રશિયાના યુક્રેન પર ફરી મિસાઇલ અને ડ્રોન હુમલા, 11 લોકોના મોત, અન્ચ 11 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-27 13:25:46

રશિયન સુરક્ષા દળોએ વહેલી સવારે મિસાઇલ અને ડ્રોન હુમલા દ્વારા યુક્રેનના લગભગ એક ડઝન પ્રાંતોને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા. યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસના પ્રવક્તા એલેક્ઝાન્ડર ખોરુન્ઝીએ યુક્રેનિયન ટેલિવિઝન પર જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ પણ થયા છે. નોંધપાત્ર વાત એ છે કે, એક દિવસ પહેલા જ અમેરિકા અને જર્મનીએ યુક્રેનને યુદ્ધમાં મદદ કરવા માટે ઉચ્ચ ક્ષમતા ધરાવતી ટેન્ક આપવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ રશિયાએ નવા હુમલા કર્યા હતા.


કિવના મેયરે માહિતી આપી 


કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે હુમલા દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જે નવા વર્ષની પૂર્વ સંધ્યા પછી રાજધાનીમાં આ પ્રકારનું પ્રથમ મૃત્યુ છે. તેમણે કહ્યું કે રશિયન હુમલામાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. કિવ શહેર વહીવટીતંત્રના વડા સેરહી પોપકોએ જણાવ્યું હતું કે યુક્રેનિયન વાયુસેનાએ વિસ્તાર તરફ જતી 15 મિસાઇલોનો નાશ કર્યો હતો. યુક્રેનના ઝેપોરીઝિયા પ્રાંતના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઊર્જા સુવિધા પર થયેલા હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને સાત ઘાયલ થયા હતા.


યુક્રેનને ટેન્કની સપ્લાયને લઈને રશિયા ગુસ્સામાં


રશિયાએ યુક્રેનને નાટો દેશો દ્વારા ટેન્ક સપ્લાય કરવા પર સખત નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકામાં રશિયાના રાજદૂતે ચેતવણી આપી છે કે નાટો દેશોની ટેન્કો તેમના અન્ય હથિયારોની જેમ સરળતાથી નાશ પામશે. અમેરિકાએ યુક્રેનને એમ1 અબ્રામ્સ ટેન્ક, જર્મનીને લેપર્ડ ટેન્ક અને બ્રિટને ચેલેન્જર-2 ટેન્ક આપવાની જાહેરાત કરી છે.




આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.