ગ્રામલક્ષી પત્રકાર હર્ષદ પટેલનું મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે એવોર્ડ આપી કરાયું સન્માન


  • Published By :
  • Published Date : 2023-03-12 19:50:14

ગ્રામ્ય કક્ષાના પત્રકારોને સન્માન મળે અને ગ્રામ્ય કક્ષાના મુદ્દાઓ પત્રકારિતામાં ઉઠે તે ઉદ્દેશ્યથી ગ્રામ ગર્જના ફાઉન્ડેશન દર વર્ષે પત્રકારોને એવોર્ડ આપી સન્માનીત કરે છે. આજે અમદાવાદમાં ગ્રામ ગર્જના ફાઉન્ડેશન પ્રેરીત ગ્રામ ગર્જના ગ્રામીણ પત્રકારિતા એવોર્ડ એનાયત કરાયો હતો. આ કાર્યક્રમમાં ભારત સરકારના રાજ્યકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે ઉત્તર ગુજરાતના ગ્રામલક્ષી પત્રકાર હર્ષદ જી પટેલને એવોર્ડ એનાયત કર્યો હતો. 


દેવુસિંહ ચૌહાણે જુની યાદો વાગોળી


અમદાવાદના ઈન્કમટેક્સ વિસ્તારમાં નવજીવન ટ્રસ્ટ સંકુલમાં આવેલા જીતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલમાં આજે ગ્રામ ગર્જના ગ્રામીણ પત્રકારિતા એવોર્ડ એનાયત કરાયો હતો. ભારત સરકારના રાજ્યકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે પણ વક્તવ્યોમાં પોતાની યાદો વાગોળી હતી. પત્રકારિતાને મજબૂત બનાવવા માટેના પ્રયાસો વિશે તેમણે વાતો કરી હતી. 


મણિલાલ પટેલે રમુજી પ્રસંગો કહીં લોકોને હસાવ્યા


આ કાર્યક્રમમાં અગ્રણી પત્રકાર અને ગ્રામ ગર્જનાના તંત્રી મણિલાલ એમ પટેલે પણ ગામડામાં ધબકતા જીવનને વાચા આપવા પર પોતાના વિચારો રાખ્યા હતા. મણીલાલ પટેલે પોતાની પત્રકારિતાની વાતો વાગોળી લોકોને ભરપેટ હસાવ્યા પણ હતા. તેમણે પોતાના ત્રણ દાયકાની પત્રકારિતાથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસને જીવંત રાખવા પ્રયાસો કર્યા છે. ગામડાની સમસ્યાઓને ઉજાગર કરવાની પત્રકારિતાના પ્રયાસ બદલ ગ્રામ ગર્જના ફાઉન્ડેશને ગ્રામલક્ષી પત્રકાર હર્ષદભાઈ પટેલને એવોર્ડ આપ્યો હતો. ગ્રામ ગર્જનાના કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્ય સચીવ પીકે લહેરી પણ હાજર રહ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.