ભારે વરસાદને કારણે રસ્તાઓનું થયું ધોવાણ! ભ્રષ્ટાચારને લઈ ભાજપની ડબલ એન્જિનની સરકાર પર રાજકીય પાર્ટીઓએ કર્યા કટાક્ષ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-19 13:03:20

ગુજરાતમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. અનેક જિલ્લાઓમાં  ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવનાર દિવસો માટે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ચોમાસાની સિઝન દરમિયાન અનેક વખત રોડ રસ્તા તૂટવાની ઘટનાઓ સામે આવતી હોય છે. રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે. રસ્તાઓ પર અનેકો ખાડા જોવા મળતા હોય છે. ત્યારે ગુજરાતમાં વરસેલા વરસાદને કારણે ભરૂચના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તાઓ તૂટી જવાને કારણે વાહનચાલકોને તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઈસુદાન ગઢવીએ વીડિયો શેર કર્યો છે જેમાં રસ્તાની કેવી દયનિય પરિસ્થિતિ છે તે બતાવવામાં આવી છે.

સામાન્ય દિવસોમાં પણ રસ્તાઓ પર જોવા મળતા હોય છે ખાડા 

આપણા રાજ્યને વિકાસ મોડલ તરીકે દેશભરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં થયેલા કામોને કેન્દ્ર સરકાર દેશભરમાં ગણાવતી હોય છે. પરંતુ અનેક વખત રસ્તા પર પડેલા ખાડાઓ વિકાસની પોલ ખોલી દેતા હોય છે. થોડા સમય પહેલા બનેલા રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. રસ્તાના નિર્માણ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારને કારણે ખાડાઓ પડી જતા હોય છે. ત્યારે હમણાં તો વરસાદી સિઝન છે. વરસાદી સિઝન દરમિયાન રસ્તાઓનું ધોવાણ થવું સામાન્ય છે. ગુજરાતના અનેક રસ્તાઓ છે જેની પર વરસાદને કારણે ખાડા પડી ગયા છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતા માર્ગ પર આવેલા હાડોડ બ્રિજના અમુક ભાગ એક બાજુથી બેસી ગયો છે. તે ઉપરાંત આવા તો અનેક રસ્તાઓ છે જ્યાં ખાડા પડવું, રસ્તાનું ધોવાણ થવું સામાન્ય હોય છે.


વિપક્ષી પાર્ટીઓએ કર્યા ભાજપ સરકાર પર પ્રહાર!

જ્યારે જ્યારે રસ્તા પર ખાડા પડતા હોય છે ત્યારે ત્યારે સામાન્ય માણસને તો મુશ્કેલી વેઠવાનો વારો આવે છે પરંતુ દર્દીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રસ્તાઓનું ધોવાણ થવાને કારણે રાજકારણ પણ શરૂ થઈ જતું હોય છે. ભાજપની સરકાર પર વિપક્ષી પાર્ટીઓ આકરા પ્રહાર કરતા હોય છે. ત્યારે ઈસુદાન ગઢવીએ એક પોસ્ટ શેર કરી છે જેમાં રસ્તાનો વીડિયો મૂકવામાં આવ્યો છે. ઈસુદાન ગઢવીએ પોસ્ટ શેર કરતા લખ્યું કે આ તસવીર ચંદ્રની નથી! ભાજરના ગુજરાત મોડલની છે. સાંભળ્યું છે કે અમુક લુટેરાઓએ ગુજરાતની આવી દશા કરી દીધી છે? તે સિવાય ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ એક ટીવી ચેનલનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. એ વીડિયોમાં મહીસાગર અમદાવાદને જોડતો હોડોડ બ્રિજ બતાવવામાં આવ્યો છે જે એક સાઈડથી બેસી ગયો છે. આ પુલ ભાજપની ડબલ એન્જિનની સરકારનો ભ્રષ્ટાચાર બતાવે છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.