સાળંગપુર વિવાદ: ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામીએ સંપ્રદાયના સંતોના વાણી વિલાસની નિંદા કરી, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-05 21:17:02

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદનો સુખદ નિવેડો આવી ગયો છે.  મંદિર પરીસરમાં લગાવવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા છે. જો કે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં મહા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા-જુદા  8 મુદ્દા અંગે ઠરાવ કરવામાં આવ્યા હતા. હવે આ મામલે બોટાદના ગઢડામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત એસ.પી સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવેલા વાણીવિલાસની નિંદા કરી હતી.


શું કહ્યું એસ.પી સ્વામીએ? 


આ સમગ્ર વિવાદ મુદ્દે ગઢડામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામીએ કહ્યુ હતુ કે, ‘વડતાલના સભામંડપમાં નાથ સંપ્રદાય માટે જે વાત કરવામાં આવી છે તેની સખત શબ્દોમાં હું ટીકા અને નિંદા કરું છું. વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ દ્વારા મૂળ સંપ્રદાયની ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો સ્થાપિત થાય અને કોઈપણ દેવી-દેવતાનું ક્યારેય પણ અપમાન ન થાય તે રીતે તેમણે સંપ્રદાયને ચલાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધી જે ઘટનાઓ બને છે તે વડતાલ ગાદીના આચાર્યશ્રીની આજ્ઞાથી વિપરીત ચાલી રહ્યા છે તેના દ્વારા થઈ રહ્યું છે. સનાતન હિંદુ ધર્મના સાધુ-સંતોની લાગણીઓને ક્યાંય ઠેસ ના પહોંચે તેનો અમે ખ્યાલ રાખીશું.’


આ ઉપરાંત તેમણે સનાતન હિન્દુ ધર્મ દ્વારા સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવાની પણ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, હનુમાનજી મંદિરના વિવાદિત ભીંતચિત્ર મામલા સહિતના તમામ પ્રશ્નોનું નિવારણ આવે તેવી પ્રાર્થના પણ કરીએ છીએ.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી