રશિયાએ યુક્રેન પર કર્યો મિસાઈલ હુમલો, 16 લોકોના મોત અનેક ઘાયલ, કીવે કહ્યું વળતો જવાબ આપશે


  • Published By :
  • Published Date : 2023-09-06 20:52:19

રશિયાએ આજે બુધવારે પૂર્વી યુક્રેનના કોસ્ટિયાનટિનિવ્કા શહેર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 16 લોકોના મોત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે આ માહિતી આપી છે. પોડોલ્યાક તરફથી એ જણાવવામાં આવ્યું નથી કે હુમલો કેવી રીતે કરવામાં આવ્યો. જો કે, સ્થાનિક મીડિયાએ રિપોર્ટ આપ્યો છે કે રશિયાએ મિસાઇલ વડે કોસ્ટિયાનટિનિવ્કા શહેર પર હુમલો કર્યો છે.


અત્યાર સુધીનો સૌથી ખતરનાક હુમલો 


યુક્રેનનું કોસ્ટિયાનટિનિવ્કા શહેર યુદ્ધના મેદાનની ખૂબ નજીક છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે આ હુમલામાં 16 લોકો માર્યા ગયા છે. જીવ ગુમાવનારાઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયન હુમલાના કારણે શહેરમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું, ત્યારથી રશિયા સતત મિસાઈલ દ્વારા યુક્રેનના અલગ-અલગ શહેરોને નિશાન બનાવી રહ્યું છે. જો કે આ હુમલો અત્યાર સુધીનો સૌથી ખતરનાક મનાય છે.


S-300 મિસાઇલથી હુમલો


રશિયાએ S-300 મિસાઇલ દ્વારા હુમલો કર્યો હતો. આ હુમલો કોસ્ટિયાનટિનિવ્કા શહેરના મધ્યમાં કરવામાં આવ્યો હતો. કોસ્ટિયાનટિનિવ્કા શહેરમાં જ્યાં હુમલો થયો તે માર્કેટ એક શોપિંગ સેન્ટરની નજીક છે. કોસ્ટિયાનટિનિક્કા શહેર ફ્રન્ટલાઈનની નજીક છે અને ત્યાં હંમેશા સૈનિકોની અવરજવર રહે છે. S-300 મિસાઈલ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે. આ મિસાઈલની રેન્જ 350 કિમી છે. આ મિસાઈલ લગભગ 7500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટાર્ગેટ પર પ્રહાર કરે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.