રશિયાને યુધ્ધ ભારે પડ્યું, 9 ટ્રિલિયન ડોલરનો ખર્ચ, 6300 ટેન્ક, 300 ફાઈટર જેટ નષ્ટ, 130,000 થી વધુ જવાનોના મોત


  • Published By :
  • Published Date : 2023-02-24 13:41:52

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને 1 વર્ષ પૂર્ણ થયું છે, 14 ફેબ્રુઆરી 2022ના દિવસે રશિયાની સેનાએ યુક્રેન પર ભીષણ હુમલો કર્યો હતો. રશિયાએ આ યુધ્ધમાં લાખો સૈનિકો ઉતાર્યા હતા, યુક્રેનને હરાવવા માટે તોપો, રોકેટ લોન્ચરો, ટેન્કો અને મિસાઈલોથી હુમલા કરવામાં આવ્યા. જો કે રશિયાના ભયાનક આક્રમણ સામે નાનકડું યુક્રેન બહાદુરીથી લડી રહ્યું છે. યુક્રેનને અમેરિકા ઉપરાંત યુરોપના વિવિધ દેશોની આર્થિક અને સૈન્ય મદદ મળી રહી છે. યુક્રેનના પ્રમુખ જેલેંસ્કી  કોઈ પણ હિસાબે હાર માનવા તૈયાર નથી. આ લોહિયાળ યુધ્ધમાં 3 લાખથી વધુ લોકોના મોત અને 63 લાખથી પણ વધુ લોકો બેઘર બન્યા છે.


રશિયાને 9 ટ્રિલિયન ડોલરનું નુકસાન


અમેરિકાના મેગેઝિન ન્યૂઝવીકના રિપોર્ટ અનુસાર, આ યુદ્ધમાં પુતિનની સેનાને 1 વર્ષમાં 9 ટ્રિલિયન ડોલરનું મોટું નુકસાન થયું છે. આ પાકિસ્તાનના કુલ વિદેશી મુદ્રા ભંડાર $3 બિલિયન કરતાં 3000 ગણું વધુ છે. તે જ સમયે, રશિયાના 300 ફાઇટર જેટ અને 6300 થી વધુ સશસ્ત્ર વાહનોનો નાશ કરવામાં આવ્યો છે. યુક્રેન અનુસાર, 130,000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ આટલા નુકસાનની કલ્પના પણ નહોતી કરી. આ નુકસાન છતાં, પુતિને યુક્રેનમાં યુદ્ધ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. યુએસના વિલ્સન સેન્ટરમાં રશિયન અર્થવ્યવસ્થાના નિષ્ણાત બોરિસ ગ્રોઝોવ્સ્કીનું અનુમાન છે કે યુક્રેન યુદ્ધ પર રશિયાનો ખર્ચ હવે 9 ટ્રિલિયનના આંકડાને પાર કરી ગયો છે.


રશિયાને યુદ્ધમાં દરરોજ 90 કરોડ ડોલરનો ખર્ચ


બોરિસે કહ્યું કે વર્ષ 2022 માટે રશિયન સરકારની કુલ ખર્ચ યોજના 346 બિલિયન ડોલર હતી, જેમાંથી 46 બિલિયન ડોલર સૈન્ય પર અને  36.9 બિલિયન ડોલર  પોલીસ અને ફેડરલ સિક્યુરિટી સર્વિસ પર ખર્ચવાના હતા. તેમણે કહ્યું કે પોલીસ અને એફએસબીના પૈસા પણ સેનાને આપવામાં આવી રહ્યા છે. બોરિસે અનુમાન લગાવ્યું છે કે રશિયા યુદ્ધ પર 50 ટકા વધુ ખર્ચ કરી રહ્યું છે. જો કે, જો યુક્રેનના કબજા હેઠળના પ્રદેશમાં તૈનાત ઘાયલ સૈનિકો અને શિક્ષકોની સારવાર પરનો કુલ ખર્ચ ઉમેરવામાં આવે, તો યુદ્ધનો કુલ ખર્ચ 15 ટ્રિલિયન રુબલ સુધી પહોંચી શકે છે. જ્યારે, અન્ય નિષ્ણાત સીન સ્પન્ટ્સ કહે છે કે બોરિસનો આ અંદાજ ઘણો ઓછો છે અને રશિયાને આનાથી વધુ નુકસાન થયું છે. સીને યુક્રેન પર હુમલાના ત્રીજા મહિનામાં જ અનુમાન લગાવ્યું હતું કે રશિયા દરરોજ 90 કરોડ ડોલરનો ખર્ચ કરી રહ્યું છે. 


રશિયાને યુધ્ધમાં જોરદાર ફટકો


રશિયા અંગે તે અનુમાન લગાવવામાં આવ્યું છે કે યુક્રેન યુધ્ધમાં રશિયાએ તેના અડધાથી પણ વધુ ટેન્ક ગુમાવી દીધા છે. કુલ 1,769 યુધ્ધ વાહનો નષ્ટ થઈ ગયા છે. એક વર્ષમાં રશિયાના 1 લાખ 30 સૈનિકોના મોત થયા છે. તે ઉપરાંત 300 ફાઈટર જેટ અને 6300 માલવાહક વાહનો તબાહ થયા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.