અમદાવાદ RTOનો સપાટો, 700 લાયસન્સ રદ કર્યા, જાણો શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-02-16 18:00:17

વાહન ચાલક ડ્રાઈવિંગ લાયસન્સ હોવા છતાં પણ જો કોઈ બેફામ ડ્રાઈવિંગ કરેશે તો તેના વિરૂધ્ધ કાર્યવાહી થઈ શકે છે. રસ્તાઓ પર રફ ડ્રાઈવિંગ કરી બીજા લોકો માટે ઘાતક બનતા આવા તત્વો યોગ્ય રીતે ડ્રાઈવિંગ કરે તે માટે આરટીઓ દ્વારા ખાસ ઝુંબેશ  ચલાવવામાં આવી રહી છે. જો  કોઈ વ્યક્તિ બેફામ ડ્રાઈવિંગ કરે છે અને તેની સામે RTOમાં ફરિયાદ કરવામાં આવે છે તો આ વ્યક્તિનું  ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ થઈ શકે છે. અમદાવાદ આરટીઓને લાયસન્સ રદ કરવા માટે અત્યાર સુધીમાં આવી 850 દરખાસ્ત મળી છે.


RTOને મળી 850 જેટલી અરજીઓ 


અમદાવાદ RTO કચેરીમાં લાયસન્સ રદ કરવા માટેની દરખાસ્તો આવી હતી. જેમાં ગુજરાત પોલીસ, રાજસ્થાન પોલીસ, ગોવા પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી દરખાસ્ત મળી છે. અત્યાર સુધીમાં કુલ 850 જેટલી અરજીઓ મળી છે. જેમાંથી 700થી વધુ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. લાયસન્સ રદ કરવા પાછળનો મુખ્ય કારણ એ છે કે, હિટ એન્ડ રન કેસ અથવા ફેટલ અકસ્માત જેવા કેસમાં લાયસન્સ રદ કરવામાં આવે છે. ગુજરાત બહારથી પણ અરજીઓ આવી હતી. કારણ કે ગુજરાતમાંથી વાહન બહાર ગયા હોય અને અકસ્માતમાં ફરિયાદ થાય તેવા સંજોગોમાં બહારની પોલીસ દ્વારા લાયસન્સ રદ કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં 700થી વધુ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત 150 ડ્રાઈવિંગ લાયસન્સ પર સુનાવણી ચાલું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.