21 કલાકની જહેમત બાદ પણ રોશનીને ન બચાવી શકાઈ, આજે સવારે બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો


  • Published By :
  • Published Date : 2023-06-04 12:24:02

જામનગર તાલુકાના તમાચણ ગામે ગઈકાલે વાડી વિસ્તારમાં અઢી વર્ષની નાની બાળકી રોશની આશરે 35 થી 40 ફૂટ બોરમાં પડીને ફસાઈ ગઈ હતી. બાળકીને બચાવવા માટે રેસ્કયુ ટીમની મદદ લેવામા આવી હતી જો કે તેને બચાવી શકાઈ નથી. ખુલ્લા બોરવેલમાં પડી ગયેલી બાળકીને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમે 21 કલાકની ભારે જહેમત ઉઠાવી હતી. આજે સવારે બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.


તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા


રોશનીને સલામત રીતે બોરવેલમાથી બહાર કાઢવા રેસ્ક્યુ ટીમ દ્રારા તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતાં. જેસીબી અને હીટાચી મશીનની મદદથી બોરવેલની બાજુમાં બે મોટા ખાડા ખોદીને તે બહાર કાઢવાના પ્રસાસ થયા, પરંતુ પથ્થરાળ જમીન અને જુના મશીનોથી  હોવાથી ખાડો ખોદી ના શકાયો. આ કવાયતમાં ફાયરબ્રિગેડની ઉપરાંત ગાંધીનગર અને વડોદરાની NDRFની ટીમ સહિત આર્મી જવાનોની ટીમ દ્વારા  ભારે મહેનત કરવામાં આવી રહી હતી. પરંતુ બાળકીનું મોત થતાં 21 કલાકની ભારે જહેમત બાદ માસૂમનો મૃતદેહ બહાર કઢાયો હતો.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


જામનગર તાલુકાના તમાચણ ગામમા ચંદુ ગોવિંદ ગોહીલની વાડીમાં આવેલા બોરવેલમાં ગઈકાલે સવારે 9:00 વાગ્યાની આસપાસ બાળકી બોરવેલમાં ખાબકી હતી. મૂળ મધ્યપ્રદેશ વતની મજુરના બે વર્ષની બાળકી રોશની પિતરાઈ ભાઈ-બહેનો સાથે રમતી હતી ત્યારે અચાનક અકસ્માતે રમતા રમતા બોરવેલમા પડી હતી. જોકે બોરવેલ પર પથ્થર રાખવામાં આવ્યો હતો. પરંતુ બાળકો તે પથ્થર હટાવી લેતા અકસ્માત સર્જાયો હતો. અને નાની બાળકી રોશની આશરે 35 થી 40 ફૂટ બોરમાં પડીને ફસાઈ હતી સાથે રમતા બાળકો વાડીમા હાજર રહેલા લોકોને જાણ કરી અને વાલીને જાણ તથા રેસ્કયુ ટીમની મદદ લેવામા આવી હતી. ઘટનાને પગલે રેસ્કયુ ટીમની સાથે 108 એમ્બ્યુલન્સ, તેમજ જામવંથલીની એમ્બ્યુલન્સ, મેડીકલ ટીમ, પોલીસની ટીમ, ટીડીઓ, મામલતદાર સહીતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.