Corona Vaccineને કારણે વધ્યું Heart Attackનું જોખમ! Morbiમાં એક મહિલાને આવ્યો Heart Attack અને થઈ ગયું મોત,


  • Published By :
  • Published Date : 2023-12-16 13:30:11

હાર્ટ એટેકના સમાચાર આવવા જાણે આજકાલ સામાન્ય બની ગયું છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે અનેક બિમારીઓ એવી હોય છે જે મોટી ઉંમરના લોકોને સામાન્ય રીતે થતી હોય છે. હાર્ટ એટેક માટે પણ આવું જ કંઈ માનવામાં આવતું. પરંતુ કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આજે પણ એક મહિલાનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે તેવી માહિતી સામે આવી છે. મોરબીના વિરપર ગામમાં રહેતી મહિલાને હાર્ટ એટેકન આવ્યો છે.



મોરબીમાં મહિલાને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું મોત!

એક સમય હતો જ્યારે કોરોનાના કેટલા કેસ નોંધાયા તેની માહિતી આપવામાં આવતી. હજારો લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાને કારણે હાહાકાર મચી ગયો હતો ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોમાં ડર પ્રસરી રહ્યો છે. વૃદ્ધોમાં તો ઠીક પરંતુ યુવાનો, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. પ્રતિદિન 4થી 5 લોકો હાર્ટ એટેકને કારણે મરતા હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્રથી જ થોડા દિવસ પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં 5 જેટલા યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે માત્ર એક જ દિવસની અંદર થઈ ગયા હતા. ત્યારે આજે હાર્ટ એટેકનો વધુ એક કિસ્સો મોરબીમાં બન્યો છે. મહિલાને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને ઢળી પડ્યા અને કાળનો કોળિયા બની ગયા.         


કોરોના વેક્સિનને લઈ શક્તિસિંહ ગોહિલે કહી આ વાત!

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ કિસ્સાઓમાં અચાનક વૃદ્ધિ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે કોરોના વેક્સિનને કારણે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. ત્યારે આ વાતને લઈ શક્તિસિંહ ગોહિલે પણ સરકારને આ અંગે વિચાર કરવા માટે કહ્યું છે, હાર્ટ એટેકને કારણે જે લોકોના મોત થયા તેને લઈ સર્વે  કરવો જોઈએ કે તેમણે વેક્સિન લીધી હતી કે નહીં. જો લીધી હોય તો કઈ.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.