રશિયાએ યુક્રેન પર કર્યો મિસાઈલ હુમલો, 16 લોકોના મોત અનેક ઘાયલ, કીવે કહ્યું વળતો જવાબ આપશે


  • Published By :
  • Published Date : 2023-09-06 20:52:19

રશિયાએ આજે બુધવારે પૂર્વી યુક્રેનના કોસ્ટિયાનટિનિવ્કા શહેર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 16 લોકોના મોત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે આ માહિતી આપી છે. પોડોલ્યાક તરફથી એ જણાવવામાં આવ્યું નથી કે હુમલો કેવી રીતે કરવામાં આવ્યો. જો કે, સ્થાનિક મીડિયાએ રિપોર્ટ આપ્યો છે કે રશિયાએ મિસાઇલ વડે કોસ્ટિયાનટિનિવ્કા શહેર પર હુમલો કર્યો છે.


અત્યાર સુધીનો સૌથી ખતરનાક હુમલો 


યુક્રેનનું કોસ્ટિયાનટિનિવ્કા શહેર યુદ્ધના મેદાનની ખૂબ નજીક છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે આ હુમલામાં 16 લોકો માર્યા ગયા છે. જીવ ગુમાવનારાઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયન હુમલાના કારણે શહેરમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું, ત્યારથી રશિયા સતત મિસાઈલ દ્વારા યુક્રેનના અલગ-અલગ શહેરોને નિશાન બનાવી રહ્યું છે. જો કે આ હુમલો અત્યાર સુધીનો સૌથી ખતરનાક મનાય છે.


S-300 મિસાઇલથી હુમલો


રશિયાએ S-300 મિસાઇલ દ્વારા હુમલો કર્યો હતો. આ હુમલો કોસ્ટિયાનટિનિવ્કા શહેરના મધ્યમાં કરવામાં આવ્યો હતો. કોસ્ટિયાનટિનિવ્કા શહેરમાં જ્યાં હુમલો થયો તે માર્કેટ એક શોપિંગ સેન્ટરની નજીક છે. કોસ્ટિયાનટિનિક્કા શહેર ફ્રન્ટલાઈનની નજીક છે અને ત્યાં હંમેશા સૈનિકોની અવરજવર રહે છે. S-300 મિસાઈલ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે. આ મિસાઈલની રેન્જ 350 કિમી છે. આ મિસાઈલ લગભગ 7500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટાર્ગેટ પર પ્રહાર કરે છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.