Ram Mandir મુદ્દે Rivaba Jadejaએ આપ્યું નિવેદન તો રિવાબા જાડેજાને નણંદે કહ્યું કે તમારામાં સંસ્કાર નથી!


  • Published By :
  • Published Date : 2024-01-12 11:18:53

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય સમારોહ યોજાવાનો છે. રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થવાના છે. કોંગ્રેસે આ કાર્યક્રમમાં આવવાની ના પાડી છે જે બાદ રાજકારણ ગરમાયું છે. ત્યારે જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના આમંત્રણ અસ્વીકાર કરવા બદલ પ્રતિક્રિયા આપી હતી. જેને લઈને કોંગ્રેસ પક્ષમાં રહેલા નણંદ નયનાબા જાડેજાએ પણ તેનો વળતો જવાબ આપ્યો હતો.   

કોંગ્રેસે કાર્યક્રમમાં સામેલ થવાનો કર્યો છે ઈન્કાર 

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ લલ્લાની પ્રતિમાની મંદિરમાં સ્થાપના કરવામાં આવવાની છે. 22 જાન્યુઆરીએ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ભક્તોમાં આને લઈ ઉત્સાહ છે પરંતુ આને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આ આમંત્રણને ઠુકરાવવામાં આવ્યું છે જે બાદ કોંગ્રેસમાં અંદરો અંદર વિવાદ છેડાયો છે. ભાજપના નેતાઓ દ્વારા આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. 

Gujarat assembly election: Cong targets Rivaba Jadeja for using children  for rallies,  gujarat-assembly-election-congress-targets-rivaba-jadeja-for-using-children-for-rallies

રામ મંદિર મુદ્દે રીવાબા જાડેજાએ આપ્યું નિવેદન 

આમંત્રણનો અસ્વીકાર કરાતા દેશનું રાજકારણ તો ગરમાયું છે પરંતુ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. આ બધા વચ્ચે રિવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે પ્રભુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી, ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેનો આ કાર્યક્રમ નથી. આ પ્રભુ શ્રીરામ અને જે કરોડો ભારતવાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે એને એમની આસ્થા એમની શ્રદ્ધાને આ વધામણા અને પ્રભુ શ્રી રામના જ્યારે અવસર હોય ત્યારે સાથે મળી અને આ 500 વર્ષથી જે એક પેન્ડિંગ પ્રશ્નો હતો ત્યારે વડાપ્રધાનના માધ્યમ દ્વારા પ્રભુ શ્રીરામનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો હોય, ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રીરામને આપ સૌ બધા આવકારો એવી જ આપ સૌને અભ્યકતા.


નયના બા જાડેજાએ નામ લીધા વગર કર્યો કટાક્ષ 

ત્યારે આ નિવેદનથી તેમના કોંગ્રેસ પક્ષમાં રહેલા નણંદ નયનાબા જાડેજાએ તેમને વળતો જવાબ આપ્યો છે. નામ લીધા વગર માર્મિક કટાક્ષ કરીને નયના બાએ જવાબ ચોપડાવી દીધો હતો. તેમણે કહ્યું કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી તમે છોટાકાશિમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ થઈ શકે છે. નવી પાર્લામેન્ટનું ઉદાહરણ ટાંકતાં તેમણે સવાલ કર્યો કે શું પાર્લામેન્ટ પુરે પુરી તૈયાર નતી થઈ તો પણ શું તમે તેને શરૂ કરી દીધી હતી. નણંદ ભોજાઈની આ તીખી નોંકજોક ફરી એક વખત સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બન્યો છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે