શાકભાજી માર્કેટમાંથી કચરા પેટીમાં ફેંકવામાં આવેલા સડેલા ટામેટાનો ફરી વેપલો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-16 16:19:33

દેશભરમાં ટામેટાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. સામાન્ય માણસોથી ઠીક અમિરોના રસોડામાંથી પણ ટામેટા ગાયબ થઈ ગયા છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોના શાકભાજી માર્કેટમાં ટામેટા 150 થી 200 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે. જો કે હવે લેભાગુ તત્વો સડેલા અને કચરામાં ફેંકી દેવાયેલા ટામેટા પણ શાકબાજી માર્કેટમાં વેચી રહ્યા છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં કચરા ભરેલા ટ્રેક્ટરમાંથી સડેલા ટામેટા કેરેટમાં ભરતા બે વ્યક્તિ નજરે પડી રહ્યા છે. આમ શાકભાજી માર્કેટમાંથી કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કચરા ભરેલા ટ્રેક્ટરમાંથી કેરેટમાં ભરાઇ રહ્યા છે. આવા ટામેટા તમને ગંભીર રીતે બીમાર કરશે તેવું ચોક્કસપણે કહીં શકાય. 


વીડિયો સુરતનો હોવાની આશંકા


ટામેટાના ભાવ વધતા લેભાગુ તત્વો લોકોના આરોગ્યના દુશ્મનો સક્રિય થયા છે. ફેંકી દેવાયેલા ટામેટા ફરી તમને અપાય છે. સડેલા અને કચરામાં ફેંકી દેવાયેલા ટામેટા એકઠા કરી ફરી તેનું શાક માર્કેટમાં વેચાણ કરે છે. આવા ટામેટા તમને ગંભીર બીમાર કરશે તે નક્કી છે.  સુરતમાં સડેલા ટામેટા વેચાતા હોવાનો એક વીડિયોના આધારે પર્દાફાશ થયો છે. સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલા આ વીડિયોમાં સડેલા ટામેટા કચરામાંથી વીળીને વેચાણ કરતાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. થોડાક પૈસાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ ડુંગળી અને બટાકા કચરામાંથી એકઠા કરવામાં આવતાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે.


સસ્તા ટામેટાથી ભરમાતા નહીં


ટામેટાના ભાવ વધી રહ્યા ત્યારે મોંઘવારીથી ત્રસ્ત લોકો સસ્તી વસ્તુઓ શોધતાં હોય છે. આ સ્થિતીમાં ફેરિયાઓ તેનો લાભ લઇને લોકોના આરોગ્યની ચિંતા કર્યા વગર જ આ પ્રકારના ચેડાં કરતાં હોય છે. ટામેટા મોંઘા થતાં લોકોને સસ્તા ટામેટા વેચી વધુ નફો મેળવવાની લાલાચમાં અમુક તત્વો આ પ્રકારનું કૃત્ય કરતાં હોય છે. પરંતુ ચોમાસાની સાથે રોગચાળો ફેલાતો હોય છે, આવામાં લોકોએ આવી વસ્તુઓથી સાવચેત રહેવાની જરૂર છે. સરકારે પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ લેભાગુ તત્વો સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ માગ ઉઠી રહી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.