ચોખાની નિકાસ પર ભારતના પ્રતિબંધથી હાહાકાર, દુનિયાભરમાં ભાવ 12 વર્ષની ટોચ પર પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-08-06 15:26:41

ભારતે તાજેતરમાં બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાં ચોખાના વધતા ભાવને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. પરંતુ તેના કારણે વિશ્વભરમાં ચોખાના ભાવમાં ભારે વધારો થયો છે. યુએનની ખાદ્ય એજન્સી FAO અનુસાર, ચોખાનો પ્રાઈઝ ઈન્ડેક્સ જુલાઈમાં 2.8 ટકાના વધારા સાથે 12 વર્ષની ટોચે પહોંચી ગયો છે. ગયા વર્ષના જુલાઈની સરખામણીએ તેમાં 20 ટકાનો વધારો થયો છે અને સપ્ટેમ્બર 2011 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. મજબૂત માંગ અને ભારતના પ્રતિબંધને કારણે ચોખાના ભાવમાં વધારો થયો છે. ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર છે. વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા છે.


અમેરિકામાં હાહાકાર


ભારતે ગયા મહિને બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. ભારત ઉપરાંત થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા અને પાકિસ્તાન ચોખાના મોટા નિકાસકારો છે. ચીન, ફિલિપાઈન્સ, બેનિન, સેનેગલ, નાઈજીરીયા અને મલેશિયા ચોખાની આયાત કરતા મુખ્ય દેશો છે. ભારતીય ચોખા પર પ્રતિબંધના કારણે અમેરિકામાં હાહાકાર મચી ગયો હતો. મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો ત્યાં રહે છે અને પ્રતિબંધના સમાચાર સાંભળીને, તેઓ ચોખા ખરીદવા માટે દુકાનો પર ઉમટી પડ્યા હતા.


5 કરોડ લોકોને મુશ્કેલી


આફ્રિકાના ઘણા ગરીબ દેશો અનાજના પુરવઠા માટે રશિયા અને યુક્રેન પર નિર્ભર છે. યુદ્ધ પહેલા, યુક્રેન વિશ્વનો પાંચમો સૌથી મોટો ઘઉંનો નિકાસકાર હતો. વૈશ્વિક નિકાસમાં તેનો હિસ્સો 10 ટકા હતો. તે ઉપરાંત, યુક્રેન જવ, મકાઈ અને સરસવમાં ટોચના ત્રણ નિકાસકાર છે. પૂર્વ આફ્રિકાના અનાજની આયાતમાં રશિયા અને યુક્રેનનો હિસ્સો 80 ટકા છે. ભારતના નિકાસ પ્રતિબંધથી ખાસ કરીને આ દેશોમાં પાંચ કરોડ લોકો ભૂખે મરે તેવી સ્થિતી સર્જાઈ છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.