મહેસૂલ પંચે જંગલેશ્વરમાં દબાણો મુક્ત કરવા મંજૂરી આપી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-31 17:49:35

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

Rajkot Demolition Drive: Rajkot Jangleshwar Demolition Drive Leaves 1,400  Families Homeless, Residents Demand Rehabilitation, ETRealty

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન પાર્ટ 2નો રસ્તો ખુલી ચુક્યો છે. હવે , ૪૦૦ કરોડની ૧,૦૫,૮૦૦ ચોરસ મીટરની જમીન પર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. થોડાક સમય અગાઉ , રાજકોટ કલેકટર હસ્તગતની , ૧ લાખ ચોરસ મીટરથી વધુ જગ્યાને દબાણ મુક્ત કરાવવા માટે રાજકોટ પૂર્વના મામલતદાર દ્વારા જમીન મહેસુલ કાયદાની કલમ ૬૧ હેઠળ ૧૩૫૮ આસામીઓને કલમ ૨૦૨ મુજબ નોટીસ ફટકારવામાં આવી હતી. જે પછી , આ રહીશોએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા . આ પછી , ૨જી ફેબ્રુઆરીના રોજ હાઇકોર્ટે ડિમોલિશન પર  ૩ મહિના માટેનો સ્ટે આપ્યો હતો. અરજદારોને આ ટ્રીબ્યુનલ પંચમાં જવા માટે અને મહેસુલ પંચ દ્વારા ૯૦ દિવસમાં નિર્ણય લેવામાં આવે તે માટેનો ચુકાદો હાઇકોર્ટે આપ્યો હતો. આ પછી આ કેસમાં મહેસુલ પંચ સમક્ષ સરકાર પક્ષ અને ત્યાં દબાણકરીને રહેતા લોકો તરફથી દલીલો કરવામાં આવી હતી. હવે રેવેન્યુ ટ્રીબ્યુનલ કોર્ટે ચુકાદો આપી દીધો છે, જે અંતર્ગત દબાણકર્તાઓની જે અરજી છે તેને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત , રાજકોટ પૂર્વના મામલતદારનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે. તો થોડાક સમય અગાઉ , રાજકોટ કોર્પોરેશને  જંગલેશ્વર ખાતે જમીન દબાણમુક્ત કરવા માટે ૧૫૦૦ જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું . આ કામગીરી અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં ૧૪૮૭ મકાન ઉપર બુલડોઝર ફેરવી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સૌથી મોટુ ઓપરેશન ડિમોલીશન કરી ૮૭૦૦૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.  તે પછી કલેક્ટર તંત્રની ૧,૦૫,૮૦૦ ચોરસ મીટર જમીનમાં ડિમોલીશન પૂર્વે હાઈકોર્ટે ૩ મહિનાનો સમય આપી કેસ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલને તબદીલ કરવામાં આવ્યો હતો અને હવે રેવેન્યુ ટ્રીબ્યુનલએ ચુકાદો આપી દીધો છે. 

Rajkot Demolition Aji Area | Jungleshwar Drive Enters Day 2

ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જંગલેશ્વરમાં ડિમોલીશન સામે અસરગ્રસ્તોએ છ કેસ દાખલ કર્યા હતા. તેમાં પાંચ કેસમાં આધાર-પુરાવા રજુ કરતા આ તમામ કેસને ભેગા કરી દેવામાં આવ્યા છે. એક પખવાડિયા પહેલા આ કેસમાં બે વખત મુદત પડી હતી. રેવેન્યુ ટ્રિબ્યુનલમાં કેસ ફટાફટ ચાલતા હાઈકોર્ટની ૯૦ દિવસની મુદત પહેલા જ કેસનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. હવે , રાજકોટના જંગલેશ્વર ખાતે ૧૩૫૮ મકાનો પર ગમે ત્યારે બુલડોઝર ફરી શકે છે.




ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.