લોકોને મોંઘવારીથી નહીં મળે રાહત, ઓગસ્ટમાં છૂટક ફૂગાવો વધીને 7 ટકા થયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 20:06:10

સરકારે ઓગસ્ટ 2022ની છૂટક મોંઘવારીના આંકડા જાહેર કર્યાં છે. ગયા મહિને ઓગસ્ટમાં મોંઘવારી વધી છે. છેલ્લા મહિનામાં છૂટક મોંઘવારી વધી છે. ઓગસ્ટમાં રિટેલ ફુગાવો વધીને 7 ટકા થયો હતો. અગાઉ તે જુલાઈ 2022માં 6.71 ટકા હતો. આમ, ફુગાવાનો દર સળંગ આઠમા મહિને આરબીઆઈના સંતોષકારક સ્તરથી ઉપર રહ્યો છે. આરબીઆઈએ મોંઘવારી દર માટે 2 થી 6 ટકાનું સંતોષકારક સ્તર આપ્યું છે. ઓગસ્ટ મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી ખુબ વધી હતી. આ રીતે જોવા જઈએ તો છૂટક મોંઘવારીમાં 0.28 પોઈન્ટનો વધારો થયો છે. 


શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા


ગયા મહિને ખાદ્ય ફુગાવો 7.62 ટકા હતો. જુલાઈ 2022માં તે 6.75 ટકા હતો. ઓગસ્ટમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ઓગસ્ટમાં શાકભાજીનો મોંઘવારી દર 13.23 ટકા રહ્યો હતો.



ખાદ્ય તેલોમાં ઘટાડો પણ અનાજમાં વધારો


ઓગસ્ટમાં ખાદ્યતેલોના સરેરાશ ભાવમાં ઘટાડો થયો હતો. સરકાર દ્વારા આયાત ડ્યૂટીમાં ઘટાડો અને વૈશ્વિક ભાવમાં ઘટાડો થવાને કારણે ખાદ્યતેલોના ભાવ ઘટ્યા હતા. જ્યારે કઠોળ, ચોખા અને ઘઉં જેવા મુખ્ય ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં વધારો થયો છે. રેકોર્ડ હીટવેવને કારણે આ કિંમતોમાં વધારો થયો છે. ખાદ્ય મોંઘવારી વધવા માટે આ મુખ્ય કારણોમાંનું એક હતું.


ઓગસ્ટમાં શહેરી અને ગ્રામીણ બન્નેમાં ખાદ્ય મોંઘવારી વધી 


જુલાઈમાં શહેરી વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી 7.55 ટકા રહી હતી જ્યારે ઓગસ્ટ 2021માં શહેરી વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી દર 3.28 ટકા હતો. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્યાન્ન મોંઘવારી 7.60 ટકા રહ્યો છે, જે જુલાઈમાં 6.73 ટકા હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્યાન્ન મોંઘવારી 3.08 ટકા રહી હતી.


ઔદ્યોગિક ઉત્પાદનનો ગ્રોથ રેટ ધીમો પડ્યો


ઔદ્યોગિક ઉત્પાદનનો ગ્રોથ રેટ જુલાઈમાં સુસ્ત રહ્યો છે. દેશમાં જુલાઈ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 2.4 ટકાના દરથી વધ્યો છે. એક વર્ષ પહેલા જુલાઈ 2021 દરમિયાન IIPમાં 11.5 ટકાની વૃધ્ધી થઈ હતી. નેશનલ સ્ટેટીસ્ટીકલ કમિશન (NSO) દ્વારા સોમવારે  જાહેર કરાયેલા ઔદ્યોગિક ઉત્પાદન ઈન્ડેક્સ (IIP)ના આંકડાથી આ જાણકારી મળે છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.