રશિયાના યુક્રેન પર ફરી મિસાઇલ અને ડ્રોન હુમલા, 11 લોકોના મોત, અન્ચ 11 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-27 13:25:46

રશિયન સુરક્ષા દળોએ વહેલી સવારે મિસાઇલ અને ડ્રોન હુમલા દ્વારા યુક્રેનના લગભગ એક ડઝન પ્રાંતોને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા. યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસના પ્રવક્તા એલેક્ઝાન્ડર ખોરુન્ઝીએ યુક્રેનિયન ટેલિવિઝન પર જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ પણ થયા છે. નોંધપાત્ર વાત એ છે કે, એક દિવસ પહેલા જ અમેરિકા અને જર્મનીએ યુક્રેનને યુદ્ધમાં મદદ કરવા માટે ઉચ્ચ ક્ષમતા ધરાવતી ટેન્ક આપવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ રશિયાએ નવા હુમલા કર્યા હતા.


કિવના મેયરે માહિતી આપી 


કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે હુમલા દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જે નવા વર્ષની પૂર્વ સંધ્યા પછી રાજધાનીમાં આ પ્રકારનું પ્રથમ મૃત્યુ છે. તેમણે કહ્યું કે રશિયન હુમલામાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. કિવ શહેર વહીવટીતંત્રના વડા સેરહી પોપકોએ જણાવ્યું હતું કે યુક્રેનિયન વાયુસેનાએ વિસ્તાર તરફ જતી 15 મિસાઇલોનો નાશ કર્યો હતો. યુક્રેનના ઝેપોરીઝિયા પ્રાંતના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઊર્જા સુવિધા પર થયેલા હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને સાત ઘાયલ થયા હતા.


યુક્રેનને ટેન્કની સપ્લાયને લઈને રશિયા ગુસ્સામાં


રશિયાએ યુક્રેનને નાટો દેશો દ્વારા ટેન્ક સપ્લાય કરવા પર સખત નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકામાં રશિયાના રાજદૂતે ચેતવણી આપી છે કે નાટો દેશોની ટેન્કો તેમના અન્ય હથિયારોની જેમ સરળતાથી નાશ પામશે. અમેરિકાએ યુક્રેનને એમ1 અબ્રામ્સ ટેન્ક, જર્મનીને લેપર્ડ ટેન્ક અને બ્રિટને ચેલેન્જર-2 ટેન્ક આપવાની જાહેરાત કરી છે.




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.