વિજયાદશમીના નિમિત્તે Nagpurમાં યોજાયું RSSનું પથસંચલન, દેશવાસીઓને Mohan Bhagwatએ આપ્યો આ સંદેશ.. સાંભળો Manipur વિશે શું બોલ્યા?


  • Published By :
  • Published Date : 2023-10-24 12:35:33

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે આજે એટલે કે દશેરાના દિવસે પોતાના 95મી સ્થાપના દિવસની ઉજવણી કરી છે. ધામધૂમથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સંઘના પ્રમુખ મોહન ભાગવતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. કાર્યકર્તાઓને સંબોધતા તેમણે વિશ્વમાં અને ભારતમાં પણ કેટલાક લોકો એવા છે જેઓ ઈચ્છતા કે ભારત આગળ ન વધે. તેઓ સમાજમાં જૂથબંધી અને અથડામણો ઉભી કરવાનો પ્રયાસ કરે છે. આપણી અજાણતા અને વિશ્વાસના અભાવને કારણે આપણે પણ ક્યારેક તેમાં ફસાઈ જઈએ છીએ જેથી બિનજરૂરી ઉપદ્રવ સર્જાય છે.

   

22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ધાટન થશે - મોહન ભાગવત 

તે ઉપરાંત પોતાના સંબોધનમાં તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રામ ભગવાનનો ફોટો આપણા બંધારણના પહેલા પેજ પર છે, તેમનું ભવ્ય મંદિર અયોધ્યામાં બની રહ્યું છે, તેનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે. આપણે બધા જઈ શકીશું નહીં, પરંતુ આપણે આપણી આસપાસના મંદિરોમાં જઈ શકીએ છીએ, આપણે દેશમાં ધાર્મિકતાનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ. આપણે ભારતના અમર યુગને જોઈ રહ્યા છીએ. 2000 વર્ષ સુધી સુખની શોધમાં દુનિયા અનેક પ્રયોગો કરીને થાકી ગઈ. એવી ઘણી બાબતો છે જેના માટે તે કોઈ ઉકેલ શોધી શક્યો નથી. બ્રહ્માંડ વૈવિધ્યસભર બન્યું છે, વૈવિધ્યસભર રહેશે, સ્વાર્થ પણ રહેશે, કટ્ટરવાદ પણ રહેશે.

મણિપુર હિંસા અંગે બોલ્યા મોહન ભાગવત

મણિપુર હિંસાનો પણ ઉલ્લેખ તેમણે પોતાના સંબોધનમાં  કર્યો હતો. 'મણિપુર શાંતિપૂર્ણ હતું, પરસ્પર વિખવાદ અચાનક કેવી રીતે ફાટી નીકળ્યો? શું મણિપુર હિંસા પાછળ સરહદ પારના આતંકવાદીઓ હતા? કોણે Meitei અને Kuki સમુદાયો એકબીજા સામે ઊભા હતા? તે સરહદી વિસ્તાર છે, ત્યાં સંઘર્ષો છે, તેનો ફાયદો કોને? મણિપુર હિંસા બાદ ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓ ત્યાં જઈને બેસી ગયા અને શાંતિ પ્રક્રિયા શરૂ કરવાનો પ્રયાસ કર્યો. આ હિંસા ભડકાવનારા કોણ હતા? જોતાં જ સ્પષ્ટ થાય છે કે આવું થયું નથી, થયું છે. હું સંઘના કાર્યકરોને સલામ કરું છું જેઓ તેમને ઉશ્કેરતી પરિસ્થિતિ પર કામ કરી રહ્યા છે.


મોહન ભાગવતે કર્યું શસ્ત્ર પૂજન

મહત્વનું છે કે આરએસએસના પથસંચલન કાર્યક્રમમાં સિંગર શંકર મહાદેવન હાજર હતા. તે ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરી સહિત અનેક કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર હતા. શંકર મહાદેવન આ ક્રાર્યક્રમના મુખ્યમહેમાન હતા. દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે અને મોહન ભાગવત દ્વારા પણ શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.