ચોખાની નિકાસ પર ભારતના પ્રતિબંધથી હાહાકાર, દુનિયાભરમાં ભાવ 12 વર્ષની ટોચ પર પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-08-06 15:26:41

ભારતે તાજેતરમાં બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાં ચોખાના વધતા ભાવને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. પરંતુ તેના કારણે વિશ્વભરમાં ચોખાના ભાવમાં ભારે વધારો થયો છે. યુએનની ખાદ્ય એજન્સી FAO અનુસાર, ચોખાનો પ્રાઈઝ ઈન્ડેક્સ જુલાઈમાં 2.8 ટકાના વધારા સાથે 12 વર્ષની ટોચે પહોંચી ગયો છે. ગયા વર્ષના જુલાઈની સરખામણીએ તેમાં 20 ટકાનો વધારો થયો છે અને સપ્ટેમ્બર 2011 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. મજબૂત માંગ અને ભારતના પ્રતિબંધને કારણે ચોખાના ભાવમાં વધારો થયો છે. ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર છે. વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા છે.


અમેરિકામાં હાહાકાર


ભારતે ગયા મહિને બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. ભારત ઉપરાંત થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા અને પાકિસ્તાન ચોખાના મોટા નિકાસકારો છે. ચીન, ફિલિપાઈન્સ, બેનિન, સેનેગલ, નાઈજીરીયા અને મલેશિયા ચોખાની આયાત કરતા મુખ્ય દેશો છે. ભારતીય ચોખા પર પ્રતિબંધના કારણે અમેરિકામાં હાહાકાર મચી ગયો હતો. મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો ત્યાં રહે છે અને પ્રતિબંધના સમાચાર સાંભળીને, તેઓ ચોખા ખરીદવા માટે દુકાનો પર ઉમટી પડ્યા હતા.


5 કરોડ લોકોને મુશ્કેલી


આફ્રિકાના ઘણા ગરીબ દેશો અનાજના પુરવઠા માટે રશિયા અને યુક્રેન પર નિર્ભર છે. યુદ્ધ પહેલા, યુક્રેન વિશ્વનો પાંચમો સૌથી મોટો ઘઉંનો નિકાસકાર હતો. વૈશ્વિક નિકાસમાં તેનો હિસ્સો 10 ટકા હતો. તે ઉપરાંત, યુક્રેન જવ, મકાઈ અને સરસવમાં ટોચના ત્રણ નિકાસકાર છે. પૂર્વ આફ્રિકાના અનાજની આયાતમાં રશિયા અને યુક્રેનનો હિસ્સો 80 ટકા છે. ભારતના નિકાસ પ્રતિબંધથી ખાસ કરીને આ દેશોમાં પાંચ કરોડ લોકો ભૂખે મરે તેવી સ્થિતી સર્જાઈ છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.