વિજયાદશમીના નિમિત્તે Nagpurમાં યોજાયું RSSનું પથસંચલન, દેશવાસીઓને Mohan Bhagwatએ આપ્યો આ સંદેશ.. સાંભળો Manipur વિશે શું બોલ્યા?


  • Published By :
  • Published Date : 2023-10-24 12:35:33

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે આજે એટલે કે દશેરાના દિવસે પોતાના 95મી સ્થાપના દિવસની ઉજવણી કરી છે. ધામધૂમથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સંઘના પ્રમુખ મોહન ભાગવતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. કાર્યકર્તાઓને સંબોધતા તેમણે વિશ્વમાં અને ભારતમાં પણ કેટલાક લોકો એવા છે જેઓ ઈચ્છતા કે ભારત આગળ ન વધે. તેઓ સમાજમાં જૂથબંધી અને અથડામણો ઉભી કરવાનો પ્રયાસ કરે છે. આપણી અજાણતા અને વિશ્વાસના અભાવને કારણે આપણે પણ ક્યારેક તેમાં ફસાઈ જઈએ છીએ જેથી બિનજરૂરી ઉપદ્રવ સર્જાય છે.

   

22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ધાટન થશે - મોહન ભાગવત 

તે ઉપરાંત પોતાના સંબોધનમાં તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રામ ભગવાનનો ફોટો આપણા બંધારણના પહેલા પેજ પર છે, તેમનું ભવ્ય મંદિર અયોધ્યામાં બની રહ્યું છે, તેનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે. આપણે બધા જઈ શકીશું નહીં, પરંતુ આપણે આપણી આસપાસના મંદિરોમાં જઈ શકીએ છીએ, આપણે દેશમાં ધાર્મિકતાનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ. આપણે ભારતના અમર યુગને જોઈ રહ્યા છીએ. 2000 વર્ષ સુધી સુખની શોધમાં દુનિયા અનેક પ્રયોગો કરીને થાકી ગઈ. એવી ઘણી બાબતો છે જેના માટે તે કોઈ ઉકેલ શોધી શક્યો નથી. બ્રહ્માંડ વૈવિધ્યસભર બન્યું છે, વૈવિધ્યસભર રહેશે, સ્વાર્થ પણ રહેશે, કટ્ટરવાદ પણ રહેશે.

મણિપુર હિંસા અંગે બોલ્યા મોહન ભાગવત

મણિપુર હિંસાનો પણ ઉલ્લેખ તેમણે પોતાના સંબોધનમાં  કર્યો હતો. 'મણિપુર શાંતિપૂર્ણ હતું, પરસ્પર વિખવાદ અચાનક કેવી રીતે ફાટી નીકળ્યો? શું મણિપુર હિંસા પાછળ સરહદ પારના આતંકવાદીઓ હતા? કોણે Meitei અને Kuki સમુદાયો એકબીજા સામે ઊભા હતા? તે સરહદી વિસ્તાર છે, ત્યાં સંઘર્ષો છે, તેનો ફાયદો કોને? મણિપુર હિંસા બાદ ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓ ત્યાં જઈને બેસી ગયા અને શાંતિ પ્રક્રિયા શરૂ કરવાનો પ્રયાસ કર્યો. આ હિંસા ભડકાવનારા કોણ હતા? જોતાં જ સ્પષ્ટ થાય છે કે આવું થયું નથી, થયું છે. હું સંઘના કાર્યકરોને સલામ કરું છું જેઓ તેમને ઉશ્કેરતી પરિસ્થિતિ પર કામ કરી રહ્યા છે.


મોહન ભાગવતે કર્યું શસ્ત્ર પૂજન

મહત્વનું છે કે આરએસએસના પથસંચલન કાર્યક્રમમાં સિંગર શંકર મહાદેવન હાજર હતા. તે ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરી સહિત અનેક કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર હતા. શંકર મહાદેવન આ ક્રાર્યક્રમના મુખ્યમહેમાન હતા. દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે અને મોહન ભાગવત દ્વારા પણ શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.