વિજયાદશમીના નિમિત્તે Nagpurમાં યોજાયું RSSનું પથસંચલન, દેશવાસીઓને Mohan Bhagwatએ આપ્યો આ સંદેશ.. સાંભળો Manipur વિશે શું બોલ્યા?


  • Published By :
  • Published Date : 2023-10-24 12:35:33

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે આજે એટલે કે દશેરાના દિવસે પોતાના 95મી સ્થાપના દિવસની ઉજવણી કરી છે. ધામધૂમથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સંઘના પ્રમુખ મોહન ભાગવતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. કાર્યકર્તાઓને સંબોધતા તેમણે વિશ્વમાં અને ભારતમાં પણ કેટલાક લોકો એવા છે જેઓ ઈચ્છતા કે ભારત આગળ ન વધે. તેઓ સમાજમાં જૂથબંધી અને અથડામણો ઉભી કરવાનો પ્રયાસ કરે છે. આપણી અજાણતા અને વિશ્વાસના અભાવને કારણે આપણે પણ ક્યારેક તેમાં ફસાઈ જઈએ છીએ જેથી બિનજરૂરી ઉપદ્રવ સર્જાય છે.

   

22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ધાટન થશે - મોહન ભાગવત 

તે ઉપરાંત પોતાના સંબોધનમાં તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રામ ભગવાનનો ફોટો આપણા બંધારણના પહેલા પેજ પર છે, તેમનું ભવ્ય મંદિર અયોધ્યામાં બની રહ્યું છે, તેનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે. આપણે બધા જઈ શકીશું નહીં, પરંતુ આપણે આપણી આસપાસના મંદિરોમાં જઈ શકીએ છીએ, આપણે દેશમાં ધાર્મિકતાનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ. આપણે ભારતના અમર યુગને જોઈ રહ્યા છીએ. 2000 વર્ષ સુધી સુખની શોધમાં દુનિયા અનેક પ્રયોગો કરીને થાકી ગઈ. એવી ઘણી બાબતો છે જેના માટે તે કોઈ ઉકેલ શોધી શક્યો નથી. બ્રહ્માંડ વૈવિધ્યસભર બન્યું છે, વૈવિધ્યસભર રહેશે, સ્વાર્થ પણ રહેશે, કટ્ટરવાદ પણ રહેશે.

મણિપુર હિંસા અંગે બોલ્યા મોહન ભાગવત

મણિપુર હિંસાનો પણ ઉલ્લેખ તેમણે પોતાના સંબોધનમાં  કર્યો હતો. 'મણિપુર શાંતિપૂર્ણ હતું, પરસ્પર વિખવાદ અચાનક કેવી રીતે ફાટી નીકળ્યો? શું મણિપુર હિંસા પાછળ સરહદ પારના આતંકવાદીઓ હતા? કોણે Meitei અને Kuki સમુદાયો એકબીજા સામે ઊભા હતા? તે સરહદી વિસ્તાર છે, ત્યાં સંઘર્ષો છે, તેનો ફાયદો કોને? મણિપુર હિંસા બાદ ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓ ત્યાં જઈને બેસી ગયા અને શાંતિ પ્રક્રિયા શરૂ કરવાનો પ્રયાસ કર્યો. આ હિંસા ભડકાવનારા કોણ હતા? જોતાં જ સ્પષ્ટ થાય છે કે આવું થયું નથી, થયું છે. હું સંઘના કાર્યકરોને સલામ કરું છું જેઓ તેમને ઉશ્કેરતી પરિસ્થિતિ પર કામ કરી રહ્યા છે.


મોહન ભાગવતે કર્યું શસ્ત્ર પૂજન

મહત્વનું છે કે આરએસએસના પથસંચલન કાર્યક્રમમાં સિંગર શંકર મહાદેવન હાજર હતા. તે ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરી સહિત અનેક કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર હતા. શંકર મહાદેવન આ ક્રાર્યક્રમના મુખ્યમહેમાન હતા. દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે અને મોહન ભાગવત દ્વારા પણ શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.