રશિયાએ યુક્રેન પર કર્યો મિસાઈલ હુમલો, 16 લોકોના મોત અનેક ઘાયલ, કીવે કહ્યું વળતો જવાબ આપશે


  • Published By :
  • Published Date : 2023-09-06 20:52:19

રશિયાએ આજે બુધવારે પૂર્વી યુક્રેનના કોસ્ટિયાનટિનિવ્કા શહેર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 16 લોકોના મોત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે આ માહિતી આપી છે. પોડોલ્યાક તરફથી એ જણાવવામાં આવ્યું નથી કે હુમલો કેવી રીતે કરવામાં આવ્યો. જો કે, સ્થાનિક મીડિયાએ રિપોર્ટ આપ્યો છે કે રશિયાએ મિસાઇલ વડે કોસ્ટિયાનટિનિવ્કા શહેર પર હુમલો કર્યો છે.


અત્યાર સુધીનો સૌથી ખતરનાક હુમલો 


યુક્રેનનું કોસ્ટિયાનટિનિવ્કા શહેર યુદ્ધના મેદાનની ખૂબ નજીક છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે આ હુમલામાં 16 લોકો માર્યા ગયા છે. જીવ ગુમાવનારાઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયન હુમલાના કારણે શહેરમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું, ત્યારથી રશિયા સતત મિસાઈલ દ્વારા યુક્રેનના અલગ-અલગ શહેરોને નિશાન બનાવી રહ્યું છે. જો કે આ હુમલો અત્યાર સુધીનો સૌથી ખતરનાક મનાય છે.


S-300 મિસાઇલથી હુમલો


રશિયાએ S-300 મિસાઇલ દ્વારા હુમલો કર્યો હતો. આ હુમલો કોસ્ટિયાનટિનિવ્કા શહેરના મધ્યમાં કરવામાં આવ્યો હતો. કોસ્ટિયાનટિનિવ્કા શહેરમાં જ્યાં હુમલો થયો તે માર્કેટ એક શોપિંગ સેન્ટરની નજીક છે. કોસ્ટિયાનટિનિક્કા શહેર ફ્રન્ટલાઈનની નજીક છે અને ત્યાં હંમેશા સૈનિકોની અવરજવર રહે છે. S-300 મિસાઈલ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે. આ મિસાઈલની રેન્જ 350 કિમી છે. આ મિસાઈલ લગભગ 7500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટાર્ગેટ પર પ્રહાર કરે છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .