Rajkot DRD મિટિંગમાં પહોંચેલા રુપાલાએ પત્રકારોને કહ્યું કે, મંત્રીપદમાંથી કેમ તેમનું પત્તુ કપાયું? જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-14 18:24:06

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારના મંત્રીમંડળે શપથ લઈ લીધા છે. કુલ 71 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા પરંતુ એમાં રાજકોટના સાંસદ અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલાનું નામ સામેલ નથી.જાણકારો કહે છે કે રૂપાલાને ક્ષત્રિયોનું આંદોલન નડી ગયું...


ક્ષત્રિય આંદોલનને કારણે કપાયું રૂપાલાનું મંત્રીમંડળમાં સ્થાન? 

લોકસભાની ચૂંટણીટાણે પરષોત્તમ રુપાલાએ રાજા રાજવીઓ પર કરેલી ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો... અને ટિકિટ ન કપાતા ક્ષત્રિયોએ ભાજપના વિરોધમાં પણ આંદોલન ચલાવ્યું....જો કે રુપાલાને મંત્રી પદ કેમ ન મળ્યું એ સવાલ બહુ જ ચર્ચામાં છે... તો આ મામલે એક મત સ્પષ્ટ પણે એવું કહે છે કે છે કે ક્ષત્રિયોના આંદોલનને કારણે જ રૂપાલાને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા નથી.... જ્યારે રૂપાલાના નિવેદન અંગે વિવાદ થયો અને ક્ષત્રિયોએ તેમને રાજકોટના ઉમેદવાર તરીકે હઠાવવાની માગ કરી ત્યારે તેઓ દિલ્હી ગયા હતા. 


એવું લાગતું હતું કે મંત્રી પદ મળશે પરંતુ.. 

તે વખતે અંદરખાને એક એવી વાત ચર્ચાઈ હતી કે રુપાલા સાહેબે દિલ્લીથી આવીને કહ્યું કે, જો મારે કારણે પક્ષને નુકસાન થતું હોય તો હું હટવા તૈયાર છું.' પરંતુ નરેન્દ્ર મોદીએ તેમનામાં વિશ્વાસ મૂક્યો અને ચૂંટણી માટેનું ઉમેદવારીપત્રક ભરવા કહ્યું. તે વખતે લાગતું હતું કે તેમને મંત્રીપદ મળશે પણ એવું થયું નથી.... મંત્રી પદ ન મળતા એવી ચર્ચા છે કે, ભાજપે હવે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ નુકસાન થતું બચવા માટે આ પગલું ભર્યું છે. 


એક મત એવું પણ માને છે કે... 

જો કે,એક મત એવું પણ કહે છે કે, હાલની મોદીના નેતૃત્વ હેઠળનો ભાજપ કેન્દ્રમાં એનડીએની ગઠબંધન સરકાર બનાવે છે એટલે આ વખતનાં જે ઘટક પક્ષો છે એમને મંત્રીપદ આપવાં પડે. એટલે સ્વાભાવિક છે કે જે કોઈ મંત્રીઓ ઓછા થવાના છે એ ભારતીય જનતા પાર્ટીના થવાના છે. એટલે ભાજપના મંત્રીઓ પર કાપ મૂકવો પડે એ મૂકવો પડે એટલે રુપાલાનું પત્તુ કપાયું... પણ પરષોત્તમ રુપાલા આજે રાજકોટ પહોંચ્યા હતા... જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે એમની બેઠક યોજાઈ હતી.. 



જ્યારે પરષોત્તમ રૂપાલાને પૂછવામાં આવ્યું કે..

જિલ્લા પંચાયતની DRDની મિટિંગ પહોંચ્યા હતા સાંસદ પરષોત્તમ રુપાલા... ત્યાં તેમને સવાલ પૂછવામાં આવ્યો કે મંત્રીપદમાંથી પત્તુ કપાયું શું કહેશો. જવાબ આપતા તેમણે કહ્યું કે આમાં એવું કંઈ છે જ નહીં.. મંત્રીપદ આપવું કે ના આપવું તેના કોઈ કારણો ના હોય. પક્ષ અને વડાપ્રધાને જે નિર્ણય લીધો હશે તે યોગ્ય જ હશે હું તેનું સ્વાગત કરૂં છું અને તે નિર્ણય મને સ્વીકાર્ય છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.