ચોખાની નિકાસ પર ભારતના પ્રતિબંધથી હાહાકાર, દુનિયાભરમાં ભાવ 12 વર્ષની ટોચ પર પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-08-06 15:26:41

ભારતે તાજેતરમાં બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાં ચોખાના વધતા ભાવને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. પરંતુ તેના કારણે વિશ્વભરમાં ચોખાના ભાવમાં ભારે વધારો થયો છે. યુએનની ખાદ્ય એજન્સી FAO અનુસાર, ચોખાનો પ્રાઈઝ ઈન્ડેક્સ જુલાઈમાં 2.8 ટકાના વધારા સાથે 12 વર્ષની ટોચે પહોંચી ગયો છે. ગયા વર્ષના જુલાઈની સરખામણીએ તેમાં 20 ટકાનો વધારો થયો છે અને સપ્ટેમ્બર 2011 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. મજબૂત માંગ અને ભારતના પ્રતિબંધને કારણે ચોખાના ભાવમાં વધારો થયો છે. ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર છે. વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા છે.


અમેરિકામાં હાહાકાર


ભારતે ગયા મહિને બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. ભારત ઉપરાંત થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા અને પાકિસ્તાન ચોખાના મોટા નિકાસકારો છે. ચીન, ફિલિપાઈન્સ, બેનિન, સેનેગલ, નાઈજીરીયા અને મલેશિયા ચોખાની આયાત કરતા મુખ્ય દેશો છે. ભારતીય ચોખા પર પ્રતિબંધના કારણે અમેરિકામાં હાહાકાર મચી ગયો હતો. મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો ત્યાં રહે છે અને પ્રતિબંધના સમાચાર સાંભળીને, તેઓ ચોખા ખરીદવા માટે દુકાનો પર ઉમટી પડ્યા હતા.


5 કરોડ લોકોને મુશ્કેલી


આફ્રિકાના ઘણા ગરીબ દેશો અનાજના પુરવઠા માટે રશિયા અને યુક્રેન પર નિર્ભર છે. યુદ્ધ પહેલા, યુક્રેન વિશ્વનો પાંચમો સૌથી મોટો ઘઉંનો નિકાસકાર હતો. વૈશ્વિક નિકાસમાં તેનો હિસ્સો 10 ટકા હતો. તે ઉપરાંત, યુક્રેન જવ, મકાઈ અને સરસવમાં ટોચના ત્રણ નિકાસકાર છે. પૂર્વ આફ્રિકાના અનાજની આયાતમાં રશિયા અને યુક્રેનનો હિસ્સો 80 ટકા છે. ભારતના નિકાસ પ્રતિબંધથી ખાસ કરીને આ દેશોમાં પાંચ કરોડ લોકો ભૂખે મરે તેવી સ્થિતી સર્જાઈ છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .