ખરીફ સિઝનમાં ડાંગરની વાવણી ઓછી થઈ, ચોખાનું ઉત્પાદન 60-70 લાખ ટન ઘટશે તો ભાવ વધશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 18:34:09

મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશના લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. ખરીફ સિઝનમાં ડાંગરની વાવણી ઓછી થવાને કારણે ચોખાના ભાવ વધી શકે છે. વાવણી ઓછી થતાં ચોખાનું ઉત્પાદન 60-7 મિલિયન ટન જેટલું ઓછું રહેવાની આશંકા છે. આવી સ્થિતિમાં પહેલેથી જ સુસ્ત અર્થતંત્ર પર મોંઘવારીનું દબાણ વધશે. છૂટક મોંઘવારી દર  જે ત્રણ મહિનાથી ઘટી રહ્યો છે, તે ફરીથી વધવા લાગ્યો અને ઓગસ્ટમાં 7 ટકા સુધી પહોંચ્યો છે.  કારણ કે અનાજ સહિત તમામ ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થયો હતો.


ચોખાના ભાવ વધવાની સંભાવના


નિષ્ણાતો અને વિશ્લેષકોના મતે મોંઘવારી આગામી સમયમાં ઊંચા સ્તરે રહેશે. જૂન-સપ્ટેમ્બરમાં અનિયમિત વરસાદ અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજુ વિદાય લેવાનું બાકી હોવાથી ડાંગરના પાકને લઈને ચિંતા વધી છે. ભારતનું ચોખાનું ઉત્પાદન 2021-22ના પાક વર્ષમાં 132.29 કરોડ  ટન રહ્યું, જે એક વર્ષ અગાઉ 1243.7 કરોડ ટન હતું. ખાદ્ય મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષની ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન 60-70 લાખ  ટન ઓછું રહેશે. દેશના કુલ ચોખા ઉત્પાદનમાં ખરીફ મોસમનો હિસ્સો લગભગ 85 ટકા છે.


શનિવારે નાણા મંત્રાલયના અહેવાલમાં ખરીફ સિઝનમાં ઓછા પાકના વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખીને કૃષિ કોમોડિટી સ્ટોકના કાર્યક્ષમ સંચાલનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જો કે તેમાં કહેવામાં આવ્યું હતું કે મોંઘવારીના મોરચે બેચેન થવાનું ટાળવું જોઈએ. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે જણાવ્યું હતું કે, “ચોખાને કારણે સ્થાનિક મોંઘવારી પર તાત્કાલિક કોઈ ખતરો નથી. કિંમતોમાં વધારો એમએસપી અને ખાતર અને ઇંધણ જેવી અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે થયો હતો.”



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.