Sabarkantha Loksabha Seat : ભીખાજી ઠાકોરના સમર્થનમાં આવ્યા હજારો લોકો, પાર્ટી કાર્યાલયનો કર્યો ઘેરાવો, છલકાયો આક્રોશ....!


  • Published By :
  • Published Date : 2024-03-26 14:56:56

અનેક વખત કોંગ્રેસ માટે કહેવામાં આવે છે કે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે., પરંતુ હવે આ વાત ભાજપ માટે પણ લાગૂ પડી રહી છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખૂલ્લીને સામે આવી રહ્યા છે. ભાજપમાં રહેલા કાર્યકર્તાઓમાં અંદર રહેલો રોષ સામે આવી રહ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠક માટે પહેલા ભાજપે ભીખાજી ઠાકોરને ટિકીટ આપી પરંતુ તે બાદ ઉમેદવારને બદલી દેવામાં આવ્યા. તેમની જગ્યાએ શોભના બારૈયાને ઉમેદવાર બનાવ્યા છે. આ બધા વચ્ચે સાબરકાંઠામાં મોટી સંખ્યામાં ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતાર્યા છે. ભીખાજી ઠાકોરના સમર્થકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. 

આ બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની પાડી ના... 

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. નામ જાહેર કર્યા બાદ ઉમેદવારોમાં ઉત્સાહ હતો અને અનેક ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. આ બધા વચ્ચે અચાનક વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ તેમજ સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા જાહેરાત કરવામાં આવી કે તેઓ ચૂંટણી નથી લડવાના. જેને કારણે તેમના સમર્થકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 


ભાજપે શોભના બારૈયાને આપી છે ટિકીટ 

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી આ બંને બેઠકો માટે પણ. સાબરકાંઠા બેઠક માટે શોભના બારૈયાને ટિકીટ આપવામાં આવી. ઉમેદવારના નામની જાહેરાત થઈ તે બાદ કાર્યકર્તાઓમાં ચાલી રહેલી નારજગી જોવા મળી. અને હવે ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ કદાચ આવા દ્રશ્યો જોવા પડશે તેનો વિચાર પણ નહીં કર્યો હોય... ભાજપ માટે એવું કહીએ કે હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય....      





જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે