Road Accident in India : 2022માં સર્જાયેલા અકસ્માતમાં થયા લાખો લોકોના મોત! Indiaમાં દર ત્રણ મિનીટે વ્યક્તિ ગુમાવે છે જીવ!


  • Published By :
  • Published Date : 2023-10-13 15:00:59

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અકસ્માતો જીવલેણ સાબિત થાય છે. દર વર્ષે લાખો લોકોના મોત અકસ્માતને કારણે થાય છે. અમુક અકસ્માત એટલા ગંભીર હોય છે કે ઘટના સ્થળ પર લોકોના મોત થઈ જાય છે. ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વર્ષ 2022માં 1.68 લાખ જેટલા લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. એટલે કે ભારતમાં દર ત્રીજી મિનીટે રોડ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થાય છે! પાંચ વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યા ઘટી છે પરંતુ ભયંકર રોડ અકસ્માતો સર્જાઈ રહ્યા છે જે પ્રાણઘાતક સાબિત થઈ રહ્યા છે. પાંચ વર્ષ અગાઉ દેશમાં 4.69 લાખ વાહન અથડાયા હતા જેમાં 1.51 લાખ લોકોના મોજ નિપજ્યા હતા. પરંતુ ગયા વર્ષમાં 4.61 લાખ એક્સિડન્ટ થયા હતા જેમાં 1.68 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. 

Road Accidents: Record 1.68 lakh road accident deaths in 2022; 1 every 3  minute | India News - Times of India

ભારતમાં દર ત્રણ મિનીટે થાય છે એક વ્યક્તિનું મોત! 

એક્સિડન્ટની સમસ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. અકસ્માત સર્જાવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા. ઘરેથી નિકળેલા માણસ ઘરે પરત ફરશે કે નહીં તે જાણી શકાતું નથી. અકસ્માતને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે ભારતમાં દર ત્રણ મિનીટની અંદર અકસ્માતને કારણે કોઈ પોતાનો જીવ ગુમાવે છે. વધતા અકસ્માતોની સંખ્યા એ ચિંતાજનક છે. અકસ્માત સર્જાયા હોવાને પાછળ પણ અનેક કારણો જવાબદાર હોય છે.  

Record 1.68 lakh road accident deaths in 2022; 1 every 3 minutes | India  News - Times of India

Crash deaths on Mumbai roads down 27% to 259 in 2022 | Mumbai News - Times  of India

એક વર્ષ દરમિયાન થયા 4.61 લાખ અકસ્માત!

છેલ્લા એક વર્ષમાં 1.6 લાખ લોકોના મોત રોડ અકસ્માતમાં થયા છે. 4.61 લાખ એક્સિડન્ટ સર્જાયા છે જેમાં 1.68 લોકોના મોત થયા છે. વર્ષ 2022માં મૃત્યુઆંકમાં 9 ટકાનો વધારો થયો છે. 2021ની તુલનામાં વર્ષ 2022માં વધારે જોખમી અકસ્માતો થયા હતા. કોવિડ અગાઉના વર્ષ 2019ની સાથે તુલના કરવામાં આવે તો 2022માં 11.5 ટકા વધારે મોત નિપજ્યા હતા. દર ત્રણ મિનીટે માણસના મોત થઈ રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે. 1.68 લાખ લોકોના મોત તો થયા છે માત્ર એક વર્ષની અંદર તે ઉપરાંત અકસ્માતને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. રિપોર્ટમાં જણાવેલા આંકડા અનુસાર 4.43 લાખ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

Mohali: Road mishaps snuffing out fives lives every week - Hindustan Times

Herald: South Goa's 'killer roads' claimed 90 lives last year

24 hours: 3 accidents, 4 deaths

અકસ્માત સર્જાયા પાછળ જવાબદાર હોય છે અનેક કારણ! 

મહત્વનું છે રોડ અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણી વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત વાહનચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાય છે. કોઈ વખત ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના પણ સામે આવતી હોય છે. નશાની હાલતમાં વાહનચાલકો દેખાય છે જેને કારણે અકસ્માત સર્જાતા હોય છે અને એ પ્રાણઘાતક સાબિત થતા હોય છે.  



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .