રશિયા અને અમેરિકાનું ભારતને UNSGમાં સમર્થન........


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 12:27:30

ભારતને UNSCના સભ્ય બનવા રૂસ અને USનું સમર્થન


અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય બનવા માટે સમર્થન કર્યું હતું. ત્યાર બાદ હવે રશિયાએ પણ ભારતને UNSCના સ્થાયી સદસ્ય બનવા માટે સમર્થન દર્શાવ્યું છે.

 

ભારતને રૂસનું સમર્થન


રૂસના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે, અમે આફ્રિકા એશિયા અને લેટિન અમેરિકા દેશના પ્રતિનિધિત્વના માધ્યમથી સુરક્ષા પરિષદને વધુ લોકતાંત્રિક બનાવવા માટે સંભાવનાઓ શોધી રહ્યા છીએ. ખાસ કરીને ભારત અને બ્રાઝિલને સ્થાયી સભ્યો તરીકે સુરક્ષા પરિષદમાં સ્થાન આપવું જોઈએ.

 

જો બાઈડને  પણ પેહલા સમર્થન આપ્યો હતો


પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને  ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનાવવાનું સમર્થન કર્યું હતું. દરમિયાન તેમણે જાપાન અને જર્મનીને કાયમી સભ્ય બનાવવાની વાત પણ કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધન દરમિયાન તેમણે સુરક્ષા પરિષદમાં સુધારાની બાઈડને સુરક્ષા પરિષદને વધુ સુધારાની વાત પણ કરી હતી. બાઈડને સુરક્ષા પરિષદને વધુ સમાવિષ્ટ બનાવવાની વાત કરી હતી જેથી તે આજની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરી શકે.

 

 

ભારતને કાયમી સભ્ય બનાવોઃ બાઈડન


વીટો અંગે તેમણે કહ્યું કે તે માત્ર ખાસ અથવા આત્યંતિક સંજોગોમાં જ થવું જોઈએ, જેથી સુરક્ષા પરિષદની વિશ્વસનીયતા અને પ્રભાવ જળવાઈ રહે. બાઈડને પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે ભૂતકાળમાં પણ માનતા હતા અને હજુ પણ માનીએ છીએ કે ભારત, જાપાન અને જર્મનીને સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનાવવામાં આવે.

 

 

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.