પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જોડાઈ શકે છે કોંગ્રેસમાં, તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ


  • Published By :
  • Published Date : 2022-10-29 12:20:05

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણીના સમયે પાર્ટી છોડીને ગયેલા નેતાઓ પણ ઘરવાપસી કરી રાજનીતિમાં ફરી સક્રિય થવા માગે છે. હાલ જે પ્રમાણે ગુજરાતમાં રાજકારણ ચાલી રહ્યું છે તેમાં કંઈ પણ થવું અશક્ય નથી. થોડા સમય પહેલા એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ત્યારે આવી ચર્ચાઓ ફરી એક વખત થવા લાગી છે. એવું માનવામાં આવી રહ્યું છે ગમે તે સમયે બાપુ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ અગાઉ બાપુના પુત્રએ પણ કોંગ્રેસનો હાથ થામી લીધો છે. 

ભાજપના વિભીષણ' શંકરસિંહ વાઘેલાની સંઘથી રાજકારણની સફર - BBC News ગુજરાતી

રઘુ શર્મા અને બાપુ વચ્ચે ચાલી રહ્યો છે બેઠકોનો દોર

ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી જે પ્રમાણે પ્રચાર કરી રહી છે તે પ્રમાણે કોંગ્રેસ જોરશોરથી પ્રચાર નથી કરી રહી. કોંગ્રેસ પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવામાં લાગી છે. તેવા એવી વાતો વહેતી થઈ રહી છે કે ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી અને કોંગ્રેસને અલવિદા કહેનાર કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ઘરવાપસી કરી શકે છે. કેન્દ્રીય નેતાઓ ભલે ગુજરાતમાં આવી કોંગ્રેસનો પ્રચાર નથી કરી રહ્યા, પરંતુ રાજ્ય સ્તરે કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. એવુ માનવામાં આવી રહ્યું છે રઘુ શર્મા અને બાપુ વચ્ચે બેઠક થઈ હતી જેમાં તેમની એન્ટ્રીનો તખતો તૈયાર કરવામાં આવ્યો છે એવું મનાઈ રહ્યું છે.

Congress | New party president will have an unenviable task ahead

કોઈ પણ શરત વગર બાપુ કરી શકે છે ઘરવાપસી  

થોડા સમય પહેલા જ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં સામેલ થયા છે. એવું માનવામાં આવી રહ્યું છે બાપુતો કોંગ્રેસમાં રી-એન્ટ્રી કરવા ઉતાવડા થઈ રહ્યા છે, પરંતુ હાઈકમાન્ડે આ અંગે કોઈ નિર્ણય નથી આપ્યો. રઘુ શર્મા બાપુ સાથે બેઠક કરી રહ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ પણ શરત વગર બાપુ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેમના આગમનથી કોંગ્રેસ પાર્ટીને ઘણો ફાયદો થઈ શકે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.