Anupama ફેમ Rupali Ganguly આવશે Gujarat! Porbandar લોકસભા સીટના ઉમેદવાર Dr.Mansukh Mandaviya માટે કરશે પ્રચાર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-03 12:46:35

ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે... રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓને ગજવી રહ્યા છે.. પીએમ મોદી પોતે બે દિવસ માટે ગુજરાત આવ્યા હતા અને અનેક જનસભાને સંબોધી હતી.. ઉમેદવારોના પ્રચાર માટે અનેક નેતાઓ ગુજરાત આવી રહ્યા છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા માટે આવી શકે છે.. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા માટે તે પ્રચાર કરશે તેવી માહિતી સામે આવી છે.


પાર્ટીના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે ગુજરાતમાં પ્રચાર

છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતના ભાજપનો ગઢ માનવામાં આવે છે... ગુજરાતને ભાજપની રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં જે રણનીતિ ફોલો થાય છે. જે પ્રયોગો થાય છે તેને ભારતના અનેક રાજ્યોમાં અપલાય કરવામાં આવે છે.... ગુજરાતમાં 26એ 26 લોકસભા બેઠકો ભાજપ પાસે છે. આ વખતે પણ 26એ 26 બેઠકો પર કેસરિયો લહેરાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.... મતદારને રિઝવવા માટે દિગ્ગજ નેતાઓ જનસભાને સંબોધી રહ્યા છે. 


ડો. મનસુખ માંડવિયાના સમર્થનમાં પ્રચાર કરી શકે છે રૂપાલી ગાંગૂલી

આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ગુજરાતમાં આવી પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયા માટે પ્રચાર કરી શકે છે... મહત્વનું છે ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે... ત્રીજી વખત ભાજપની સરકાર કેન્દ્રમાં બને તે માટે મતદાતાઓને રિઝવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે... મહત્વનું છે કે ગુજરાત માટે ભાજપે લક્ષ્યાંક રાખ્યો છે પાંચ લાખની લીડ સાથે જીતવાનો.. ત્યારે આ લક્ષ્યાંક હાંસલ થાય છે કે કેમ તે ચોથી જૂને ખબર પડશે...    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.