રશિયાએ યુક્રેન પર કર્યો મિસાઈલ હુમલો, 16 લોકોના મોત અનેક ઘાયલ, કીવે કહ્યું વળતો જવાબ આપશે


  • Published By :
  • Published Date : 2023-09-06 20:52:19

રશિયાએ આજે બુધવારે પૂર્વી યુક્રેનના કોસ્ટિયાનટિનિવ્કા શહેર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 16 લોકોના મોત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે આ માહિતી આપી છે. પોડોલ્યાક તરફથી એ જણાવવામાં આવ્યું નથી કે હુમલો કેવી રીતે કરવામાં આવ્યો. જો કે, સ્થાનિક મીડિયાએ રિપોર્ટ આપ્યો છે કે રશિયાએ મિસાઇલ વડે કોસ્ટિયાનટિનિવ્કા શહેર પર હુમલો કર્યો છે.


અત્યાર સુધીનો સૌથી ખતરનાક હુમલો 


યુક્રેનનું કોસ્ટિયાનટિનિવ્કા શહેર યુદ્ધના મેદાનની ખૂબ નજીક છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે આ હુમલામાં 16 લોકો માર્યા ગયા છે. જીવ ગુમાવનારાઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયન હુમલાના કારણે શહેરમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું, ત્યારથી રશિયા સતત મિસાઈલ દ્વારા યુક્રેનના અલગ-અલગ શહેરોને નિશાન બનાવી રહ્યું છે. જો કે આ હુમલો અત્યાર સુધીનો સૌથી ખતરનાક મનાય છે.


S-300 મિસાઇલથી હુમલો


રશિયાએ S-300 મિસાઇલ દ્વારા હુમલો કર્યો હતો. આ હુમલો કોસ્ટિયાનટિનિવ્કા શહેરના મધ્યમાં કરવામાં આવ્યો હતો. કોસ્ટિયાનટિનિવ્કા શહેરમાં જ્યાં હુમલો થયો તે માર્કેટ એક શોપિંગ સેન્ટરની નજીક છે. કોસ્ટિયાનટિનિક્કા શહેર ફ્રન્ટલાઈનની નજીક છે અને ત્યાં હંમેશા સૈનિકોની અવરજવર રહે છે. S-300 મિસાઈલ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે. આ મિસાઈલની રેન્જ 350 કિમી છે. આ મિસાઈલ લગભગ 7500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટાર્ગેટ પર પ્રહાર કરે છે.



ગુજરાતના રાણીપમાં પીએમ મોદી મતદાન કરવા માટે આવ્યા હતા. સામાન્ય રીતે લોકોને તેમને જોવાનો ઉત્સાહ હોય છે ત્યારે તે ઉત્સાહ આજે પણ લોકોમાં જોવા મળ્યો હતો..

ગુજરાતમાં આજે ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. તાપમાનનો પારો આજે વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. અનેક જગ્યાઓ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.. ત્યારે ઉમેદવારો તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે.

ગુજરાતની 25 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.. પીએમ મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે. વધારે મતદાન કરવા માટે તેમણે જનતાને અપીલ કરી છે.