Road Accident in India : 2022માં સર્જાયેલા અકસ્માતમાં થયા લાખો લોકોના મોત! Indiaમાં દર ત્રણ મિનીટે વ્યક્તિ ગુમાવે છે જીવ!


  • Published By :
  • Published Date : 2023-10-13 15:00:59

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અકસ્માતો જીવલેણ સાબિત થાય છે. દર વર્ષે લાખો લોકોના મોત અકસ્માતને કારણે થાય છે. અમુક અકસ્માત એટલા ગંભીર હોય છે કે ઘટના સ્થળ પર લોકોના મોત થઈ જાય છે. ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વર્ષ 2022માં 1.68 લાખ જેટલા લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. એટલે કે ભારતમાં દર ત્રીજી મિનીટે રોડ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થાય છે! પાંચ વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યા ઘટી છે પરંતુ ભયંકર રોડ અકસ્માતો સર્જાઈ રહ્યા છે જે પ્રાણઘાતક સાબિત થઈ રહ્યા છે. પાંચ વર્ષ અગાઉ દેશમાં 4.69 લાખ વાહન અથડાયા હતા જેમાં 1.51 લાખ લોકોના મોજ નિપજ્યા હતા. પરંતુ ગયા વર્ષમાં 4.61 લાખ એક્સિડન્ટ થયા હતા જેમાં 1.68 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. 

Road Accidents: Record 1.68 lakh road accident deaths in 2022; 1 every 3  minute | India News - Times of India

ભારતમાં દર ત્રણ મિનીટે થાય છે એક વ્યક્તિનું મોત! 

એક્સિડન્ટની સમસ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. અકસ્માત સર્જાવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા. ઘરેથી નિકળેલા માણસ ઘરે પરત ફરશે કે નહીં તે જાણી શકાતું નથી. અકસ્માતને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે ભારતમાં દર ત્રણ મિનીટની અંદર અકસ્માતને કારણે કોઈ પોતાનો જીવ ગુમાવે છે. વધતા અકસ્માતોની સંખ્યા એ ચિંતાજનક છે. અકસ્માત સર્જાયા હોવાને પાછળ પણ અનેક કારણો જવાબદાર હોય છે.  

Record 1.68 lakh road accident deaths in 2022; 1 every 3 minutes | India  News - Times of India

Crash deaths on Mumbai roads down 27% to 259 in 2022 | Mumbai News - Times  of India

એક વર્ષ દરમિયાન થયા 4.61 લાખ અકસ્માત!

છેલ્લા એક વર્ષમાં 1.6 લાખ લોકોના મોત રોડ અકસ્માતમાં થયા છે. 4.61 લાખ એક્સિડન્ટ સર્જાયા છે જેમાં 1.68 લોકોના મોત થયા છે. વર્ષ 2022માં મૃત્યુઆંકમાં 9 ટકાનો વધારો થયો છે. 2021ની તુલનામાં વર્ષ 2022માં વધારે જોખમી અકસ્માતો થયા હતા. કોવિડ અગાઉના વર્ષ 2019ની સાથે તુલના કરવામાં આવે તો 2022માં 11.5 ટકા વધારે મોત નિપજ્યા હતા. દર ત્રણ મિનીટે માણસના મોત થઈ રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે. 1.68 લાખ લોકોના મોત તો થયા છે માત્ર એક વર્ષની અંદર તે ઉપરાંત અકસ્માતને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. રિપોર્ટમાં જણાવેલા આંકડા અનુસાર 4.43 લાખ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

Mohali: Road mishaps snuffing out fives lives every week - Hindustan Times

Herald: South Goa's 'killer roads' claimed 90 lives last year

24 hours: 3 accidents, 4 deaths

અકસ્માત સર્જાયા પાછળ જવાબદાર હોય છે અનેક કારણ! 

મહત્વનું છે રોડ અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણી વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત વાહનચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાય છે. કોઈ વખત ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના પણ સામે આવતી હોય છે. નશાની હાલતમાં વાહનચાલકો દેખાય છે જેને કારણે અકસ્માત સર્જાતા હોય છે અને એ પ્રાણઘાતક સાબિત થતા હોય છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.