21 કલાકની જહેમત બાદ પણ રોશનીને ન બચાવી શકાઈ, આજે સવારે બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો


  • Published By :
  • Published Date : 2023-06-04 12:24:02

જામનગર તાલુકાના તમાચણ ગામે ગઈકાલે વાડી વિસ્તારમાં અઢી વર્ષની નાની બાળકી રોશની આશરે 35 થી 40 ફૂટ બોરમાં પડીને ફસાઈ ગઈ હતી. બાળકીને બચાવવા માટે રેસ્કયુ ટીમની મદદ લેવામા આવી હતી જો કે તેને બચાવી શકાઈ નથી. ખુલ્લા બોરવેલમાં પડી ગયેલી બાળકીને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમે 21 કલાકની ભારે જહેમત ઉઠાવી હતી. આજે સવારે બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.


તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા


રોશનીને સલામત રીતે બોરવેલમાથી બહાર કાઢવા રેસ્ક્યુ ટીમ દ્રારા તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતાં. જેસીબી અને હીટાચી મશીનની મદદથી બોરવેલની બાજુમાં બે મોટા ખાડા ખોદીને તે બહાર કાઢવાના પ્રસાસ થયા, પરંતુ પથ્થરાળ જમીન અને જુના મશીનોથી  હોવાથી ખાડો ખોદી ના શકાયો. આ કવાયતમાં ફાયરબ્રિગેડની ઉપરાંત ગાંધીનગર અને વડોદરાની NDRFની ટીમ સહિત આર્મી જવાનોની ટીમ દ્વારા  ભારે મહેનત કરવામાં આવી રહી હતી. પરંતુ બાળકીનું મોત થતાં 21 કલાકની ભારે જહેમત બાદ માસૂમનો મૃતદેહ બહાર કઢાયો હતો.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


જામનગર તાલુકાના તમાચણ ગામમા ચંદુ ગોવિંદ ગોહીલની વાડીમાં આવેલા બોરવેલમાં ગઈકાલે સવારે 9:00 વાગ્યાની આસપાસ બાળકી બોરવેલમાં ખાબકી હતી. મૂળ મધ્યપ્રદેશ વતની મજુરના બે વર્ષની બાળકી રોશની પિતરાઈ ભાઈ-બહેનો સાથે રમતી હતી ત્યારે અચાનક અકસ્માતે રમતા રમતા બોરવેલમા પડી હતી. જોકે બોરવેલ પર પથ્થર રાખવામાં આવ્યો હતો. પરંતુ બાળકો તે પથ્થર હટાવી લેતા અકસ્માત સર્જાયો હતો. અને નાની બાળકી રોશની આશરે 35 થી 40 ફૂટ બોરમાં પડીને ફસાઈ હતી સાથે રમતા બાળકો વાડીમા હાજર રહેલા લોકોને જાણ કરી અને વાલીને જાણ તથા રેસ્કયુ ટીમની મદદ લેવામા આવી હતી. ઘટનાને પગલે રેસ્કયુ ટીમની સાથે 108 એમ્બ્યુલન્સ, તેમજ જામવંથલીની એમ્બ્યુલન્સ, મેડીકલ ટીમ, પોલીસની ટીમ, ટીડીઓ, મામલતદાર સહીતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.