Road Accident in India : 2022માં સર્જાયેલા અકસ્માતમાં થયા લાખો લોકોના મોત! Indiaમાં દર ત્રણ મિનીટે વ્યક્તિ ગુમાવે છે જીવ!


  • Published By :
  • Published Date : 2023-10-13 15:00:59

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અકસ્માતો જીવલેણ સાબિત થાય છે. દર વર્ષે લાખો લોકોના મોત અકસ્માતને કારણે થાય છે. અમુક અકસ્માત એટલા ગંભીર હોય છે કે ઘટના સ્થળ પર લોકોના મોત થઈ જાય છે. ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વર્ષ 2022માં 1.68 લાખ જેટલા લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. એટલે કે ભારતમાં દર ત્રીજી મિનીટે રોડ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થાય છે! પાંચ વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યા ઘટી છે પરંતુ ભયંકર રોડ અકસ્માતો સર્જાઈ રહ્યા છે જે પ્રાણઘાતક સાબિત થઈ રહ્યા છે. પાંચ વર્ષ અગાઉ દેશમાં 4.69 લાખ વાહન અથડાયા હતા જેમાં 1.51 લાખ લોકોના મોજ નિપજ્યા હતા. પરંતુ ગયા વર્ષમાં 4.61 લાખ એક્સિડન્ટ થયા હતા જેમાં 1.68 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. 

Road Accidents: Record 1.68 lakh road accident deaths in 2022; 1 every 3  minute | India News - Times of India

ભારતમાં દર ત્રણ મિનીટે થાય છે એક વ્યક્તિનું મોત! 

એક્સિડન્ટની સમસ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. અકસ્માત સર્જાવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા. ઘરેથી નિકળેલા માણસ ઘરે પરત ફરશે કે નહીં તે જાણી શકાતું નથી. અકસ્માતને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે ભારતમાં દર ત્રણ મિનીટની અંદર અકસ્માતને કારણે કોઈ પોતાનો જીવ ગુમાવે છે. વધતા અકસ્માતોની સંખ્યા એ ચિંતાજનક છે. અકસ્માત સર્જાયા હોવાને પાછળ પણ અનેક કારણો જવાબદાર હોય છે.  

Record 1.68 lakh road accident deaths in 2022; 1 every 3 minutes | India  News - Times of India

Crash deaths on Mumbai roads down 27% to 259 in 2022 | Mumbai News - Times  of India

એક વર્ષ દરમિયાન થયા 4.61 લાખ અકસ્માત!

છેલ્લા એક વર્ષમાં 1.6 લાખ લોકોના મોત રોડ અકસ્માતમાં થયા છે. 4.61 લાખ એક્સિડન્ટ સર્જાયા છે જેમાં 1.68 લોકોના મોત થયા છે. વર્ષ 2022માં મૃત્યુઆંકમાં 9 ટકાનો વધારો થયો છે. 2021ની તુલનામાં વર્ષ 2022માં વધારે જોખમી અકસ્માતો થયા હતા. કોવિડ અગાઉના વર્ષ 2019ની સાથે તુલના કરવામાં આવે તો 2022માં 11.5 ટકા વધારે મોત નિપજ્યા હતા. દર ત્રણ મિનીટે માણસના મોત થઈ રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે. 1.68 લાખ લોકોના મોત તો થયા છે માત્ર એક વર્ષની અંદર તે ઉપરાંત અકસ્માતને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. રિપોર્ટમાં જણાવેલા આંકડા અનુસાર 4.43 લાખ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

Mohali: Road mishaps snuffing out fives lives every week - Hindustan Times

Herald: South Goa's 'killer roads' claimed 90 lives last year

24 hours: 3 accidents, 4 deaths

અકસ્માત સર્જાયા પાછળ જવાબદાર હોય છે અનેક કારણ! 

મહત્વનું છે રોડ અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણી વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત વાહનચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાય છે. કોઈ વખત ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના પણ સામે આવતી હોય છે. નશાની હાલતમાં વાહનચાલકો દેખાય છે જેને કારણે અકસ્માત સર્જાતા હોય છે અને એ પ્રાણઘાતક સાબિત થતા હોય છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.