ભારે વરસાદને કારણે રસ્તાઓનું થયું ધોવાણ! ભ્રષ્ટાચારને લઈ ભાજપની ડબલ એન્જિનની સરકાર પર રાજકીય પાર્ટીઓએ કર્યા કટાક્ષ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-19 13:03:20

ગુજરાતમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. અનેક જિલ્લાઓમાં  ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવનાર દિવસો માટે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ચોમાસાની સિઝન દરમિયાન અનેક વખત રોડ રસ્તા તૂટવાની ઘટનાઓ સામે આવતી હોય છે. રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે. રસ્તાઓ પર અનેકો ખાડા જોવા મળતા હોય છે. ત્યારે ગુજરાતમાં વરસેલા વરસાદને કારણે ભરૂચના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તાઓ તૂટી જવાને કારણે વાહનચાલકોને તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઈસુદાન ગઢવીએ વીડિયો શેર કર્યો છે જેમાં રસ્તાની કેવી દયનિય પરિસ્થિતિ છે તે બતાવવામાં આવી છે.

સામાન્ય દિવસોમાં પણ રસ્તાઓ પર જોવા મળતા હોય છે ખાડા 

આપણા રાજ્યને વિકાસ મોડલ તરીકે દેશભરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં થયેલા કામોને કેન્દ્ર સરકાર દેશભરમાં ગણાવતી હોય છે. પરંતુ અનેક વખત રસ્તા પર પડેલા ખાડાઓ વિકાસની પોલ ખોલી દેતા હોય છે. થોડા સમય પહેલા બનેલા રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. રસ્તાના નિર્માણ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારને કારણે ખાડાઓ પડી જતા હોય છે. ત્યારે હમણાં તો વરસાદી સિઝન છે. વરસાદી સિઝન દરમિયાન રસ્તાઓનું ધોવાણ થવું સામાન્ય છે. ગુજરાતના અનેક રસ્તાઓ છે જેની પર વરસાદને કારણે ખાડા પડી ગયા છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતા માર્ગ પર આવેલા હાડોડ બ્રિજના અમુક ભાગ એક બાજુથી બેસી ગયો છે. તે ઉપરાંત આવા તો અનેક રસ્તાઓ છે જ્યાં ખાડા પડવું, રસ્તાનું ધોવાણ થવું સામાન્ય હોય છે.


વિપક્ષી પાર્ટીઓએ કર્યા ભાજપ સરકાર પર પ્રહાર!

જ્યારે જ્યારે રસ્તા પર ખાડા પડતા હોય છે ત્યારે ત્યારે સામાન્ય માણસને તો મુશ્કેલી વેઠવાનો વારો આવે છે પરંતુ દર્દીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રસ્તાઓનું ધોવાણ થવાને કારણે રાજકારણ પણ શરૂ થઈ જતું હોય છે. ભાજપની સરકાર પર વિપક્ષી પાર્ટીઓ આકરા પ્રહાર કરતા હોય છે. ત્યારે ઈસુદાન ગઢવીએ એક પોસ્ટ શેર કરી છે જેમાં રસ્તાનો વીડિયો મૂકવામાં આવ્યો છે. ઈસુદાન ગઢવીએ પોસ્ટ શેર કરતા લખ્યું કે આ તસવીર ચંદ્રની નથી! ભાજરના ગુજરાત મોડલની છે. સાંભળ્યું છે કે અમુક લુટેરાઓએ ગુજરાતની આવી દશા કરી દીધી છે? તે સિવાય ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ એક ટીવી ચેનલનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. એ વીડિયોમાં મહીસાગર અમદાવાદને જોડતો હોડોડ બ્રિજ બતાવવામાં આવ્યો છે જે એક સાઈડથી બેસી ગયો છે. આ પુલ ભાજપની ડબલ એન્જિનની સરકારનો ભ્રષ્ટાચાર બતાવે છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.