Rajkot DRD મિટિંગમાં પહોંચેલા રુપાલાએ પત્રકારોને કહ્યું કે, મંત્રીપદમાંથી કેમ તેમનું પત્તુ કપાયું? જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-14 18:24:06

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારના મંત્રીમંડળે શપથ લઈ લીધા છે. કુલ 71 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા પરંતુ એમાં રાજકોટના સાંસદ અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલાનું નામ સામેલ નથી.જાણકારો કહે છે કે રૂપાલાને ક્ષત્રિયોનું આંદોલન નડી ગયું...


ક્ષત્રિય આંદોલનને કારણે કપાયું રૂપાલાનું મંત્રીમંડળમાં સ્થાન? 

લોકસભાની ચૂંટણીટાણે પરષોત્તમ રુપાલાએ રાજા રાજવીઓ પર કરેલી ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો... અને ટિકિટ ન કપાતા ક્ષત્રિયોએ ભાજપના વિરોધમાં પણ આંદોલન ચલાવ્યું....જો કે રુપાલાને મંત્રી પદ કેમ ન મળ્યું એ સવાલ બહુ જ ચર્ચામાં છે... તો આ મામલે એક મત સ્પષ્ટ પણે એવું કહે છે કે છે કે ક્ષત્રિયોના આંદોલનને કારણે જ રૂપાલાને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા નથી.... જ્યારે રૂપાલાના નિવેદન અંગે વિવાદ થયો અને ક્ષત્રિયોએ તેમને રાજકોટના ઉમેદવાર તરીકે હઠાવવાની માગ કરી ત્યારે તેઓ દિલ્હી ગયા હતા. 


એવું લાગતું હતું કે મંત્રી પદ મળશે પરંતુ.. 

તે વખતે અંદરખાને એક એવી વાત ચર્ચાઈ હતી કે રુપાલા સાહેબે દિલ્લીથી આવીને કહ્યું કે, જો મારે કારણે પક્ષને નુકસાન થતું હોય તો હું હટવા તૈયાર છું.' પરંતુ નરેન્દ્ર મોદીએ તેમનામાં વિશ્વાસ મૂક્યો અને ચૂંટણી માટેનું ઉમેદવારીપત્રક ભરવા કહ્યું. તે વખતે લાગતું હતું કે તેમને મંત્રીપદ મળશે પણ એવું થયું નથી.... મંત્રી પદ ન મળતા એવી ચર્ચા છે કે, ભાજપે હવે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ નુકસાન થતું બચવા માટે આ પગલું ભર્યું છે. 


એક મત એવું પણ માને છે કે... 

જો કે,એક મત એવું પણ કહે છે કે, હાલની મોદીના નેતૃત્વ હેઠળનો ભાજપ કેન્દ્રમાં એનડીએની ગઠબંધન સરકાર બનાવે છે એટલે આ વખતનાં જે ઘટક પક્ષો છે એમને મંત્રીપદ આપવાં પડે. એટલે સ્વાભાવિક છે કે જે કોઈ મંત્રીઓ ઓછા થવાના છે એ ભારતીય જનતા પાર્ટીના થવાના છે. એટલે ભાજપના મંત્રીઓ પર કાપ મૂકવો પડે એ મૂકવો પડે એટલે રુપાલાનું પત્તુ કપાયું... પણ પરષોત્તમ રુપાલા આજે રાજકોટ પહોંચ્યા હતા... જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે એમની બેઠક યોજાઈ હતી.. 



જ્યારે પરષોત્તમ રૂપાલાને પૂછવામાં આવ્યું કે..

જિલ્લા પંચાયતની DRDની મિટિંગ પહોંચ્યા હતા સાંસદ પરષોત્તમ રુપાલા... ત્યાં તેમને સવાલ પૂછવામાં આવ્યો કે મંત્રીપદમાંથી પત્તુ કપાયું શું કહેશો. જવાબ આપતા તેમણે કહ્યું કે આમાં એવું કંઈ છે જ નહીં.. મંત્રીપદ આપવું કે ના આપવું તેના કોઈ કારણો ના હોય. પક્ષ અને વડાપ્રધાને જે નિર્ણય લીધો હશે તે યોગ્ય જ હશે હું તેનું સ્વાગત કરૂં છું અને તે નિર્ણય મને સ્વીકાર્ય છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.