રિટાયર્ડ પ્રોફેસરને દોહા બોલતા-બોલતા આવ્યો એટેક, થયું મોત


  • Published By :
  • Published Date : 2022-10-23 16:54:24

બિહારના છપરામાં રામકથા દરમિયાન સ્ટેજ પર સંચાલકના મોતનો લાઈવ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શનિવારે છપરાના મંદિરમાં હનુમાન જયંતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. યૂટ્યુબ પર તેની લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહી હતી. આ દરમિયાન એક રિટાયર્ડ પ્રોફેસર રણંજય સિંહ સ્ટેજ પર ચક્કર ખાઈને પડી જાય છે. હોસ્પિલમાં લઈ જવા દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. ડોક્ટરે જણાવ્યું હતું કે પ્રોફેસરને એટેક આવ્યો હતો જેના કારણે તેમનું નિધન થઈ ગયું હતું. 


દોહા ગાતા-ગાતા અંતિમ શ્વાસ લીધા

પ્રોફેસર રણંજય કથા સંભળાવનારા સંતના સન્માનમાં દોહો ગાઈ રહ્યા હતા. તેમના દોહાની અંતિમ લાઈન હતી, બિછુરત એક પ્રાન હરી લેહી. મિલત એક દુખ દારુન દેહી. જેનો અર્થ થાય છે સંત છોડીને જાય છે તો પ્રાણ લઈ લેય છે અને અસંતના જવા પર દુખ આપે છે. બોલતા બોલતા જ તે ચક્કર ખાઈને જમીન પર પડી ગયા હતા. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


હનુમાન જયંતી 55 વર્ષથી યોજાય છે

પ્રોફેસર રણંજય સિંહ છપરાના જગદંબા કોલેજના રિટાયર્ડ પ્રિન્સિપાલ હતા. તેઓ મૂળ કોઠિયા ગામના રહેવાવાળા હતા. હનુમાન જયંતી સમારોહના સભ્યએ જણાવ્યું હતું કે માનસ મંદિરમાં ગત 55 વર્ષથી હનુમાન જયંતી સમારોહ મનાવાય છે. આ વર્ષે પણ આ કાર્યક્રમ 13 ઓક્ટોબરે શરૂ કર્યો હતો. શનિવારે અયોધ્યાના સંત રત્નેશ્વરજી મહારાજના પ્રવચન થયું હતું.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.