પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જોડાઈ શકે છે કોંગ્રેસમાં, તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ


  • Published By :
  • Published Date : 2022-10-29 12:20:05

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણીના સમયે પાર્ટી છોડીને ગયેલા નેતાઓ પણ ઘરવાપસી કરી રાજનીતિમાં ફરી સક્રિય થવા માગે છે. હાલ જે પ્રમાણે ગુજરાતમાં રાજકારણ ચાલી રહ્યું છે તેમાં કંઈ પણ થવું અશક્ય નથી. થોડા સમય પહેલા એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ત્યારે આવી ચર્ચાઓ ફરી એક વખત થવા લાગી છે. એવું માનવામાં આવી રહ્યું છે ગમે તે સમયે બાપુ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ અગાઉ બાપુના પુત્રએ પણ કોંગ્રેસનો હાથ થામી લીધો છે. 

ભાજપના વિભીષણ' શંકરસિંહ વાઘેલાની સંઘથી રાજકારણની સફર - BBC News ગુજરાતી

રઘુ શર્મા અને બાપુ વચ્ચે ચાલી રહ્યો છે બેઠકોનો દોર

ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી જે પ્રમાણે પ્રચાર કરી રહી છે તે પ્રમાણે કોંગ્રેસ જોરશોરથી પ્રચાર નથી કરી રહી. કોંગ્રેસ પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવામાં લાગી છે. તેવા એવી વાતો વહેતી થઈ રહી છે કે ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી અને કોંગ્રેસને અલવિદા કહેનાર કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ઘરવાપસી કરી શકે છે. કેન્દ્રીય નેતાઓ ભલે ગુજરાતમાં આવી કોંગ્રેસનો પ્રચાર નથી કરી રહ્યા, પરંતુ રાજ્ય સ્તરે કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. એવુ માનવામાં આવી રહ્યું છે રઘુ શર્મા અને બાપુ વચ્ચે બેઠક થઈ હતી જેમાં તેમની એન્ટ્રીનો તખતો તૈયાર કરવામાં આવ્યો છે એવું મનાઈ રહ્યું છે.

Congress | New party president will have an unenviable task ahead

કોઈ પણ શરત વગર બાપુ કરી શકે છે ઘરવાપસી  

થોડા સમય પહેલા જ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં સામેલ થયા છે. એવું માનવામાં આવી રહ્યું છે બાપુતો કોંગ્રેસમાં રી-એન્ટ્રી કરવા ઉતાવડા થઈ રહ્યા છે, પરંતુ હાઈકમાન્ડે આ અંગે કોઈ નિર્ણય નથી આપ્યો. રઘુ શર્મા બાપુ સાથે બેઠક કરી રહ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ પણ શરત વગર બાપુ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેમના આગમનથી કોંગ્રેસ પાર્ટીને ઘણો ફાયદો થઈ શકે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.