Corona Vaccineને કારણે વધ્યું Heart Attackનું જોખમ! Morbiમાં એક મહિલાને આવ્યો Heart Attack અને થઈ ગયું મોત,


  • Published By :
  • Published Date : 2023-12-16 13:30:11

હાર્ટ એટેકના સમાચાર આવવા જાણે આજકાલ સામાન્ય બની ગયું છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે અનેક બિમારીઓ એવી હોય છે જે મોટી ઉંમરના લોકોને સામાન્ય રીતે થતી હોય છે. હાર્ટ એટેક માટે પણ આવું જ કંઈ માનવામાં આવતું. પરંતુ કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આજે પણ એક મહિલાનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે તેવી માહિતી સામે આવી છે. મોરબીના વિરપર ગામમાં રહેતી મહિલાને હાર્ટ એટેકન આવ્યો છે.



મોરબીમાં મહિલાને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું મોત!

એક સમય હતો જ્યારે કોરોનાના કેટલા કેસ નોંધાયા તેની માહિતી આપવામાં આવતી. હજારો લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાને કારણે હાહાકાર મચી ગયો હતો ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોમાં ડર પ્રસરી રહ્યો છે. વૃદ્ધોમાં તો ઠીક પરંતુ યુવાનો, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. પ્રતિદિન 4થી 5 લોકો હાર્ટ એટેકને કારણે મરતા હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્રથી જ થોડા દિવસ પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં 5 જેટલા યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે માત્ર એક જ દિવસની અંદર થઈ ગયા હતા. ત્યારે આજે હાર્ટ એટેકનો વધુ એક કિસ્સો મોરબીમાં બન્યો છે. મહિલાને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને ઢળી પડ્યા અને કાળનો કોળિયા બની ગયા.         


કોરોના વેક્સિનને લઈ શક્તિસિંહ ગોહિલે કહી આ વાત!

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ કિસ્સાઓમાં અચાનક વૃદ્ધિ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે કોરોના વેક્સિનને કારણે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. ત્યારે આ વાતને લઈ શક્તિસિંહ ગોહિલે પણ સરકારને આ અંગે વિચાર કરવા માટે કહ્યું છે, હાર્ટ એટેકને કારણે જે લોકોના મોત થયા તેને લઈ સર્વે  કરવો જોઈએ કે તેમણે વેક્સિન લીધી હતી કે નહીં. જો લીધી હોય તો કઈ.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.