અમદાવાદ RTOનો સપાટો, 700 લાયસન્સ રદ કર્યા, જાણો શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-02-16 18:00:17

વાહન ચાલક ડ્રાઈવિંગ લાયસન્સ હોવા છતાં પણ જો કોઈ બેફામ ડ્રાઈવિંગ કરેશે તો તેના વિરૂધ્ધ કાર્યવાહી થઈ શકે છે. રસ્તાઓ પર રફ ડ્રાઈવિંગ કરી બીજા લોકો માટે ઘાતક બનતા આવા તત્વો યોગ્ય રીતે ડ્રાઈવિંગ કરે તે માટે આરટીઓ દ્વારા ખાસ ઝુંબેશ  ચલાવવામાં આવી રહી છે. જો  કોઈ વ્યક્તિ બેફામ ડ્રાઈવિંગ કરે છે અને તેની સામે RTOમાં ફરિયાદ કરવામાં આવે છે તો આ વ્યક્તિનું  ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ થઈ શકે છે. અમદાવાદ આરટીઓને લાયસન્સ રદ કરવા માટે અત્યાર સુધીમાં આવી 850 દરખાસ્ત મળી છે.


RTOને મળી 850 જેટલી અરજીઓ 


અમદાવાદ RTO કચેરીમાં લાયસન્સ રદ કરવા માટેની દરખાસ્તો આવી હતી. જેમાં ગુજરાત પોલીસ, રાજસ્થાન પોલીસ, ગોવા પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી દરખાસ્ત મળી છે. અત્યાર સુધીમાં કુલ 850 જેટલી અરજીઓ મળી છે. જેમાંથી 700થી વધુ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. લાયસન્સ રદ કરવા પાછળનો મુખ્ય કારણ એ છે કે, હિટ એન્ડ રન કેસ અથવા ફેટલ અકસ્માત જેવા કેસમાં લાયસન્સ રદ કરવામાં આવે છે. ગુજરાત બહારથી પણ અરજીઓ આવી હતી. કારણ કે ગુજરાતમાંથી વાહન બહાર ગયા હોય અને અકસ્માતમાં ફરિયાદ થાય તેવા સંજોગોમાં બહારની પોલીસ દ્વારા લાયસન્સ રદ કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં 700થી વધુ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત 150 ડ્રાઈવિંગ લાયસન્સ પર સુનાવણી ચાલું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.