સમાજ પર દમન ગુજારવામાં આવે છે ત્યારે સરકારના ચાપલૂસીયા દલિત અધિકારીઓ ચૂપ રહેશે: જીગ્નેશ મેવાણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 18:52:32

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણી આવતા જ સામાજિક સંગઠનો દ્વારા સામાજિક કાર્યક્રમ અને સામાજિક મેળવવા થઈ રહ્યા છે જેમાં સમાજના લોકો મુખ્યત્વે ગાંધીનગર આવીને પોતાના સમાજના કાર્યક્રમ કરી રહ્યા છે, જે તે સમાજના આગેવાનો દ્વારા સમાજને કોઈ એક પાર્ટી પ્રત્યે અભિમુખ કરવા માટે આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે.


રોહિત સમાજનું સૌપ્રથમ મહા સંમેલન


સમગ્ર ગુજરાતના રોહિત સમાજનું સૌપ્રથમ મહા સંમેલન આજે ગાંધીનગરનાં સેકટર 11માં આવેલ રામ કથા મેદાનમાં યોજાયું હતું. આ મહા સંમેલનમાં રાજ્યમાં વસતા 26 જેટલાં અલગ અલગ પરગણા સમૂહના ગામોના લગભગ 1 લાખ જેટલા અનુસૂચિત જાતિના રોહિત સમાજના લોકો આવ્યા હતા.


 જીગ્નેશ મેવાણીના દલિત અધિકારીઓ પર ચાબખા


આ મહા સંમેલનમાં હાજર રહેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિત અધિકારીઓને નિશાન બનાવી પ્રહારો કર્યા હતા.  જીગ્નેશ મેવાણીએ દલિત અધિકારીઓ ચાપલૂસીયા કહ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે પણ દલિત સમાજ પર દમન ગુજારવામાં આવે છે ત્યારે સરકારના આ ચાપલૂસીયા અધિકારીઓ ચૂપ રહેશે.


જીગ્નેશ મેવાણીએ તેમના 40 મિનિટના ભાષણમાં સામાજીક મુદ્દાઓ અને સમાજની એકતાની વાત કરી હતી. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે હું કોઇ ગોર, પરગણા કે પેટા જ્ઞાતિનો નેતા નથી હું સમગ્ર ગુજરાતના 50 લાખ દલિતોનો નેતા છું. મેવાણીએ સમાજને આગળ આવવા જાતિના વાડા છોડી સમાજની જ્ઞાતિઓ વચ્ચે આંતર જ્ઞાતિય લગ્ન થાય એ સંદેશ લોકોને આપ્યો હતો. દલિતો ઉપર થતાં અત્યાચાર મુદ્દે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સમાજના લોકો ઉપર અત્યાચાર થાય છે ત્યારે સમાજના અનામતથી બનેલા અધિકારીઓ પર મને ભરોસો હોતો નથી અને જેના કારણે હું SIT ની ટીમમાં દલિત અધિકારી સિવાયના અધિકારીની માંગણી કરું છું કારણ કે દલિત સમાજના અધિકારીઓ સરકારની ચાપલૂસી કરે છે.


દલિતોએ એક થવાનું છે


જીગ્નેશ મેવાણીએ તેમના ભાષણમાં બાબા સાહેબ અને સંત રોહિદાસજીને યાદ કરતા તેમના સંદેશને આગળ વધારવા દલિતોની એકતા પર ભાર મુક્યો હતો, દુનિયાના દલિતોએ એક થવાનું છે અને સરકાર કોઇ પણની પણ હોય, સમાજ સાથે અન્યાય થશે ત્યારે ન્યાય માટે ઊભો રહીશ અને પક્ષ પછી આવે છે. તેમણે કહ્યું કે હવે કોઇ દલિત સમાજનો વરઘોડો રોકવાનો પ્રયત્ન કરશે તો તેની જાન અમે હેલિકોપ્ટરમાં કાઢીશું.


સમગ્ર ગુજરાતના રોહિત સમાજના મહાસંમેલનમાં જીગ્નેશ મેવાણી મેવાણી ઉપરાંત મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી અને એ સિવાય રોહિત સમાજમાંથી આવતા મંત્રી મનીષાબેન વકીલ, ધારાસભ્ય કરશનભાઈ સોલંકીએ પણ હાજરી ઉપસ્થિત રહ્યા હતા.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.