ગ્રામલક્ષી પત્રકાર હર્ષદ પટેલનું મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે એવોર્ડ આપી કરાયું સન્માન


  • Published By :
  • Published Date : 2023-03-12 19:50:14

ગ્રામ્ય કક્ષાના પત્રકારોને સન્માન મળે અને ગ્રામ્ય કક્ષાના મુદ્દાઓ પત્રકારિતામાં ઉઠે તે ઉદ્દેશ્યથી ગ્રામ ગર્જના ફાઉન્ડેશન દર વર્ષે પત્રકારોને એવોર્ડ આપી સન્માનીત કરે છે. આજે અમદાવાદમાં ગ્રામ ગર્જના ફાઉન્ડેશન પ્રેરીત ગ્રામ ગર્જના ગ્રામીણ પત્રકારિતા એવોર્ડ એનાયત કરાયો હતો. આ કાર્યક્રમમાં ભારત સરકારના રાજ્યકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે ઉત્તર ગુજરાતના ગ્રામલક્ષી પત્રકાર હર્ષદ જી પટેલને એવોર્ડ એનાયત કર્યો હતો. 


દેવુસિંહ ચૌહાણે જુની યાદો વાગોળી


અમદાવાદના ઈન્કમટેક્સ વિસ્તારમાં નવજીવન ટ્રસ્ટ સંકુલમાં આવેલા જીતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલમાં આજે ગ્રામ ગર્જના ગ્રામીણ પત્રકારિતા એવોર્ડ એનાયત કરાયો હતો. ભારત સરકારના રાજ્યકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે પણ વક્તવ્યોમાં પોતાની યાદો વાગોળી હતી. પત્રકારિતાને મજબૂત બનાવવા માટેના પ્રયાસો વિશે તેમણે વાતો કરી હતી. 


મણિલાલ પટેલે રમુજી પ્રસંગો કહીં લોકોને હસાવ્યા


આ કાર્યક્રમમાં અગ્રણી પત્રકાર અને ગ્રામ ગર્જનાના તંત્રી મણિલાલ એમ પટેલે પણ ગામડામાં ધબકતા જીવનને વાચા આપવા પર પોતાના વિચારો રાખ્યા હતા. મણીલાલ પટેલે પોતાની પત્રકારિતાની વાતો વાગોળી લોકોને ભરપેટ હસાવ્યા પણ હતા. તેમણે પોતાના ત્રણ દાયકાની પત્રકારિતાથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસને જીવંત રાખવા પ્રયાસો કર્યા છે. ગામડાની સમસ્યાઓને ઉજાગર કરવાની પત્રકારિતાના પ્રયાસ બદલ ગ્રામ ગર્જના ફાઉન્ડેશને ગ્રામલક્ષી પત્રકાર હર્ષદભાઈ પટેલને એવોર્ડ આપ્યો હતો. ગ્રામ ગર્જનાના કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્ય સચીવ પીકે લહેરી પણ હાજર રહ્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.