રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની મુદ્દત વધી, આ તારીખ સુધી ડોક્યુમેન્ટ આપી શકાશે


  • Published By :
  • Published Date : 2023-04-25 19:59:01

ખાનગી શાળાઓમાં બાળકોના એડમિશન કરવા ઉત્સુક વાલીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. સરકારે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા વધુ એક તક આપી છે. જે મુજબ હવે 27 એપ્રિલ સુધી ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરી શકાશે. અત્રે ઉલ્લેખનિય છે RTE અંતર્ગત ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે, પરંતું વાલીઓની રજુઆતના કારણે સરકારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે વધુ એક તક આપી છે.


RTE માટે વધુ એક તક 


રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ માટે સમગ્ર રાજ્યમાંથી કુલ 98 હજાર 501 અરજીઓ શિક્ષણવિભાગને મળી છે જેમાંથી કુલ 65,025 અરજીઓ માન્ય રખાઈ છે. જો કે RTE  14,483 અરજીઓને રિજેક્ટ કરવામાં આવી છે. ડોક્યુમેન્ટમાં ક્ષતિને કારણે રિજેક્ટ થયેલી અરજીઓને 27 એપ્રિલ સુધીની વધુ એક તક આપવામાં આવી છે. 


રાજ્યમાં RTEની 83 હજાર બેઠકો 


અત્રે ઉલ્લેખનીય છે કે,  27 એપ્રિલ સુધી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે અને રિજેક્ટ અરજીઓમાં 3 દિવસમાં ફરી ડોક્યુમેન્ટ આપી શકાશે અને 18,993 અરજીઓ કેન્સલ કરવામાં આવી છે. રાજ્યમાં RTE અતર્ગત 83 હજાર બેઠકો છે જેમાં અમદાવાદમાં 11,500 બેઠકો સામે કુલ 17,532 અરજીઓ મળી છે. જ્યારે અમદાવાદમાં RTE અતર્ગત 12,356 અરજીઓ મંજુર કરવામાં આવી છે. અમદાવાદમાં 2,632 અરજીઓ રિજેક્ટ, 2,544 અરજીઓ કેન્સલ થઈ અને આગામી ત્રણ દિવસ રિજેક્ટ અરજીઓના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે.


અમદાવાદમાં શા માટે અરજીઓ ઘટી?


RTE હેઠળ અરજી ઘટવાના મુખ્ય કારણો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે,અરજી ઘટવાના મુખ્ય કારણો જોવા જઈએ તો પહેલી જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ થવા જોઈએ જે બાદ જ તે પ્રવેશ મેળવવા માટે યોગ્ય ગણાશે તેમજ રજિસ્ટર્ડ ભાડા કરાર, આવક મર્યાદા માટે આવકનો દાખલો સહિતના મહત્વના ડોક્યુમેન્ટ ન હોવા સહિતના વિવિધ કારણે અરજી ગત વર્ષની સરખામણીએ ઓછી મળી હોયો તેવું બની શકે. આ વખતે અમદાવાદમાં RTE હેઠળ 17532 અરજીઓ મળી છે જે પૈકી 12356 મંજુર કરવામાં આવી છે. તેમાંથી 2632 જેટલી અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. તેમજ 2544 જેટલી અરજીઓ કેન્સલ પણ થયેલી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.