Ram Mandir મુદ્દે Rivaba Jadejaએ આપ્યું નિવેદન તો રિવાબા જાડેજાને નણંદે કહ્યું કે તમારામાં સંસ્કાર નથી!


  • Published By :
  • Published Date : 2024-01-12 11:18:53

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય સમારોહ યોજાવાનો છે. રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થવાના છે. કોંગ્રેસે આ કાર્યક્રમમાં આવવાની ના પાડી છે જે બાદ રાજકારણ ગરમાયું છે. ત્યારે જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના આમંત્રણ અસ્વીકાર કરવા બદલ પ્રતિક્રિયા આપી હતી. જેને લઈને કોંગ્રેસ પક્ષમાં રહેલા નણંદ નયનાબા જાડેજાએ પણ તેનો વળતો જવાબ આપ્યો હતો.   

કોંગ્રેસે કાર્યક્રમમાં સામેલ થવાનો કર્યો છે ઈન્કાર 

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ લલ્લાની પ્રતિમાની મંદિરમાં સ્થાપના કરવામાં આવવાની છે. 22 જાન્યુઆરીએ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ભક્તોમાં આને લઈ ઉત્સાહ છે પરંતુ આને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આ આમંત્રણને ઠુકરાવવામાં આવ્યું છે જે બાદ કોંગ્રેસમાં અંદરો અંદર વિવાદ છેડાયો છે. ભાજપના નેતાઓ દ્વારા આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. 

Gujarat assembly election: Cong targets Rivaba Jadeja for using children  for rallies,  gujarat-assembly-election-congress-targets-rivaba-jadeja-for-using-children-for-rallies

રામ મંદિર મુદ્દે રીવાબા જાડેજાએ આપ્યું નિવેદન 

આમંત્રણનો અસ્વીકાર કરાતા દેશનું રાજકારણ તો ગરમાયું છે પરંતુ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. આ બધા વચ્ચે રિવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે પ્રભુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી, ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેનો આ કાર્યક્રમ નથી. આ પ્રભુ શ્રીરામ અને જે કરોડો ભારતવાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે એને એમની આસ્થા એમની શ્રદ્ધાને આ વધામણા અને પ્રભુ શ્રી રામના જ્યારે અવસર હોય ત્યારે સાથે મળી અને આ 500 વર્ષથી જે એક પેન્ડિંગ પ્રશ્નો હતો ત્યારે વડાપ્રધાનના માધ્યમ દ્વારા પ્રભુ શ્રીરામનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો હોય, ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રીરામને આપ સૌ બધા આવકારો એવી જ આપ સૌને અભ્યકતા.


નયના બા જાડેજાએ નામ લીધા વગર કર્યો કટાક્ષ 

ત્યારે આ નિવેદનથી તેમના કોંગ્રેસ પક્ષમાં રહેલા નણંદ નયનાબા જાડેજાએ તેમને વળતો જવાબ આપ્યો છે. નામ લીધા વગર માર્મિક કટાક્ષ કરીને નયના બાએ જવાબ ચોપડાવી દીધો હતો. તેમણે કહ્યું કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી તમે છોટાકાશિમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ થઈ શકે છે. નવી પાર્લામેન્ટનું ઉદાહરણ ટાંકતાં તેમણે સવાલ કર્યો કે શું પાર્લામેન્ટ પુરે પુરી તૈયાર નતી થઈ તો પણ શું તમે તેને શરૂ કરી દીધી હતી. નણંદ ભોજાઈની આ તીખી નોંકજોક ફરી એક વખત સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બન્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.