2000 રૂપિયાની નોટો બદલવાની આવતી કાલે છેલ્લી તક, રૂ. 12 હજાર કરોડની નોટો હજુ પણ પરત નથી આવી


  • Published By :
  • Published Date : 2023-10-06 21:36:04

ભારતીય રિઝર્વ બેંકે 19 મે 2023 ના રોજ જાહેરાત કરીને 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લીધી હતી. RBIએ લોકોને 30 સપ્ટેમ્બર, 2023 સુધીનો સમય આપ્યો હતો કે તેઓ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરી શકે અથવા તેને અન્ય મૂલ્યની નોટો બદલાવી શકે, જે ગયા સપ્તાહે સમાપ્ત થયા બાદ આરબીઆઈએ સમયમર્યાદા એક સપ્તાહ માટે લંબાવી હતી અને રૂ. 2000ની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર નક્કી કરી છે. પરંતુ, હજુ પણ બજારમાં રૂ. 2000ની 12,000 કરોડની કરન્સી હજુ પણ અસ્તિત્વમાં છે. RBI અનુસાર, 2000ની 3.56 લાખ કરોડ રૂપિયાની નોટોમાંથી 12,000 કરોડ રૂપિયા હજુ પરત આવી નથી. 


રૂ.2000  નોટ બદલવાનો આવતીકાલે છેલ્લો દિવસ


2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરવાનો અથવા નોટ બદલાવવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. આ પહેલાં આજે એટલે કે શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2000 રૂપિયાની 96%થી વધુ નોટો બેંકમાં પાછી આવી છે, જેની કિંમત 3.43 લાખ કરોડ રૂપિયા છે. એમાંથી 87% નોટો બેંકમાં જમા થઈ ગઈ છે. બાકીની નોટો અન્ય નોટો માટે બદલી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે હાલમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં છે, જે પરત આવવાની બાકી છે. આરબીઆઈએ ગયા શનિવારે જણાવ્યું હતું કે 29 સપ્ટેમ્બર સુધી 3.42 લાખ કરોડ રૂપિયાની નોટો પાછી આવી ગઈ છે અને 14,000 કરોડ રૂપિયા પરત કરવાના બાકી છે. સેન્ટ્રલ બેંકે પણ નોટો પરત કરવાની સમયમર્યાદા એક સપ્તાહ લંબાવી હતી, જે આવતીકાલે 7 ઓક્ટોબરે પૂરી થઈ રહી છે.



29 મે 2023ના નોટો પાછી ખેંચવાની કરાઈ હતી જાહેરાત


2000 રૂપિયાની ગુલાબી નોટ પરત કરવાની છેલ્લી તારીખ આવતીકાલે એટલે કે 7મી ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થઈ રહી છે. અત્યાર સુધી ઘણા લોકોએ 2000 રૂપિયાની નોટ બદલી કે જમા કરાવી નથી. તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 29 મે 2023ના રોજ બજારમાંથી ગુલાબી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી, બેંકે તેને પરત કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખી હતી, જે વધારીને 7 ઓક્ટોબર કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે 7 ઓક્ટોબર પછી 2000 રૂપિયાની નોટો ફક્ત RBI ઓફિસમાં જ બદલી શકાશે. 8 ઓક્ટોબરથી બેંક શાખાઓમાં નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા બંધ થઈ જશે. આ પછી લોકોએ નોટો બદલવા માટે આરબીઆઈની હાલની 19 ઓફિસમાં જવું પડશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે