રિટાયર્ડ પ્રોફેસરને દોહા બોલતા-બોલતા આવ્યો એટેક, થયું મોત


  • Published By :
  • Published Date : 2022-10-23 16:54:24

બિહારના છપરામાં રામકથા દરમિયાન સ્ટેજ પર સંચાલકના મોતનો લાઈવ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શનિવારે છપરાના મંદિરમાં હનુમાન જયંતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. યૂટ્યુબ પર તેની લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહી હતી. આ દરમિયાન એક રિટાયર્ડ પ્રોફેસર રણંજય સિંહ સ્ટેજ પર ચક્કર ખાઈને પડી જાય છે. હોસ્પિલમાં લઈ જવા દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. ડોક્ટરે જણાવ્યું હતું કે પ્રોફેસરને એટેક આવ્યો હતો જેના કારણે તેમનું નિધન થઈ ગયું હતું. 


દોહા ગાતા-ગાતા અંતિમ શ્વાસ લીધા

પ્રોફેસર રણંજય કથા સંભળાવનારા સંતના સન્માનમાં દોહો ગાઈ રહ્યા હતા. તેમના દોહાની અંતિમ લાઈન હતી, બિછુરત એક પ્રાન હરી લેહી. મિલત એક દુખ દારુન દેહી. જેનો અર્થ થાય છે સંત છોડીને જાય છે તો પ્રાણ લઈ લેય છે અને અસંતના જવા પર દુખ આપે છે. બોલતા બોલતા જ તે ચક્કર ખાઈને જમીન પર પડી ગયા હતા. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


હનુમાન જયંતી 55 વર્ષથી યોજાય છે

પ્રોફેસર રણંજય સિંહ છપરાના જગદંબા કોલેજના રિટાયર્ડ પ્રિન્સિપાલ હતા. તેઓ મૂળ કોઠિયા ગામના રહેવાવાળા હતા. હનુમાન જયંતી સમારોહના સભ્યએ જણાવ્યું હતું કે માનસ મંદિરમાં ગત 55 વર્ષથી હનુમાન જયંતી સમારોહ મનાવાય છે. આ વર્ષે પણ આ કાર્યક્રમ 13 ઓક્ટોબરે શરૂ કર્યો હતો. શનિવારે અયોધ્યાના સંત રત્નેશ્વરજી મહારાજના પ્રવચન થયું હતું.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે