US ડૉલરની તુલનામાં રૂપિયો તૂટીને 82.68ની સર્વકાલિન નીચી સપાટીએ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 12:17:20

ડોલરની તુલનામાં રૂપિયો સતત ગગડી રહ્યો છે, સોમવારે રૂપિયો અત્યાર સુધીની સર્વકાલિન નીચી સપાટીએ આવી ગયો છે. શરૂઆતના વેપારમાં, તે US ડૉલરની સરખામણીમાં 82.68 પ્રતિ ડૉલર પર આવી ગયો છે. આજે સવારે ડોલરની તુલનામાં રૂપિયો રેકોર્ડ 38 પૈસા જેટલો ઘટી ગયો છે. ઘટતો રૂપિયો સરકાર માટે ચિંતાજનક બાબત બની છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રૂપિયાના ઘટાડાને રોકવાના પ્રયાસોના ઓછા પરિણામ મળ્યા છે અને રૂપિયો સતત નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.


શા માટે ઘટી રહ્યો છે રૂપિયો


અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની નકારાત્મક અસર રૂપિયા પર જોવા મળી રહી છે અને આ બજારોમાંથી ડોલરની ખરીદીમાં વધારો થવાને કારણે દેશની ચલણ રૂપિયો લાલ નિશાનમાં સરકી રહ્યો છે. આ સિવાય અન્ય એશિયન કરન્સીમાં ઘટાડો એશિયન બજારોનો ટ્રેન્ડ દર્શાવે છે, જે તેમની સાથે ભારતીય ચલણ રૂપિયામાં પણ ઘટાડાનું કારણ બની રહ્યું છે.


આ વર્ષે રૂપિયામાં 11 ટકાનો ઘટાડો નોંધાયો


જો તમે આ વર્ષે રૂપિયાના ઘટાડાને જુઓ તો તેમાં 11 ટકાનો ઘટાડો થયો છે. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર બે વર્ષની નીચી સપાટીએ આવ્યા બાદ ડોલરની માંગ વધી રહી છે અને રૂપિયાની મંદી અટકવાનું નામ નથી લઈ રહી.


રૂપિયો નબળો થવાથી મોંઘવારી વધશે


રૂપિયો નબળો થવાને કારણે દેશમાં મોંઘવારી વધી જશે. હકીકતમાં, ભારત તેના 70 ટકાથી વધુ પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરે છે. ભારતની આયાત ડોલરમાં થાય છે. રૂપિયો નબળો પડવાથી ભારતે આયાત માટે પહેલા કરતાં વધુ ચૂકવણી કરવી પડશે. પેટ્રોલિયમ ઉત્પાદનોની મોંઘી આયાતને કારણે ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે.


જો ઈંધણના ભાવ વધશે તો નૂર ચાર્જ વધશે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જ્યારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે ત્યારે ફ્રેઈટ ચાર્જ પણ વધી જાય છે. આ વધારાના ચાર્જને કારણે કંપનીઓ અથવા બિઝનેસનું માર્જિન ઘટશે અને પછી તે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે. રિકવરી માટે પ્રોડક્ટની કિંમતમાં વધારો કરવામાં આવશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.