વડોદરામાં રૂપાલાની ગુપ્ત બેઠક, દબંગ નેતા મધુશ્રીવાસ્તવને દૂર રખાયા


  • Published By :
  • Published Date : 2022-11-07 09:44:39

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. કોંગ્રેસ અને આપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ ઉમેદવારોને લઈ મનોમંથન કરી રહી છે. કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તે અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ રવિવારની મોડી રાત્રે ગુપ્ત બેઠક કરી હતી. એક ફાર્મ હાઉસમાં આ બેઠક યોજાઈ હતી પરંતુ આ બેઠકમાં મધુશ્રીવાસ્તવ હાજર ન હતા. જેને લઈ રાજકારણ ગરમાયું છે. 

અડધી રાતે વડોદરામાં મોટી હલચલ, રૂપાલાએ કરી ગુપ્ત બેઠક, દબંગ નેતાને મીટિંગથી દૂર રખાયા

રૂપાલાએ ફરી સેન્સ લીધા હોવાની ચર્ચા  

ચૂંટણી જાહેર થતાં જ  રાજકીય હલચલો જોવા મળી રહી છે. વડોદરામાં મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ગુપ્ત બેઠક કરી હતી. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી રાત્રે અચાનક વડોદરા પહોંચ્યા હતા અને એક બેઠક કરી હતી. આ બેઠક તેમણે ભાજપના વાઘોડિયા બેઠકના દાવેદારો તેમજ હોદ્દેદારો સાથે કરી હતી. પરંતુ નોંધ લેવા જેવી વાત એ છે કે આ બેઠકમાં દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ હાજર ન હતા. આ મિટીંગથી શ્રીવાસ્તવને દૂર રાખવામાં આવ્યા હતા. જેને લઈ અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે. 

Madhu Srivastava is considered the Dabangg leader of Gujarat | Gujarat  assembly elections 2022 | Madhu Srivastava history | news mt Gujarat  Elections: મધુ શ્રીવાસ્તવ ગણાય છે ગુજરાતના દબંગ નેતા, જાણો તેમની

બેઠકમાં ન બોલાવાયા વાઘોડિયાના ધારાસભ્યને  

ઉમેદવારને મેદાનમાં ઉતારતા પેહલા ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે રૂપાલાની આ બેઠકને લઈ એવું માનવામાં આવી રહ્યું છે કે વાઘોડિયામાં પરષોત્તમ રૂપાલાએ સેન્સ લીધી છે. પરંતુ મધુશ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રખાતા તેમનું પત્તુ કપાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.           



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.