સાળંગપુર વિવાદ: ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામીએ સંપ્રદાયના સંતોના વાણી વિલાસની નિંદા કરી, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-05 21:17:02

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદનો સુખદ નિવેડો આવી ગયો છે.  મંદિર પરીસરમાં લગાવવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા છે. જો કે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં મહા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા-જુદા  8 મુદ્દા અંગે ઠરાવ કરવામાં આવ્યા હતા. હવે આ મામલે બોટાદના ગઢડામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત એસ.પી સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવેલા વાણીવિલાસની નિંદા કરી હતી.


શું કહ્યું એસ.પી સ્વામીએ? 


આ સમગ્ર વિવાદ મુદ્દે ગઢડામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામીએ કહ્યુ હતુ કે, ‘વડતાલના સભામંડપમાં નાથ સંપ્રદાય માટે જે વાત કરવામાં આવી છે તેની સખત શબ્દોમાં હું ટીકા અને નિંદા કરું છું. વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ દ્વારા મૂળ સંપ્રદાયની ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો સ્થાપિત થાય અને કોઈપણ દેવી-દેવતાનું ક્યારેય પણ અપમાન ન થાય તે રીતે તેમણે સંપ્રદાયને ચલાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધી જે ઘટનાઓ બને છે તે વડતાલ ગાદીના આચાર્યશ્રીની આજ્ઞાથી વિપરીત ચાલી રહ્યા છે તેના દ્વારા થઈ રહ્યું છે. સનાતન હિંદુ ધર્મના સાધુ-સંતોની લાગણીઓને ક્યાંય ઠેસ ના પહોંચે તેનો અમે ખ્યાલ રાખીશું.’


આ ઉપરાંત તેમણે સનાતન હિન્દુ ધર્મ દ્વારા સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવાની પણ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, હનુમાનજી મંદિરના વિવાદિત ભીંતચિત્ર મામલા સહિતના તમામ પ્રશ્નોનું નિવારણ આવે તેવી પ્રાર્થના પણ કરીએ છીએ.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.