ચોખાની નિકાસ પર ભારતના પ્રતિબંધથી હાહાકાર, દુનિયાભરમાં ભાવ 12 વર્ષની ટોચ પર પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-08-06 15:26:41

ભારતે તાજેતરમાં બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાં ચોખાના વધતા ભાવને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. પરંતુ તેના કારણે વિશ્વભરમાં ચોખાના ભાવમાં ભારે વધારો થયો છે. યુએનની ખાદ્ય એજન્સી FAO અનુસાર, ચોખાનો પ્રાઈઝ ઈન્ડેક્સ જુલાઈમાં 2.8 ટકાના વધારા સાથે 12 વર્ષની ટોચે પહોંચી ગયો છે. ગયા વર્ષના જુલાઈની સરખામણીએ તેમાં 20 ટકાનો વધારો થયો છે અને સપ્ટેમ્બર 2011 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. મજબૂત માંગ અને ભારતના પ્રતિબંધને કારણે ચોખાના ભાવમાં વધારો થયો છે. ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર છે. વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા છે.


અમેરિકામાં હાહાકાર


ભારતે ગયા મહિને બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. ભારત ઉપરાંત થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા અને પાકિસ્તાન ચોખાના મોટા નિકાસકારો છે. ચીન, ફિલિપાઈન્સ, બેનિન, સેનેગલ, નાઈજીરીયા અને મલેશિયા ચોખાની આયાત કરતા મુખ્ય દેશો છે. ભારતીય ચોખા પર પ્રતિબંધના કારણે અમેરિકામાં હાહાકાર મચી ગયો હતો. મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો ત્યાં રહે છે અને પ્રતિબંધના સમાચાર સાંભળીને, તેઓ ચોખા ખરીદવા માટે દુકાનો પર ઉમટી પડ્યા હતા.


5 કરોડ લોકોને મુશ્કેલી


આફ્રિકાના ઘણા ગરીબ દેશો અનાજના પુરવઠા માટે રશિયા અને યુક્રેન પર નિર્ભર છે. યુદ્ધ પહેલા, યુક્રેન વિશ્વનો પાંચમો સૌથી મોટો ઘઉંનો નિકાસકાર હતો. વૈશ્વિક નિકાસમાં તેનો હિસ્સો 10 ટકા હતો. તે ઉપરાંત, યુક્રેન જવ, મકાઈ અને સરસવમાં ટોચના ત્રણ નિકાસકાર છે. પૂર્વ આફ્રિકાના અનાજની આયાતમાં રશિયા અને યુક્રેનનો હિસ્સો 80 ટકા છે. ભારતના નિકાસ પ્રતિબંધથી ખાસ કરીને આ દેશોમાં પાંચ કરોડ લોકો ભૂખે મરે તેવી સ્થિતી સર્જાઈ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.