રશિયાના યુક્રેન પર ફરી મિસાઇલ અને ડ્રોન હુમલા, 11 લોકોના મોત, અન્ચ 11 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-27 13:25:46

રશિયન સુરક્ષા દળોએ વહેલી સવારે મિસાઇલ અને ડ્રોન હુમલા દ્વારા યુક્રેનના લગભગ એક ડઝન પ્રાંતોને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા. યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસના પ્રવક્તા એલેક્ઝાન્ડર ખોરુન્ઝીએ યુક્રેનિયન ટેલિવિઝન પર જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ પણ થયા છે. નોંધપાત્ર વાત એ છે કે, એક દિવસ પહેલા જ અમેરિકા અને જર્મનીએ યુક્રેનને યુદ્ધમાં મદદ કરવા માટે ઉચ્ચ ક્ષમતા ધરાવતી ટેન્ક આપવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ રશિયાએ નવા હુમલા કર્યા હતા.


કિવના મેયરે માહિતી આપી 


કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે હુમલા દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જે નવા વર્ષની પૂર્વ સંધ્યા પછી રાજધાનીમાં આ પ્રકારનું પ્રથમ મૃત્યુ છે. તેમણે કહ્યું કે રશિયન હુમલામાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. કિવ શહેર વહીવટીતંત્રના વડા સેરહી પોપકોએ જણાવ્યું હતું કે યુક્રેનિયન વાયુસેનાએ વિસ્તાર તરફ જતી 15 મિસાઇલોનો નાશ કર્યો હતો. યુક્રેનના ઝેપોરીઝિયા પ્રાંતના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઊર્જા સુવિધા પર થયેલા હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને સાત ઘાયલ થયા હતા.


યુક્રેનને ટેન્કની સપ્લાયને લઈને રશિયા ગુસ્સામાં


રશિયાએ યુક્રેનને નાટો દેશો દ્વારા ટેન્ક સપ્લાય કરવા પર સખત નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકામાં રશિયાના રાજદૂતે ચેતવણી આપી છે કે નાટો દેશોની ટેન્કો તેમના અન્ય હથિયારોની જેમ સરળતાથી નાશ પામશે. અમેરિકાએ યુક્રેનને એમ1 અબ્રામ્સ ટેન્ક, જર્મનીને લેપર્ડ ટેન્ક અને બ્રિટને ચેલેન્જર-2 ટેન્ક આપવાની જાહેરાત કરી છે.




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.