ખરીફ સિઝનમાં ડાંગરની વાવણી ઓછી થઈ, ચોખાનું ઉત્પાદન 60-70 લાખ ટન ઘટશે તો ભાવ વધશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 18:34:09

મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશના લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. ખરીફ સિઝનમાં ડાંગરની વાવણી ઓછી થવાને કારણે ચોખાના ભાવ વધી શકે છે. વાવણી ઓછી થતાં ચોખાનું ઉત્પાદન 60-7 મિલિયન ટન જેટલું ઓછું રહેવાની આશંકા છે. આવી સ્થિતિમાં પહેલેથી જ સુસ્ત અર્થતંત્ર પર મોંઘવારીનું દબાણ વધશે. છૂટક મોંઘવારી દર  જે ત્રણ મહિનાથી ઘટી રહ્યો છે, તે ફરીથી વધવા લાગ્યો અને ઓગસ્ટમાં 7 ટકા સુધી પહોંચ્યો છે.  કારણ કે અનાજ સહિત તમામ ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થયો હતો.


ચોખાના ભાવ વધવાની સંભાવના


નિષ્ણાતો અને વિશ્લેષકોના મતે મોંઘવારી આગામી સમયમાં ઊંચા સ્તરે રહેશે. જૂન-સપ્ટેમ્બરમાં અનિયમિત વરસાદ અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજુ વિદાય લેવાનું બાકી હોવાથી ડાંગરના પાકને લઈને ચિંતા વધી છે. ભારતનું ચોખાનું ઉત્પાદન 2021-22ના પાક વર્ષમાં 132.29 કરોડ  ટન રહ્યું, જે એક વર્ષ અગાઉ 1243.7 કરોડ ટન હતું. ખાદ્ય મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષની ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન 60-70 લાખ  ટન ઓછું રહેશે. દેશના કુલ ચોખા ઉત્પાદનમાં ખરીફ મોસમનો હિસ્સો લગભગ 85 ટકા છે.


શનિવારે નાણા મંત્રાલયના અહેવાલમાં ખરીફ સિઝનમાં ઓછા પાકના વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખીને કૃષિ કોમોડિટી સ્ટોકના કાર્યક્ષમ સંચાલનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જો કે તેમાં કહેવામાં આવ્યું હતું કે મોંઘવારીના મોરચે બેચેન થવાનું ટાળવું જોઈએ. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે જણાવ્યું હતું કે, “ચોખાને કારણે સ્થાનિક મોંઘવારી પર તાત્કાલિક કોઈ ખતરો નથી. કિંમતોમાં વધારો એમએસપી અને ખાતર અને ઇંધણ જેવી અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે થયો હતો.”



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.