વડોદરામાં રૂપાલાની ગુપ્ત બેઠક, દબંગ નેતા મધુશ્રીવાસ્તવને દૂર રખાયા


  • Published By :
  • Published Date : 2022-11-07 09:44:39

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. કોંગ્રેસ અને આપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ ઉમેદવારોને લઈ મનોમંથન કરી રહી છે. કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તે અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ રવિવારની મોડી રાત્રે ગુપ્ત બેઠક કરી હતી. એક ફાર્મ હાઉસમાં આ બેઠક યોજાઈ હતી પરંતુ આ બેઠકમાં મધુશ્રીવાસ્તવ હાજર ન હતા. જેને લઈ રાજકારણ ગરમાયું છે. 

અડધી રાતે વડોદરામાં મોટી હલચલ, રૂપાલાએ કરી ગુપ્ત બેઠક, દબંગ નેતાને મીટિંગથી દૂર રખાયા

રૂપાલાએ ફરી સેન્સ લીધા હોવાની ચર્ચા  

ચૂંટણી જાહેર થતાં જ  રાજકીય હલચલો જોવા મળી રહી છે. વડોદરામાં મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ગુપ્ત બેઠક કરી હતી. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી રાત્રે અચાનક વડોદરા પહોંચ્યા હતા અને એક બેઠક કરી હતી. આ બેઠક તેમણે ભાજપના વાઘોડિયા બેઠકના દાવેદારો તેમજ હોદ્દેદારો સાથે કરી હતી. પરંતુ નોંધ લેવા જેવી વાત એ છે કે આ બેઠકમાં દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ હાજર ન હતા. આ મિટીંગથી શ્રીવાસ્તવને દૂર રાખવામાં આવ્યા હતા. જેને લઈ અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે. 

Madhu Srivastava is considered the Dabangg leader of Gujarat | Gujarat  assembly elections 2022 | Madhu Srivastava history | news mt Gujarat  Elections: મધુ શ્રીવાસ્તવ ગણાય છે ગુજરાતના દબંગ નેતા, જાણો તેમની

બેઠકમાં ન બોલાવાયા વાઘોડિયાના ધારાસભ્યને  

ઉમેદવારને મેદાનમાં ઉતારતા પેહલા ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે રૂપાલાની આ બેઠકને લઈ એવું માનવામાં આવી રહ્યું છે કે વાઘોડિયામાં પરષોત્તમ રૂપાલાએ સેન્સ લીધી છે. પરંતુ મધુશ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રખાતા તેમનું પત્તુ કપાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.           



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"