Rajkot Fire Accidentને લઈ Rushikesh Patelએ આપ્યું નિવેદન, SITની કાર્યવાહીને લઈ કહી આ વાત, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-13 14:23:29

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોના મોત થઈ ગયા.. ગેમ ઝોનમાં રમવા આવેલા લોકોના જીવન સાથે રમત થઈ ગઈ.. આ દુર્ઘટનાને કારણે અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો. આ દુર્ઘટનાને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો.. દુર્ઘટના સર્જાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓ ત્યાં દોડી આવ્યા હતા. આ ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી.. 

દુર્ઘટનાને લઈ વર્ષો વીતિ જાય છે પરંતુ.. 

એસઆઈટીની રચના તો કરવામાં આવી પરંતુ આને લઈ અનેક સવાલો ઉભા થયા.. સવાલો ઉઠ્યા કે શા માટે ગેમઝોનના કાટમાળને માત્ર થોડા કલાકોની અંદર ઉઠાવી દેવામાં આવ્યા.. તે સિવાય પણ અનેક સવાલો ઉભા થયા... થોડા સમયની અંદર કાર્યવાહી પણ કરવામાં આવી અને અનેક અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. એસઆઈટીની રચના કરવામાં આવે છે પરંતુ અનેક દુર્ઘટનાઓને વર્ષો વિતી ગયા હોય પરંતુ પીડિત પરિવારને ન્યાય નથી મળતો.. 


અનેક મંત્રીઓના આ દુર્ઘટનાને લઈ સામે આવ્યા નિવેદન 

રાજકોટમાં બનેલી ઘટનાને હાઈકોર્ટ દ્વારા પણ ગંભીરતાથી લેવામાં આવી.. આ ઘટનાને લઈ હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.. સુનાવણી દરમિયાન આરએમસી તેમજ સરકારની ઝાટકણી કાઢી..આ ઘટનાને લઈ હાઈકોર્ટ પણ ગંભીર છે. ઘટનાના અનેક દિવસો બાદ ભાનુબેન બાબરીયાની પ્રતિક્રિયા સામે આવી. પરષોત્તમ રૂપાલાની પ્રતિક્રિયા સામે આવી.. આ બધા વચ્ચે  ગઈકાલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.



એસઆઈટીને લઈ પ્રવક્તા મંત્રીએ કહ્યું કે..

ગઈકાલે ગુજરાત વિધાનસભામાં પહેલી કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકની બાદ ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં અનેક મુદ્દાઓને લઈ વાત કરવામાં આવી જેમાં રાજકોટ અગ્નિકાંડનો પણ સમાવેશ હતો. નિવેદન આપતા તેમણે કહ્યું કે રાજકોટની દુર્ઘટનાને લઈ એસઆઈટીની રચના કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ રાજ્ય સરકારને પ્રાથમિક રિપોર્ટ મળ્યો હતો. રિપોર્ટની માહિતી મળતા જ તરત એક્શન લેવામાં આવ્યા..


ગેમઝોનને લઈ તેમણે કહ્યું કે...  

ગેમ ઝોનના નિયમોને લઈ તેમણે માહિતી આપી હતી. જાણકારી આપતા તેમણે કહ્યું કે ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવા માટે મોડલ રૂલ્સ બનાવવામાં આવ્યા છે. જેની પણ સામે કાર્યવાહી કરવાની હોય તો તે કરવાની છૂટ પોલીસને આપવામાં આવી છે. કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી વાત તેમણે કરી હતી. મહત્વનું છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે નાની માછલીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને મોટા માછલા રહી જાય છે. તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નથી આવતી. ત્યારે જોવું રહ્યું કે આ મામલે જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તેમાં શું કાર્યવાહી થાય છે. 




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે