Russia : અનેક સ્થળો પર થયો આતંકી હુમલો, 15 પોલીસકર્મીઓ સહિત અનેક નાગરિકો મોતને ભેટ્યા...! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-24 11:43:17

દુનિયાના અનેક ભાગો એવા છે જ્યાં આતંકી હુમલાને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ભારતમાં પણ અનેક વખત આતંકી હુમલાઓ થયા છે જેમાં અનેક વીર જવાનો શહીદ થયા છે ઉપરાંત અનેક નાગરિકો પણ મોતને ભેટ્યા છે.. રશિયાના ઉત્તર કોરેશસ ક્ષેત્રમાં આતંકી હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.  રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાનમાં ખ્રિસ્તીઓ અને યહૂદીઓના ધર્મસ્થળ પર અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

ધર્મસ્થળ પર કરવામાં આવી ગોળીબારી! 

રશિયામાં અંધાધૂધ ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત થયા છે..  રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાનમાં ખ્રિસ્તીઓ અને યહૂદીઓના ધર્મસ્થળ પર અત્યાધુનિક હથિયારો દ્વારા ગોળીબારી કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. આ ફાયરિંગ દાગિસ્તાનમાં બની છે અને આ ઘટનામાં 15 જેટલા પોલીસ કર્મીઓ તેમજ અનેક નાગરિકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક લોકો તેમજ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. સાથે સાથે એવી પણ માહિતી સામે આવી છે કે 4 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.



અનેક લોકો આતંકી હુમલામાં મોતને ભેટ્યા

રવિવારે એટલે કે 23 જૂને રશિયાના દાગિસ્તાનમાં આતંકવાદી હુમલો થયા હોવાનો બનાવ સામે આવ્યો. આતંકવાદીઓએ બે ચર્ચ, એક સિનેગોગ (યહૂદી મંદિર) અને એક પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો જેમાં અનેક લોકો તેમજ પોલીસ કર્મીઓ મોતને ભેટ્યા.. મહત્વનું છે કે હુમલા બાદ અધિકારીક રીતે ત્યાંથી નિવેદન સામે આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક અજાણ્યા લોકોએ એક સિનાગોગા અને ચર્ચ પર ઓટોમેટિક હથિયારો વડે ગોળીબારી કરી છે. 

અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે હુમલાના પરિણામે ડર્બેન્ટમાં એક સિનેગોગ અને ચર્ચમાં આગ લાગી હતી.


આંતકવાદી સંગઠન દ્વારા નથી લેવામાં આવી હુમલાની જવાબદારી!

અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હુમલા બાદ હુમલાખોરો કારમાં ભાગતા દેખાયા હતા. આતંકવાદીઓએ અન્ય યહૂદી ધર્મસ્થળ પર પણ ગોળીબાર કર્યો હતો. સારી વાત એ હતી કે તે સમયે ત્યાં કોઈ નહોતું. રશિયાના મીડિયા રિપોર્ટ અનુસાર એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનના આતંકીઓ હતા. હાલ કોઈ પણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .