તેલંગાણામાં કોંગ્રેસને જીતાડનારા રેવંત રેડ્ડી બનશે રાજ્યના નવા CM, 7 ડિસેમ્બરે લેશે શપથ


  • Published By :
  • Published Date : 2023-12-05 21:21:00

તેલંગાણામાં કોંગ્રેસને જીત અપાવનાર રેવંત રેડ્ડી રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રી પદ માટે તેઓ 7 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે શપથ લેશે. કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે તેલંગાણા વિધાનસભા પક્ષના નવા મુખ્યમંત્રી તરીકે રેવંત રેડ્ડીના નામને મંજૂરી આપી દીધી છે. તેઓ રાજ્યના નવા મુખ્યમંત્રી હશે. તેલંગાણાના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 7 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે યોજાશે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઉત્તમકુમાર રેડ્ડી અને ભટ્ટી વિક્રમાર્કને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે, કે પછી તેમણે કોઈ મોટું પદ આપવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે તેલંગાણામાં રોટેશનના આધારે મુખ્યમંત્રી બનાવવાનો ફોર્મૂલા લાગુ નહીં થાય.


હૈદરાબાદમાં CLP બેઠકમાં સર્વસંમતીથી લેવાયો નિર્ણય


રેવંત રેડ્ડી મુખ્યમંત્રી બનશે તે પહેલાથી જ નિશ્ચિત મનાતું હતું, જેના પર પાર્ટીએ હવે મહોર મારી દીધી છે. આ પહેલા હૈદરાબાદમાં CLP બેઠકમાં સર્વસહમતિથી નિર્ણય લેવાયો હતો અને મુખ્યમંત્રી નિયુક્ત કરવાનો અંતિમ નિર્ણય હાઈકમાન પર છોડી દેવાયો હતો. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે- કોંગ્રેસ અધ્યક્ષે તેલંગાણા ધારાસભ્ય દળના નવા CLP તરીકે રેવંત રેડ્ડીની પસંદગી કરી છે. રેવંત રેડ્ડી પીસીસી અધ્યક્ષના પદ પર કાર્યરત છે.


કોણ છે રેવંત રેડ્ડી?


કોંગ્રેસ તરફથી સૌથી મોટા દાવેદાર તરીકે જે નામની ચર્ચા થઈ રહી હતી તે છે રેવંત રેડ્ડી. હાલમાં રેવન્ત રેડ્ડી તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ એકમના પ્રમુખ પદે છે. તેમનો જન્મ 8 નવેમ્બર 1967ના રોજ અવિભાજિત આંધ્ર પ્રદેશમાં કોંડારેડ્ડી પલ્લી, નગરકુર્નૂલ નામના સ્થળે થયો હતો. રેવંત રેડ્ડીના પિતાનું નામ અનુમુલા નરસિમ્હા રેડ્ડી અને માતાનું નામ અનુમુલા રામચંદ્રમ્મા છે. તેમણે હૈદરાબાદમાં A.V.કોલેજ  (ઓસ્માનિયા યુનિવર્સિટી) માં અભ્યાસ કર્યો હતો. તેમણે A.V.કોલેજમાંથી ફાઇન આર્ટ્સમાં સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. આ પછી રેવંતે પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું.


7 મે 1992ના રોજ, રેવંતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી જયપાલ રેડ્ડીની ભત્રીજી અનુમુલા ગીતા સાથે લગ્ન કર્યા હતા. જોકે, કરિયરની પસંદગીના કારણે શરૂઆતમાં પરિવારના સભ્યો આ સંબંધની વિરુદ્ધ હતા. બાદમાં પરિવાર સંમત થયા અને તેમણે ગીતા સાથે વૈવાહિક સંબંધો શરૂઆત કરી હતી. હાલ તેમને ન્યામિષા નામની પુત્રી છે.


લગ્ન બાદ કોંગ્રેસ સાંસદ રેવંતની રાજકીય સફર શરૂ થાય છે, જેની કહાણી પણ રસપ્રદ છે. વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ આરએસએસના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા હતા. તેમણે 2006 માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે સ્થાનિક સંસ્થાની ચૂંટણી લડી હતી અને મિડજિલ મંડળમાંથી જિલ્લા પરિષદ પ્રાદેશિક સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા હતા.


આ પછી, 2007 માં, ફક્ત અપક્ષ ઉમેદવાર તરીકે આંધ્ર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. આ કાર્યકાળ દરમિયાન તેઓ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા એન. ચંદ્રબાબુ નાયડુ અને આખરે તેઓ પાર્ટીનો એક ભાગ બન્યા હતા. 2009 માં, રેવંતે ટીડીપીની ટિકિટ પર તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી અને 6,989 મતોથી જીતી હતી. કોડંગલ સીટ પરથી ચૂંટણી લડનાર રેવંતે પાંચ વખત કોંગ્રેસના ધારાસભ્ય રહેલા ગુરુનાથ રેડ્ડીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.