પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જોડાઈ શકે છે કોંગ્રેસમાં, તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ


  • Published By :
  • Published Date : 2022-10-29 12:20:05

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણીના સમયે પાર્ટી છોડીને ગયેલા નેતાઓ પણ ઘરવાપસી કરી રાજનીતિમાં ફરી સક્રિય થવા માગે છે. હાલ જે પ્રમાણે ગુજરાતમાં રાજકારણ ચાલી રહ્યું છે તેમાં કંઈ પણ થવું અશક્ય નથી. થોડા સમય પહેલા એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ત્યારે આવી ચર્ચાઓ ફરી એક વખત થવા લાગી છે. એવું માનવામાં આવી રહ્યું છે ગમે તે સમયે બાપુ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ અગાઉ બાપુના પુત્રએ પણ કોંગ્રેસનો હાથ થામી લીધો છે. 

ભાજપના વિભીષણ' શંકરસિંહ વાઘેલાની સંઘથી રાજકારણની સફર - BBC News ગુજરાતી

રઘુ શર્મા અને બાપુ વચ્ચે ચાલી રહ્યો છે બેઠકોનો દોર

ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી જે પ્રમાણે પ્રચાર કરી રહી છે તે પ્રમાણે કોંગ્રેસ જોરશોરથી પ્રચાર નથી કરી રહી. કોંગ્રેસ પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવામાં લાગી છે. તેવા એવી વાતો વહેતી થઈ રહી છે કે ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી અને કોંગ્રેસને અલવિદા કહેનાર કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ઘરવાપસી કરી શકે છે. કેન્દ્રીય નેતાઓ ભલે ગુજરાતમાં આવી કોંગ્રેસનો પ્રચાર નથી કરી રહ્યા, પરંતુ રાજ્ય સ્તરે કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. એવુ માનવામાં આવી રહ્યું છે રઘુ શર્મા અને બાપુ વચ્ચે બેઠક થઈ હતી જેમાં તેમની એન્ટ્રીનો તખતો તૈયાર કરવામાં આવ્યો છે એવું મનાઈ રહ્યું છે.

Congress | New party president will have an unenviable task ahead

કોઈ પણ શરત વગર બાપુ કરી શકે છે ઘરવાપસી  

થોડા સમય પહેલા જ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં સામેલ થયા છે. એવું માનવામાં આવી રહ્યું છે બાપુતો કોંગ્રેસમાં રી-એન્ટ્રી કરવા ઉતાવડા થઈ રહ્યા છે, પરંતુ હાઈકમાન્ડે આ અંગે કોઈ નિર્ણય નથી આપ્યો. રઘુ શર્મા બાપુ સાથે બેઠક કરી રહ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ પણ શરત વગર બાપુ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેમના આગમનથી કોંગ્રેસ પાર્ટીને ઘણો ફાયદો થઈ શકે છે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.