Anupama ફેમ Rupali Ganguly આવશે Gujarat! Porbandar લોકસભા સીટના ઉમેદવાર Dr.Mansukh Mandaviya માટે કરશે પ્રચાર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-03 12:46:35

ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે... રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓને ગજવી રહ્યા છે.. પીએમ મોદી પોતે બે દિવસ માટે ગુજરાત આવ્યા હતા અને અનેક જનસભાને સંબોધી હતી.. ઉમેદવારોના પ્રચાર માટે અનેક નેતાઓ ગુજરાત આવી રહ્યા છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા માટે આવી શકે છે.. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા માટે તે પ્રચાર કરશે તેવી માહિતી સામે આવી છે.


પાર્ટીના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે ગુજરાતમાં પ્રચાર

છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતના ભાજપનો ગઢ માનવામાં આવે છે... ગુજરાતને ભાજપની રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં જે રણનીતિ ફોલો થાય છે. જે પ્રયોગો થાય છે તેને ભારતના અનેક રાજ્યોમાં અપલાય કરવામાં આવે છે.... ગુજરાતમાં 26એ 26 લોકસભા બેઠકો ભાજપ પાસે છે. આ વખતે પણ 26એ 26 બેઠકો પર કેસરિયો લહેરાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.... મતદારને રિઝવવા માટે દિગ્ગજ નેતાઓ જનસભાને સંબોધી રહ્યા છે. 


ડો. મનસુખ માંડવિયાના સમર્થનમાં પ્રચાર કરી શકે છે રૂપાલી ગાંગૂલી

આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ગુજરાતમાં આવી પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયા માટે પ્રચાર કરી શકે છે... મહત્વનું છે ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે... ત્રીજી વખત ભાજપની સરકાર કેન્દ્રમાં બને તે માટે મતદાતાઓને રિઝવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે... મહત્વનું છે કે ગુજરાત માટે ભાજપે લક્ષ્યાંક રાખ્યો છે પાંચ લાખની લીડ સાથે જીતવાનો.. ત્યારે આ લક્ષ્યાંક હાંસલ થાય છે કે કેમ તે ચોથી જૂને ખબર પડશે...    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે