સાળંગપુર વિવાદ: ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામીએ સંપ્રદાયના સંતોના વાણી વિલાસની નિંદા કરી, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-05 21:17:02

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદનો સુખદ નિવેડો આવી ગયો છે.  મંદિર પરીસરમાં લગાવવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા છે. જો કે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં મહા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા-જુદા  8 મુદ્દા અંગે ઠરાવ કરવામાં આવ્યા હતા. હવે આ મામલે બોટાદના ગઢડામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત એસ.પી સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવેલા વાણીવિલાસની નિંદા કરી હતી.


શું કહ્યું એસ.પી સ્વામીએ? 


આ સમગ્ર વિવાદ મુદ્દે ગઢડામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામીએ કહ્યુ હતુ કે, ‘વડતાલના સભામંડપમાં નાથ સંપ્રદાય માટે જે વાત કરવામાં આવી છે તેની સખત શબ્દોમાં હું ટીકા અને નિંદા કરું છું. વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ દ્વારા મૂળ સંપ્રદાયની ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો સ્થાપિત થાય અને કોઈપણ દેવી-દેવતાનું ક્યારેય પણ અપમાન ન થાય તે રીતે તેમણે સંપ્રદાયને ચલાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધી જે ઘટનાઓ બને છે તે વડતાલ ગાદીના આચાર્યશ્રીની આજ્ઞાથી વિપરીત ચાલી રહ્યા છે તેના દ્વારા થઈ રહ્યું છે. સનાતન હિંદુ ધર્મના સાધુ-સંતોની લાગણીઓને ક્યાંય ઠેસ ના પહોંચે તેનો અમે ખ્યાલ રાખીશું.’


આ ઉપરાંત તેમણે સનાતન હિન્દુ ધર્મ દ્વારા સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવાની પણ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, હનુમાનજી મંદિરના વિવાદિત ભીંતચિત્ર મામલા સહિતના તમામ પ્રશ્નોનું નિવારણ આવે તેવી પ્રાર્થના પણ કરીએ છીએ.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.