શાકભાજી માર્કેટમાંથી કચરા પેટીમાં ફેંકવામાં આવેલા સડેલા ટામેટાનો ફરી વેપલો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-16 16:19:33

દેશભરમાં ટામેટાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. સામાન્ય માણસોથી ઠીક અમિરોના રસોડામાંથી પણ ટામેટા ગાયબ થઈ ગયા છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોના શાકભાજી માર્કેટમાં ટામેટા 150 થી 200 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે. જો કે હવે લેભાગુ તત્વો સડેલા અને કચરામાં ફેંકી દેવાયેલા ટામેટા પણ શાકબાજી માર્કેટમાં વેચી રહ્યા છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં કચરા ભરેલા ટ્રેક્ટરમાંથી સડેલા ટામેટા કેરેટમાં ભરતા બે વ્યક્તિ નજરે પડી રહ્યા છે. આમ શાકભાજી માર્કેટમાંથી કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કચરા ભરેલા ટ્રેક્ટરમાંથી કેરેટમાં ભરાઇ રહ્યા છે. આવા ટામેટા તમને ગંભીર રીતે બીમાર કરશે તેવું ચોક્કસપણે કહીં શકાય. 


વીડિયો સુરતનો હોવાની આશંકા


ટામેટાના ભાવ વધતા લેભાગુ તત્વો લોકોના આરોગ્યના દુશ્મનો સક્રિય થયા છે. ફેંકી દેવાયેલા ટામેટા ફરી તમને અપાય છે. સડેલા અને કચરામાં ફેંકી દેવાયેલા ટામેટા એકઠા કરી ફરી તેનું શાક માર્કેટમાં વેચાણ કરે છે. આવા ટામેટા તમને ગંભીર બીમાર કરશે તે નક્કી છે.  સુરતમાં સડેલા ટામેટા વેચાતા હોવાનો એક વીડિયોના આધારે પર્દાફાશ થયો છે. સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલા આ વીડિયોમાં સડેલા ટામેટા કચરામાંથી વીળીને વેચાણ કરતાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. થોડાક પૈસાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ ડુંગળી અને બટાકા કચરામાંથી એકઠા કરવામાં આવતાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે.


સસ્તા ટામેટાથી ભરમાતા નહીં


ટામેટાના ભાવ વધી રહ્યા ત્યારે મોંઘવારીથી ત્રસ્ત લોકો સસ્તી વસ્તુઓ શોધતાં હોય છે. આ સ્થિતીમાં ફેરિયાઓ તેનો લાભ લઇને લોકોના આરોગ્યની ચિંતા કર્યા વગર જ આ પ્રકારના ચેડાં કરતાં હોય છે. ટામેટા મોંઘા થતાં લોકોને સસ્તા ટામેટા વેચી વધુ નફો મેળવવાની લાલાચમાં અમુક તત્વો આ પ્રકારનું કૃત્ય કરતાં હોય છે. પરંતુ ચોમાસાની સાથે રોગચાળો ફેલાતો હોય છે, આવામાં લોકોએ આવી વસ્તુઓથી સાવચેત રહેવાની જરૂર છે. સરકારે પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ લેભાગુ તત્વો સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ માગ ઉઠી રહી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.