વિદેશ મંત્રી એસ જયશંકરને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી, ગૃહ મંત્રાલયે CRPFને સુરક્ષા સંભાળવા કર્યો હુકમ


  • Published By :
  • Published Date : 2023-10-12 21:05:25

કેન્દ્ર સરકારે વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષા વધારી દીધી છે. અત્યાર સુધી વિદેશ મંત્રી એસ જયશંકરને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવતી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા મળશે. સૂત્રોએ માહિતી આપી છે કે ગૃહ મંત્રાલયે CRPFને જયશંકરની સુરક્ષાનો હવાલો લેવાનો હુકમ કર્યો છે. આ પહેલા દિલ્હી પોલીસ તેમને Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડી રહી હતી.


Z કેટેગરીની સુરક્ષા શું છે?


સૂત્રોએ જણાવ્યું હતું કે હવે એસ.જયશંકરને  CRPF Z કેટેગરીની સુરક્ષા પૂરી પાડશે અને આ અંતર્ગત લગભગ 14-15 સશસ્ત્ર કમાન્ડો 24 કલાકની શિફ્ટમાં તેમની સાથે રહેશે. CRPF હાલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત 176 લોકોને VIP સુરક્ષા પૂરી પાડે છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે