ભ્રષ્ટ RTO કર્મચારીઓ પર આવશે લગામ, 'બોડી વોર્ન કેમેરા'થી રહેશે નજર


  • Published By :
  • Published Date : 2023-01-09 11:57:46

ગુજરાતમાં સરકારના તમામ પ્રયાસો છતાં લોકો એજન્ટો પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી લે છે. એજન્ટોની RTO કચેરીઓના કર્મચારીઓ સાથેની સાંઠગાંઠના કારણે ટેસ્ટ આપ્યા વગર પણ લોકો ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી લે છે. જો કે હવે RTOમાં ગેરરીતિને અટકાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવશે. વિગતો મુજબ હવે RTOમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં ચાલે. મહત્વનું છે કે, હવે RTO તંત્ર પણ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે. જે મુજબ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર કર્મચારીને બોડીવોર્ન કેમેરા લગાવાશે. 


RTO કચેરીના કર્મીઓ કેમેરાથી સજ્જ


રાજ્યમાં હવે RTOમાં કોઈ ગેરરીતિ આચરી ન શકે તેવી કવાયત હાથ ધરાઇ છે. હવે દરેક RTO તંત્ર પણ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે. જેને લઈ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર કર્મચારી, દંડ વસૂલવાની શાખાના કર્મીઓ અને વાહનોના ફિટનેસની સકાસણી કરતા કર્મીઓના ખભા ઉપર બોડી વોર્ન કેમેરા લાગશે.  જેથી આ કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખી શકશે. મહત્વનું છે કે, આ કેમેરામાં કર્મચારીનો વીડિયો અને ઓડિયો રેકોર્ડ થશે. જેને લઈ RTO તંત્રનો વહીવટ અને પ્રક્રિયા પારદર્શક બની રહે. 


અત્યાધુનિક છે બોડી વોર્ન કેમેરા

 

બોડી વોર્ન કેમેરા ડિઝિટલ ઈન્સ્ટ્રમેન્ટ છે એટલું નાનું અને વજનમાં હલકું હોવાથી કર્મચારીઆના ખભા પાસે યુનિફોર્મ ઉપર ફીટ કરી શકાય છે. આ કેમેરામાં એક લેન્સ હોય છે, જેને ચારેય દિશામાં ફેરવી શકાય છે. એટલે કે રેકોર્ડિંગ કોઈપણ એંગલથી કરી શકાય છે. એક કેમેરાની કિંમત લગભગ 25 હજાર રૂપિયા છે. કેમેરા ડેટા 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. આ કેમેરા GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) અને GPRS (જનરલ પોકેટ રેડિયો સર્વિસ) દ્વારા સીધા જ કંટ્રોલ રૂમ સાથે લિંક કરી શકાય છે. ત્યાં બેઠેલા અધિકારીઓ કોઈપણ સમયે દરેક જવાનની એક્ટિવિટી ઓનલાઈન જોઈ શકશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.