દેશમાં મોંઘવારીનો દર 15 મહિનાની ટોચે, છૂટક મોંઘવારી દર 7 ટકાને પાર, ખાદ્ય ચીજો 11.51 ટકા મોંઘી થઈ


  • Published By :
  • Published Date : 2023-08-14 19:21:03

દેશભરમાં મોંઘવારી આસમાને પહોંચી છે.  જૂનમાં 5 ટકાની નીચે રહેલો મોંઘવારીનો દર જુલાઈમાં ઉછળીને 7 ટકાથી ઉપર પહોંચી ગયો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ડેટાના આધારે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે છૂટક ફુગાવાના નવીનતમ ડેટા જાહેર કર્યા છે. મોંઘવારીના આ દરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 6 ટકાની મહત્તમ મર્યાદાને પાછળ છોડી દીધી છે અને તે 7 ટકાથી ઉપર પહોંચી ગયો છે. 


જુલાઈમાં રિટેલ મોંઘવારી દર વાર્ષિક ધોરણે 7.44 ટકા રહ્યો છે. છેલ્લા 15 મહિનામાં મોંઘવારીનું આ સર્વોચ્ચ સ્તર છે. જ્યારે તે RBIની 6 ટકાની મર્યાદા કરતાં 1.44 ટકા વધુ છે. નવા અપડેટ થયેલા ડેટા અનુસાર જૂનમાં છૂટક ફુગાવાનો દર 4.87 ટકા હતો. જ્યારે જુલાઈ 2022માં તે 6.71 ટકા હતો.


ખાદ્ય ચીજો 11.51% મોંઘી થઈ


છૂટક ફુગાવાની ગણતરીમાં 'કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ' સૌથી મહત્વપૂર્ણ છે, તે ખાદ્ય ચીજવસ્તુઓમાં વધતી ફુગાવો દર્શાવે છે. તે મુજબ જુલાઈમાં ખાદ્ય મોંઘવારી દર 11.51 ટકા રહ્યો છે. એટલે કે ખાદ્યપદાર્થો 11.51 ટકા મોંઘા થયા છે.


શહેરોમાં ખાદ્ય મોંઘવારી દર 12.32 ટકા રહ્યો છે ત્યારે ગામડાઓમાં પણ તે 11.04 ટકા પર પહોંચી ગયો છે. જૂન 2023માં એકંદરે ખાદ્ય ફુગાવો 4.55 ટકા હતો. જ્યારે જુલાઈ 2022માં તેનો દર 6.69 ટકા હતો. આ રીતે ખાદ્યપદાર્થો માસિક ધોરણે લગભગ 3 ગણા મોંઘા થયા છે અને વાર્ષિક ધોરણે પણ આ મોંઘવારી લગભગ બમણી થઈ ગઈ છે.


શાકભાજી-મસાલાએ જનતાનું 'તેલ' કાઢ્યું


જુલાઈના આંકડા દર્શાવે છે કે શાકભાજી અને મસાલામાં સૌથી વધુ મોંઘવારી વધી છે. જુલાઈ મહિનામાં શાકભાજી 37.34 ટકા મોંઘા થયા છે. જ્યારે મસાલાનો મોંઘવારી દર 21.63 ટકા રહ્યો છે. આ સિવાય કઠોળ અને અનાજનો મોંઘવારી દર 13 ટકાથી ઉપર રહ્યો છે. ખાદ્ય ફુગાવામાં પણ ખાસ તો શાકભાજીની મોંઘવારી અને તેમાં પણ ટામેટાંની મોંઘવારીને લીધે ફુગાવાએ ફરી માથું ઊંચક્યું છે અને રિઝર્વ બેન્કના સહનીય સ્તરને પાર થઈ ગયો છે. રિટેલ ફુગાવાના ઈન્ડેક્સમાં ફૂડ એન્ડ બેવરેજિસનો હિસ્સો 54.18 ટકા છે અને તેમાં જુલાઈમાં 10.57 ટકાનો વધારો નોંધાયો છે. ઈન્ડેક્સમાં શાકભાજીનો હિસ્સો 7.46 ટકા છે અને જુલાઈમાં તેનો ફુગાવાનો દર સૌથી વધુ 37.34 ટકા રહ્યો છે. અનાજનું વેઈટેજ 12.35 ટકા છે અને તેનો ફુગાવાનો દર 13.04 ટકા રહ્યો છે. દૂધ પણ સતત મોંઘું થઈ રહ્યું છે અને તેનો ફુગાવાનો દર 8.34 ટકા રહ્યો છે. મસાલાની મોંઘવારી પણ ઘણા મહિનાથી ઊંચા સ્તરે છે. જુલાઈમાં મસાલાનો ફુગાવો 21.63 ટકા નોંધાયો હતો, કારણ કે જીરું, હળદર, મરી, ધાણા વગેરેના ભાવ સતત વધી રહ્યાં છે. આમ, અનાજથી લઈને દૂધ અને શાકભાજીથી લઈને મસાલા એમ તમામ મોરચે મોંઘવારી પૂરજોશમાં આગળ વધી રહી છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.