ગ્રામલક્ષી પત્રકાર હર્ષદ પટેલનું મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે એવોર્ડ આપી કરાયું સન્માન


  • Published By :
  • Published Date : 2023-03-12 19:50:14

ગ્રામ્ય કક્ષાના પત્રકારોને સન્માન મળે અને ગ્રામ્ય કક્ષાના મુદ્દાઓ પત્રકારિતામાં ઉઠે તે ઉદ્દેશ્યથી ગ્રામ ગર્જના ફાઉન્ડેશન દર વર્ષે પત્રકારોને એવોર્ડ આપી સન્માનીત કરે છે. આજે અમદાવાદમાં ગ્રામ ગર્જના ફાઉન્ડેશન પ્રેરીત ગ્રામ ગર્જના ગ્રામીણ પત્રકારિતા એવોર્ડ એનાયત કરાયો હતો. આ કાર્યક્રમમાં ભારત સરકારના રાજ્યકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે ઉત્તર ગુજરાતના ગ્રામલક્ષી પત્રકાર હર્ષદ જી પટેલને એવોર્ડ એનાયત કર્યો હતો. 


દેવુસિંહ ચૌહાણે જુની યાદો વાગોળી


અમદાવાદના ઈન્કમટેક્સ વિસ્તારમાં નવજીવન ટ્રસ્ટ સંકુલમાં આવેલા જીતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલમાં આજે ગ્રામ ગર્જના ગ્રામીણ પત્રકારિતા એવોર્ડ એનાયત કરાયો હતો. ભારત સરકારના રાજ્યકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે પણ વક્તવ્યોમાં પોતાની યાદો વાગોળી હતી. પત્રકારિતાને મજબૂત બનાવવા માટેના પ્રયાસો વિશે તેમણે વાતો કરી હતી. 


મણિલાલ પટેલે રમુજી પ્રસંગો કહીં લોકોને હસાવ્યા


આ કાર્યક્રમમાં અગ્રણી પત્રકાર અને ગ્રામ ગર્જનાના તંત્રી મણિલાલ એમ પટેલે પણ ગામડામાં ધબકતા જીવનને વાચા આપવા પર પોતાના વિચારો રાખ્યા હતા. મણીલાલ પટેલે પોતાની પત્રકારિતાની વાતો વાગોળી લોકોને ભરપેટ હસાવ્યા પણ હતા. તેમણે પોતાના ત્રણ દાયકાની પત્રકારિતાથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસને જીવંત રાખવા પ્રયાસો કર્યા છે. ગામડાની સમસ્યાઓને ઉજાગર કરવાની પત્રકારિતાના પ્રયાસ બદલ ગ્રામ ગર્જના ફાઉન્ડેશને ગ્રામલક્ષી પત્રકાર હર્ષદભાઈ પટેલને એવોર્ડ આપ્યો હતો. ગ્રામ ગર્જનાના કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્ય સચીવ પીકે લહેરી પણ હાજર રહ્યા હતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.