વિજયાદશમીના નિમિત્તે Nagpurમાં યોજાયું RSSનું પથસંચલન, દેશવાસીઓને Mohan Bhagwatએ આપ્યો આ સંદેશ.. સાંભળો Manipur વિશે શું બોલ્યા?


  • Published By :
  • Published Date : 2023-10-24 12:35:33

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે આજે એટલે કે દશેરાના દિવસે પોતાના 95મી સ્થાપના દિવસની ઉજવણી કરી છે. ધામધૂમથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સંઘના પ્રમુખ મોહન ભાગવતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. કાર્યકર્તાઓને સંબોધતા તેમણે વિશ્વમાં અને ભારતમાં પણ કેટલાક લોકો એવા છે જેઓ ઈચ્છતા કે ભારત આગળ ન વધે. તેઓ સમાજમાં જૂથબંધી અને અથડામણો ઉભી કરવાનો પ્રયાસ કરે છે. આપણી અજાણતા અને વિશ્વાસના અભાવને કારણે આપણે પણ ક્યારેક તેમાં ફસાઈ જઈએ છીએ જેથી બિનજરૂરી ઉપદ્રવ સર્જાય છે.

   

22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ધાટન થશે - મોહન ભાગવત 

તે ઉપરાંત પોતાના સંબોધનમાં તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રામ ભગવાનનો ફોટો આપણા બંધારણના પહેલા પેજ પર છે, તેમનું ભવ્ય મંદિર અયોધ્યામાં બની રહ્યું છે, તેનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે. આપણે બધા જઈ શકીશું નહીં, પરંતુ આપણે આપણી આસપાસના મંદિરોમાં જઈ શકીએ છીએ, આપણે દેશમાં ધાર્મિકતાનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ. આપણે ભારતના અમર યુગને જોઈ રહ્યા છીએ. 2000 વર્ષ સુધી સુખની શોધમાં દુનિયા અનેક પ્રયોગો કરીને થાકી ગઈ. એવી ઘણી બાબતો છે જેના માટે તે કોઈ ઉકેલ શોધી શક્યો નથી. બ્રહ્માંડ વૈવિધ્યસભર બન્યું છે, વૈવિધ્યસભર રહેશે, સ્વાર્થ પણ રહેશે, કટ્ટરવાદ પણ રહેશે.

મણિપુર હિંસા અંગે બોલ્યા મોહન ભાગવત

મણિપુર હિંસાનો પણ ઉલ્લેખ તેમણે પોતાના સંબોધનમાં  કર્યો હતો. 'મણિપુર શાંતિપૂર્ણ હતું, પરસ્પર વિખવાદ અચાનક કેવી રીતે ફાટી નીકળ્યો? શું મણિપુર હિંસા પાછળ સરહદ પારના આતંકવાદીઓ હતા? કોણે Meitei અને Kuki સમુદાયો એકબીજા સામે ઊભા હતા? તે સરહદી વિસ્તાર છે, ત્યાં સંઘર્ષો છે, તેનો ફાયદો કોને? મણિપુર હિંસા બાદ ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓ ત્યાં જઈને બેસી ગયા અને શાંતિ પ્રક્રિયા શરૂ કરવાનો પ્રયાસ કર્યો. આ હિંસા ભડકાવનારા કોણ હતા? જોતાં જ સ્પષ્ટ થાય છે કે આવું થયું નથી, થયું છે. હું સંઘના કાર્યકરોને સલામ કરું છું જેઓ તેમને ઉશ્કેરતી પરિસ્થિતિ પર કામ કરી રહ્યા છે.


મોહન ભાગવતે કર્યું શસ્ત્ર પૂજન

મહત્વનું છે કે આરએસએસના પથસંચલન કાર્યક્રમમાં સિંગર શંકર મહાદેવન હાજર હતા. તે ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરી સહિત અનેક કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર હતા. શંકર મહાદેવન આ ક્રાર્યક્રમના મુખ્યમહેમાન હતા. દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે અને મોહન ભાગવત દ્વારા પણ શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.