રિટાયર્ડ પ્રોફેસરને દોહા બોલતા-બોલતા આવ્યો એટેક, થયું મોત


  • Published By :
  • Published Date : 2022-10-23 16:54:24

બિહારના છપરામાં રામકથા દરમિયાન સ્ટેજ પર સંચાલકના મોતનો લાઈવ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શનિવારે છપરાના મંદિરમાં હનુમાન જયંતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. યૂટ્યુબ પર તેની લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહી હતી. આ દરમિયાન એક રિટાયર્ડ પ્રોફેસર રણંજય સિંહ સ્ટેજ પર ચક્કર ખાઈને પડી જાય છે. હોસ્પિલમાં લઈ જવા દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. ડોક્ટરે જણાવ્યું હતું કે પ્રોફેસરને એટેક આવ્યો હતો જેના કારણે તેમનું નિધન થઈ ગયું હતું. 


દોહા ગાતા-ગાતા અંતિમ શ્વાસ લીધા

પ્રોફેસર રણંજય કથા સંભળાવનારા સંતના સન્માનમાં દોહો ગાઈ રહ્યા હતા. તેમના દોહાની અંતિમ લાઈન હતી, બિછુરત એક પ્રાન હરી લેહી. મિલત એક દુખ દારુન દેહી. જેનો અર્થ થાય છે સંત છોડીને જાય છે તો પ્રાણ લઈ લેય છે અને અસંતના જવા પર દુખ આપે છે. બોલતા બોલતા જ તે ચક્કર ખાઈને જમીન પર પડી ગયા હતા. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


હનુમાન જયંતી 55 વર્ષથી યોજાય છે

પ્રોફેસર રણંજય સિંહ છપરાના જગદંબા કોલેજના રિટાયર્ડ પ્રિન્સિપાલ હતા. તેઓ મૂળ કોઠિયા ગામના રહેવાવાળા હતા. હનુમાન જયંતી સમારોહના સભ્યએ જણાવ્યું હતું કે માનસ મંદિરમાં ગત 55 વર્ષથી હનુમાન જયંતી સમારોહ મનાવાય છે. આ વર્ષે પણ આ કાર્યક્રમ 13 ઓક્ટોબરે શરૂ કર્યો હતો. શનિવારે અયોધ્યાના સંત રત્નેશ્વરજી મહારાજના પ્રવચન થયું હતું.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .