21 કલાકની જહેમત બાદ પણ રોશનીને ન બચાવી શકાઈ, આજે સવારે બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો


  • Published By :
  • Published Date : 2023-06-04 12:24:02

જામનગર તાલુકાના તમાચણ ગામે ગઈકાલે વાડી વિસ્તારમાં અઢી વર્ષની નાની બાળકી રોશની આશરે 35 થી 40 ફૂટ બોરમાં પડીને ફસાઈ ગઈ હતી. બાળકીને બચાવવા માટે રેસ્કયુ ટીમની મદદ લેવામા આવી હતી જો કે તેને બચાવી શકાઈ નથી. ખુલ્લા બોરવેલમાં પડી ગયેલી બાળકીને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમે 21 કલાકની ભારે જહેમત ઉઠાવી હતી. આજે સવારે બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.


તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા


રોશનીને સલામત રીતે બોરવેલમાથી બહાર કાઢવા રેસ્ક્યુ ટીમ દ્રારા તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતાં. જેસીબી અને હીટાચી મશીનની મદદથી બોરવેલની બાજુમાં બે મોટા ખાડા ખોદીને તે બહાર કાઢવાના પ્રસાસ થયા, પરંતુ પથ્થરાળ જમીન અને જુના મશીનોથી  હોવાથી ખાડો ખોદી ના શકાયો. આ કવાયતમાં ફાયરબ્રિગેડની ઉપરાંત ગાંધીનગર અને વડોદરાની NDRFની ટીમ સહિત આર્મી જવાનોની ટીમ દ્વારા  ભારે મહેનત કરવામાં આવી રહી હતી. પરંતુ બાળકીનું મોત થતાં 21 કલાકની ભારે જહેમત બાદ માસૂમનો મૃતદેહ બહાર કઢાયો હતો.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


જામનગર તાલુકાના તમાચણ ગામમા ચંદુ ગોવિંદ ગોહીલની વાડીમાં આવેલા બોરવેલમાં ગઈકાલે સવારે 9:00 વાગ્યાની આસપાસ બાળકી બોરવેલમાં ખાબકી હતી. મૂળ મધ્યપ્રદેશ વતની મજુરના બે વર્ષની બાળકી રોશની પિતરાઈ ભાઈ-બહેનો સાથે રમતી હતી ત્યારે અચાનક અકસ્માતે રમતા રમતા બોરવેલમા પડી હતી. જોકે બોરવેલ પર પથ્થર રાખવામાં આવ્યો હતો. પરંતુ બાળકો તે પથ્થર હટાવી લેતા અકસ્માત સર્જાયો હતો. અને નાની બાળકી રોશની આશરે 35 થી 40 ફૂટ બોરમાં પડીને ફસાઈ હતી સાથે રમતા બાળકો વાડીમા હાજર રહેલા લોકોને જાણ કરી અને વાલીને જાણ તથા રેસ્કયુ ટીમની મદદ લેવામા આવી હતી. ઘટનાને પગલે રેસ્કયુ ટીમની સાથે 108 એમ્બ્યુલન્સ, તેમજ જામવંથલીની એમ્બ્યુલન્સ, મેડીકલ ટીમ, પોલીસની ટીમ, ટીડીઓ, મામલતદાર સહીતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.