 2022માં 5.72 ટકા રહ્યો હતો. અગાઉ ગત વર્ષે ઓગસ્ટમાં મોંઘવારી દર 6.83 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. આ જ કારણે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધ્યો છે, મોંઘવારીનો માર સામાન્ય માણસ પર પડી રહ્યો છે.


એક વર્ષમાં મોંઘવારી કેટલી વધી?

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)ના ડેટા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓની છૂટક ફુગાવો ડિસેમ્બર મહિનામાં વધીને 9.53 ટકા થયો હતો, જે અગાઉના મહિનામાં 8.7 ટકા હતો અને એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 4.9 ટકા હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય નીતિ સમીક્ષાની વિચારણા કરતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને ધ્યાનમાં લે છે. તેમને બે ટકાની વધ-ઘટ સાથે ફુગાવાને ચાર ટકા રાખવાની જવાબદારી સરકાર દ્વારા મળેલી છે.


નવેમ્બરમાં ત્રણ મહિનાની ટોચ પર હતી


મોંઘવારીની ડાકણ ફરી એકવાર માથું ઉંચકવા લાગી છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે નવેમ્બરમાં રિટેલ ઈન્ફ્લેશન વધીને 5.55 ટકાની ત્રણ મહિનાની ટોચે પહોંચી ગયો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પરથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવો ઓક્ટોબરમાં 4.87 ટકા હતો. જ્યારે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 5.88 ટકાના સ્તરે હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય નીતિને ધ્યાનમાં લેતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવા પર નજર રાખે છે. તેને બે ટકાના તફાવત સાથે ચાર ટકા રાખવાની જવાબદારી મળેલી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે