Anupama ફેમ Rupali Ganguly આવશે Gujarat! Porbandar લોકસભા સીટના ઉમેદવાર Dr.Mansukh Mandaviya માટે કરશે પ્રચાર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-03 12:46:35

ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે... રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓને ગજવી રહ્યા છે.. પીએમ મોદી પોતે બે દિવસ માટે ગુજરાત આવ્યા હતા અને અનેક જનસભાને સંબોધી હતી.. ઉમેદવારોના પ્રચાર માટે અનેક નેતાઓ ગુજરાત આવી રહ્યા છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા માટે આવી શકે છે.. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા માટે તે પ્રચાર કરશે તેવી માહિતી સામે આવી છે.


પાર્ટીના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે ગુજરાતમાં પ્રચાર

છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતના ભાજપનો ગઢ માનવામાં આવે છે... ગુજરાતને ભાજપની રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં જે રણનીતિ ફોલો થાય છે. જે પ્રયોગો થાય છે તેને ભારતના અનેક રાજ્યોમાં અપલાય કરવામાં આવે છે.... ગુજરાતમાં 26એ 26 લોકસભા બેઠકો ભાજપ પાસે છે. આ વખતે પણ 26એ 26 બેઠકો પર કેસરિયો લહેરાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.... મતદારને રિઝવવા માટે દિગ્ગજ નેતાઓ જનસભાને સંબોધી રહ્યા છે. 


ડો. મનસુખ માંડવિયાના સમર્થનમાં પ્રચાર કરી શકે છે રૂપાલી ગાંગૂલી

આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ગુજરાતમાં આવી પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયા માટે પ્રચાર કરી શકે છે... મહત્વનું છે ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે... ત્રીજી વખત ભાજપની સરકાર કેન્દ્રમાં બને તે માટે મતદાતાઓને રિઝવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે... મહત્વનું છે કે ગુજરાત માટે ભાજપે લક્ષ્યાંક રાખ્યો છે પાંચ લાખની લીડ સાથે જીતવાનો.. ત્યારે આ લક્ષ્યાંક હાંસલ થાય છે કે કેમ તે ચોથી જૂને ખબર પડશે...    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.