રશિયા અને અમેરિકાનું ભારતને UNSGમાં સમર્થન........


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 12:27:30

ભારતને UNSCના સભ્ય બનવા રૂસ અને USનું સમર્થન


અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય બનવા માટે સમર્થન કર્યું હતું. ત્યાર બાદ હવે રશિયાએ પણ ભારતને UNSCના સ્થાયી સદસ્ય બનવા માટે સમર્થન દર્શાવ્યું છે.

 

ભારતને રૂસનું સમર્થન


રૂસના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે, અમે આફ્રિકા એશિયા અને લેટિન અમેરિકા દેશના પ્રતિનિધિત્વના માધ્યમથી સુરક્ષા પરિષદને વધુ લોકતાંત્રિક બનાવવા માટે સંભાવનાઓ શોધી રહ્યા છીએ. ખાસ કરીને ભારત અને બ્રાઝિલને સ્થાયી સભ્યો તરીકે સુરક્ષા પરિષદમાં સ્થાન આપવું જોઈએ.

 

જો બાઈડને  પણ પેહલા સમર્થન આપ્યો હતો


પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને  ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનાવવાનું સમર્થન કર્યું હતું. દરમિયાન તેમણે જાપાન અને જર્મનીને કાયમી સભ્ય બનાવવાની વાત પણ કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધન દરમિયાન તેમણે સુરક્ષા પરિષદમાં સુધારાની બાઈડને સુરક્ષા પરિષદને વધુ સુધારાની વાત પણ કરી હતી. બાઈડને સુરક્ષા પરિષદને વધુ સમાવિષ્ટ બનાવવાની વાત કરી હતી જેથી તે આજની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરી શકે.

 

 

ભારતને કાયમી સભ્ય બનાવોઃ બાઈડન


વીટો અંગે તેમણે કહ્યું કે તે માત્ર ખાસ અથવા આત્યંતિક સંજોગોમાં જ થવું જોઈએ, જેથી સુરક્ષા પરિષદની વિશ્વસનીયતા અને પ્રભાવ જળવાઈ રહે. બાઈડને પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે ભૂતકાળમાં પણ માનતા હતા અને હજુ પણ માનીએ છીએ કે ભારત, જાપાન અને જર્મનીને સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનાવવામાં આવે.

 

 

 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.