રિટાયર્ડ પ્રોફેસરને દોહા બોલતા-બોલતા આવ્યો એટેક, થયું મોત


  • Published By :
  • Published Date : 2022-10-23 16:54:24

બિહારના છપરામાં રામકથા દરમિયાન સ્ટેજ પર સંચાલકના મોતનો લાઈવ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શનિવારે છપરાના મંદિરમાં હનુમાન જયંતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. યૂટ્યુબ પર તેની લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહી હતી. આ દરમિયાન એક રિટાયર્ડ પ્રોફેસર રણંજય સિંહ સ્ટેજ પર ચક્કર ખાઈને પડી જાય છે. હોસ્પિલમાં લઈ જવા દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. ડોક્ટરે જણાવ્યું હતું કે પ્રોફેસરને એટેક આવ્યો હતો જેના કારણે તેમનું નિધન થઈ ગયું હતું. 


દોહા ગાતા-ગાતા અંતિમ શ્વાસ લીધા

પ્રોફેસર રણંજય કથા સંભળાવનારા સંતના સન્માનમાં દોહો ગાઈ રહ્યા હતા. તેમના દોહાની અંતિમ લાઈન હતી, બિછુરત એક પ્રાન હરી લેહી. મિલત એક દુખ દારુન દેહી. જેનો અર્થ થાય છે સંત છોડીને જાય છે તો પ્રાણ લઈ લેય છે અને અસંતના જવા પર દુખ આપે છે. બોલતા બોલતા જ તે ચક્કર ખાઈને જમીન પર પડી ગયા હતા. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


હનુમાન જયંતી 55 વર્ષથી યોજાય છે

પ્રોફેસર રણંજય સિંહ છપરાના જગદંબા કોલેજના રિટાયર્ડ પ્રિન્સિપાલ હતા. તેઓ મૂળ કોઠિયા ગામના રહેવાવાળા હતા. હનુમાન જયંતી સમારોહના સભ્યએ જણાવ્યું હતું કે માનસ મંદિરમાં ગત 55 વર્ષથી હનુમાન જયંતી સમારોહ મનાવાય છે. આ વર્ષે પણ આ કાર્યક્રમ 13 ઓક્ટોબરે શરૂ કર્યો હતો. શનિવારે અયોધ્યાના સંત રત્નેશ્વરજી મહારાજના પ્રવચન થયું હતું.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.