Corona Vaccineને કારણે વધ્યું Heart Attackનું જોખમ! Morbiમાં એક મહિલાને આવ્યો Heart Attack અને થઈ ગયું મોત,


  • Published By :
  • Published Date : 2023-12-16 13:30:11

હાર્ટ એટેકના સમાચાર આવવા જાણે આજકાલ સામાન્ય બની ગયું છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે અનેક બિમારીઓ એવી હોય છે જે મોટી ઉંમરના લોકોને સામાન્ય રીતે થતી હોય છે. હાર્ટ એટેક માટે પણ આવું જ કંઈ માનવામાં આવતું. પરંતુ કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આજે પણ એક મહિલાનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે તેવી માહિતી સામે આવી છે. મોરબીના વિરપર ગામમાં રહેતી મહિલાને હાર્ટ એટેકન આવ્યો છે.



મોરબીમાં મહિલાને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું મોત!

એક સમય હતો જ્યારે કોરોનાના કેટલા કેસ નોંધાયા તેની માહિતી આપવામાં આવતી. હજારો લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાને કારણે હાહાકાર મચી ગયો હતો ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોમાં ડર પ્રસરી રહ્યો છે. વૃદ્ધોમાં તો ઠીક પરંતુ યુવાનો, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. પ્રતિદિન 4થી 5 લોકો હાર્ટ એટેકને કારણે મરતા હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્રથી જ થોડા દિવસ પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં 5 જેટલા યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે માત્ર એક જ દિવસની અંદર થઈ ગયા હતા. ત્યારે આજે હાર્ટ એટેકનો વધુ એક કિસ્સો મોરબીમાં બન્યો છે. મહિલાને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને ઢળી પડ્યા અને કાળનો કોળિયા બની ગયા.         


કોરોના વેક્સિનને લઈ શક્તિસિંહ ગોહિલે કહી આ વાત!

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ કિસ્સાઓમાં અચાનક વૃદ્ધિ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે કોરોના વેક્સિનને કારણે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. ત્યારે આ વાતને લઈ શક્તિસિંહ ગોહિલે પણ સરકારને આ અંગે વિચાર કરવા માટે કહ્યું છે, હાર્ટ એટેકને કારણે જે લોકોના મોત થયા તેને લઈ સર્વે  કરવો જોઈએ કે તેમણે વેક્સિન લીધી હતી કે નહીં. જો લીધી હોય તો કઈ.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.