Road Accident in India : 2022માં સર્જાયેલા અકસ્માતમાં થયા લાખો લોકોના મોત! Indiaમાં દર ત્રણ મિનીટે વ્યક્તિ ગુમાવે છે જીવ!


  • Published By :
  • Published Date : 2023-10-13 15:00:59

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અકસ્માતો જીવલેણ સાબિત થાય છે. દર વર્ષે લાખો લોકોના મોત અકસ્માતને કારણે થાય છે. અમુક અકસ્માત એટલા ગંભીર હોય છે કે ઘટના સ્થળ પર લોકોના મોત થઈ જાય છે. ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વર્ષ 2022માં 1.68 લાખ જેટલા લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. એટલે કે ભારતમાં દર ત્રીજી મિનીટે રોડ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થાય છે! પાંચ વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યા ઘટી છે પરંતુ ભયંકર રોડ અકસ્માતો સર્જાઈ રહ્યા છે જે પ્રાણઘાતક સાબિત થઈ રહ્યા છે. પાંચ વર્ષ અગાઉ દેશમાં 4.69 લાખ વાહન અથડાયા હતા જેમાં 1.51 લાખ લોકોના મોજ નિપજ્યા હતા. પરંતુ ગયા વર્ષમાં 4.61 લાખ એક્સિડન્ટ થયા હતા જેમાં 1.68 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. 

Road Accidents: Record 1.68 lakh road accident deaths in 2022; 1 every 3  minute | India News - Times of India

ભારતમાં દર ત્રણ મિનીટે થાય છે એક વ્યક્તિનું મોત! 

એક્સિડન્ટની સમસ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. અકસ્માત સર્જાવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા. ઘરેથી નિકળેલા માણસ ઘરે પરત ફરશે કે નહીં તે જાણી શકાતું નથી. અકસ્માતને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે ભારતમાં દર ત્રણ મિનીટની અંદર અકસ્માતને કારણે કોઈ પોતાનો જીવ ગુમાવે છે. વધતા અકસ્માતોની સંખ્યા એ ચિંતાજનક છે. અકસ્માત સર્જાયા હોવાને પાછળ પણ અનેક કારણો જવાબદાર હોય છે.  

Record 1.68 lakh road accident deaths in 2022; 1 every 3 minutes | India  News - Times of India

Crash deaths on Mumbai roads down 27% to 259 in 2022 | Mumbai News - Times  of India

એક વર્ષ દરમિયાન થયા 4.61 લાખ અકસ્માત!

છેલ્લા એક વર્ષમાં 1.6 લાખ લોકોના મોત રોડ અકસ્માતમાં થયા છે. 4.61 લાખ એક્સિડન્ટ સર્જાયા છે જેમાં 1.68 લોકોના મોત થયા છે. વર્ષ 2022માં મૃત્યુઆંકમાં 9 ટકાનો વધારો થયો છે. 2021ની તુલનામાં વર્ષ 2022માં વધારે જોખમી અકસ્માતો થયા હતા. કોવિડ અગાઉના વર્ષ 2019ની સાથે તુલના કરવામાં આવે તો 2022માં 11.5 ટકા વધારે મોત નિપજ્યા હતા. દર ત્રણ મિનીટે માણસના મોત થઈ રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે. 1.68 લાખ લોકોના મોત તો થયા છે માત્ર એક વર્ષની અંદર તે ઉપરાંત અકસ્માતને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. રિપોર્ટમાં જણાવેલા આંકડા અનુસાર 4.43 લાખ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

Mohali: Road mishaps snuffing out fives lives every week - Hindustan Times

Herald: South Goa's 'killer roads' claimed 90 lives last year

24 hours: 3 accidents, 4 deaths

અકસ્માત સર્જાયા પાછળ જવાબદાર હોય છે અનેક કારણ! 

મહત્વનું છે રોડ અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણી વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત વાહનચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાય છે. કોઈ વખત ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના પણ સામે આવતી હોય છે. નશાની હાલતમાં વાહનચાલકો દેખાય છે જેને કારણે અકસ્માત સર્જાતા હોય છે અને એ પ્રાણઘાતક સાબિત થતા હોય છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.