Ram Mandir મુદ્દે Rivaba Jadejaએ આપ્યું નિવેદન તો રિવાબા જાડેજાને નણંદે કહ્યું કે તમારામાં સંસ્કાર નથી!


  • Published By :
  • Published Date : 2024-01-12 11:18:53

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય સમારોહ યોજાવાનો છે. રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થવાના છે. કોંગ્રેસે આ કાર્યક્રમમાં આવવાની ના પાડી છે જે બાદ રાજકારણ ગરમાયું છે. ત્યારે જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના આમંત્રણ અસ્વીકાર કરવા બદલ પ્રતિક્રિયા આપી હતી. જેને લઈને કોંગ્રેસ પક્ષમાં રહેલા નણંદ નયનાબા જાડેજાએ પણ તેનો વળતો જવાબ આપ્યો હતો.   

કોંગ્રેસે કાર્યક્રમમાં સામેલ થવાનો કર્યો છે ઈન્કાર 

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ લલ્લાની પ્રતિમાની મંદિરમાં સ્થાપના કરવામાં આવવાની છે. 22 જાન્યુઆરીએ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ભક્તોમાં આને લઈ ઉત્સાહ છે પરંતુ આને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આ આમંત્રણને ઠુકરાવવામાં આવ્યું છે જે બાદ કોંગ્રેસમાં અંદરો અંદર વિવાદ છેડાયો છે. ભાજપના નેતાઓ દ્વારા આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. 

Gujarat assembly election: Cong targets Rivaba Jadeja for using children  for rallies,  gujarat-assembly-election-congress-targets-rivaba-jadeja-for-using-children-for-rallies

રામ મંદિર મુદ્દે રીવાબા જાડેજાએ આપ્યું નિવેદન 

આમંત્રણનો અસ્વીકાર કરાતા દેશનું રાજકારણ તો ગરમાયું છે પરંતુ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. આ બધા વચ્ચે રિવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે પ્રભુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી, ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેનો આ કાર્યક્રમ નથી. આ પ્રભુ શ્રીરામ અને જે કરોડો ભારતવાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે એને એમની આસ્થા એમની શ્રદ્ધાને આ વધામણા અને પ્રભુ શ્રી રામના જ્યારે અવસર હોય ત્યારે સાથે મળી અને આ 500 વર્ષથી જે એક પેન્ડિંગ પ્રશ્નો હતો ત્યારે વડાપ્રધાનના માધ્યમ દ્વારા પ્રભુ શ્રીરામનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો હોય, ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રીરામને આપ સૌ બધા આવકારો એવી જ આપ સૌને અભ્યકતા.


નયના બા જાડેજાએ નામ લીધા વગર કર્યો કટાક્ષ 

ત્યારે આ નિવેદનથી તેમના કોંગ્રેસ પક્ષમાં રહેલા નણંદ નયનાબા જાડેજાએ તેમને વળતો જવાબ આપ્યો છે. નામ લીધા વગર માર્મિક કટાક્ષ કરીને નયના બાએ જવાબ ચોપડાવી દીધો હતો. તેમણે કહ્યું કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી તમે છોટાકાશિમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ થઈ શકે છે. નવી પાર્લામેન્ટનું ઉદાહરણ ટાંકતાં તેમણે સવાલ કર્યો કે શું પાર્લામેન્ટ પુરે પુરી તૈયાર નતી થઈ તો પણ શું તમે તેને શરૂ કરી દીધી હતી. નણંદ ભોજાઈની આ તીખી નોંકજોક ફરી એક વખત સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બન્યો છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"