ખરીફ સિઝનમાં ડાંગરની વાવણી ઓછી થઈ, ચોખાનું ઉત્પાદન 60-70 લાખ ટન ઘટશે તો ભાવ વધશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 18:34:09

મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશના લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. ખરીફ સિઝનમાં ડાંગરની વાવણી ઓછી થવાને કારણે ચોખાના ભાવ વધી શકે છે. વાવણી ઓછી થતાં ચોખાનું ઉત્પાદન 60-7 મિલિયન ટન જેટલું ઓછું રહેવાની આશંકા છે. આવી સ્થિતિમાં પહેલેથી જ સુસ્ત અર્થતંત્ર પર મોંઘવારીનું દબાણ વધશે. છૂટક મોંઘવારી દર  જે ત્રણ મહિનાથી ઘટી રહ્યો છે, તે ફરીથી વધવા લાગ્યો અને ઓગસ્ટમાં 7 ટકા સુધી પહોંચ્યો છે.  કારણ કે અનાજ સહિત તમામ ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થયો હતો.


ચોખાના ભાવ વધવાની સંભાવના


નિષ્ણાતો અને વિશ્લેષકોના મતે મોંઘવારી આગામી સમયમાં ઊંચા સ્તરે રહેશે. જૂન-સપ્ટેમ્બરમાં અનિયમિત વરસાદ અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજુ વિદાય લેવાનું બાકી હોવાથી ડાંગરના પાકને લઈને ચિંતા વધી છે. ભારતનું ચોખાનું ઉત્પાદન 2021-22ના પાક વર્ષમાં 132.29 કરોડ  ટન રહ્યું, જે એક વર્ષ અગાઉ 1243.7 કરોડ ટન હતું. ખાદ્ય મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષની ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન 60-70 લાખ  ટન ઓછું રહેશે. દેશના કુલ ચોખા ઉત્પાદનમાં ખરીફ મોસમનો હિસ્સો લગભગ 85 ટકા છે.


શનિવારે નાણા મંત્રાલયના અહેવાલમાં ખરીફ સિઝનમાં ઓછા પાકના વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખીને કૃષિ કોમોડિટી સ્ટોકના કાર્યક્ષમ સંચાલનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જો કે તેમાં કહેવામાં આવ્યું હતું કે મોંઘવારીના મોરચે બેચેન થવાનું ટાળવું જોઈએ. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે જણાવ્યું હતું કે, “ચોખાને કારણે સ્થાનિક મોંઘવારી પર તાત્કાલિક કોઈ ખતરો નથી. કિંમતોમાં વધારો એમએસપી અને ખાતર અને ઇંધણ જેવી અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે થયો હતો.”



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .