દેશમાં મોંઘવારીનો દર 15 મહિનાની ટોચે, છૂટક મોંઘવારી દર 7 ટકાને પાર, ખાદ્ય ચીજો 11.51 ટકા મોંઘી થઈ


  • Published By :
  • Published Date : 2023-08-14 19:21:03

દેશભરમાં મોંઘવારી આસમાને પહોંચી છે.  જૂનમાં 5 ટકાની નીચે રહેલો મોંઘવારીનો દર જુલાઈમાં ઉછળીને 7 ટકાથી ઉપર પહોંચી ગયો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ડેટાના આધારે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે છૂટક ફુગાવાના નવીનતમ ડેટા જાહેર કર્યા છે. મોંઘવારીના આ દરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 6 ટકાની મહત્તમ મર્યાદાને પાછળ છોડી દીધી છે અને તે 7 ટકાથી ઉપર પહોંચી ગયો છે. 


જુલાઈમાં રિટેલ મોંઘવારી દર વાર્ષિક ધોરણે 7.44 ટકા રહ્યો છે. છેલ્લા 15 મહિનામાં મોંઘવારીનું આ સર્વોચ્ચ સ્તર છે. જ્યારે તે RBIની 6 ટકાની મર્યાદા કરતાં 1.44 ટકા વધુ છે. નવા અપડેટ થયેલા ડેટા અનુસાર જૂનમાં છૂટક ફુગાવાનો દર 4.87 ટકા હતો. જ્યારે જુલાઈ 2022માં તે 6.71 ટકા હતો.


ખાદ્ય ચીજો 11.51% મોંઘી થઈ


છૂટક ફુગાવાની ગણતરીમાં 'કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ' સૌથી મહત્વપૂર્ણ છે, તે ખાદ્ય ચીજવસ્તુઓમાં વધતી ફુગાવો દર્શાવે છે. તે મુજબ જુલાઈમાં ખાદ્ય મોંઘવારી દર 11.51 ટકા રહ્યો છે. એટલે કે ખાદ્યપદાર્થો 11.51 ટકા મોંઘા થયા છે.


શહેરોમાં ખાદ્ય મોંઘવારી દર 12.32 ટકા રહ્યો છે ત્યારે ગામડાઓમાં પણ તે 11.04 ટકા પર પહોંચી ગયો છે. જૂન 2023માં એકંદરે ખાદ્ય ફુગાવો 4.55 ટકા હતો. જ્યારે જુલાઈ 2022માં તેનો દર 6.69 ટકા હતો. આ રીતે ખાદ્યપદાર્થો માસિક ધોરણે લગભગ 3 ગણા મોંઘા થયા છે અને વાર્ષિક ધોરણે પણ આ મોંઘવારી લગભગ બમણી થઈ ગઈ છે.


શાકભાજી-મસાલાએ જનતાનું 'તેલ' કાઢ્યું


જુલાઈના આંકડા દર્શાવે છે કે શાકભાજી અને મસાલામાં સૌથી વધુ મોંઘવારી વધી છે. જુલાઈ મહિનામાં શાકભાજી 37.34 ટકા મોંઘા થયા છે. જ્યારે મસાલાનો મોંઘવારી દર 21.63 ટકા રહ્યો છે. આ સિવાય કઠોળ અને અનાજનો મોંઘવારી દર 13 ટકાથી ઉપર રહ્યો છે. ખાદ્ય ફુગાવામાં પણ ખાસ તો શાકભાજીની મોંઘવારી અને તેમાં પણ ટામેટાંની મોંઘવારીને લીધે ફુગાવાએ ફરી માથું ઊંચક્યું છે અને રિઝર્વ બેન્કના સહનીય સ્તરને પાર થઈ ગયો છે. રિટેલ ફુગાવાના ઈન્ડેક્સમાં ફૂડ એન્ડ બેવરેજિસનો હિસ્સો 54.18 ટકા છે અને તેમાં જુલાઈમાં 10.57 ટકાનો વધારો નોંધાયો છે. ઈન્ડેક્સમાં શાકભાજીનો હિસ્સો 7.46 ટકા છે અને જુલાઈમાં તેનો ફુગાવાનો દર સૌથી વધુ 37.34 ટકા રહ્યો છે. અનાજનું વેઈટેજ 12.35 ટકા છે અને તેનો ફુગાવાનો દર 13.04 ટકા રહ્યો છે. દૂધ પણ સતત મોંઘું થઈ રહ્યું છે અને તેનો ફુગાવાનો દર 8.34 ટકા રહ્યો છે. મસાલાની મોંઘવારી પણ ઘણા મહિનાથી ઊંચા સ્તરે છે. જુલાઈમાં મસાલાનો ફુગાવો 21.63 ટકા નોંધાયો હતો, કારણ કે જીરું, હળદર, મરી, ધાણા વગેરેના ભાવ સતત વધી રહ્યાં છે. આમ, અનાજથી લઈને દૂધ અને શાકભાજીથી લઈને મસાલા એમ તમામ મોરચે મોંઘવારી પૂરજોશમાં આગળ વધી રહી છે.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.