Sabarkantha Loksabha Seat : ભીખાજી ઠાકોરના સમર્થનમાં આવ્યા હજારો લોકો, પાર્ટી કાર્યાલયનો કર્યો ઘેરાવો, છલકાયો આક્રોશ....!


  • Published By :
  • Published Date : 2024-03-26 14:56:56

અનેક વખત કોંગ્રેસ માટે કહેવામાં આવે છે કે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે., પરંતુ હવે આ વાત ભાજપ માટે પણ લાગૂ પડી રહી છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખૂલ્લીને સામે આવી રહ્યા છે. ભાજપમાં રહેલા કાર્યકર્તાઓમાં અંદર રહેલો રોષ સામે આવી રહ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠક માટે પહેલા ભાજપે ભીખાજી ઠાકોરને ટિકીટ આપી પરંતુ તે બાદ ઉમેદવારને બદલી દેવામાં આવ્યા. તેમની જગ્યાએ શોભના બારૈયાને ઉમેદવાર બનાવ્યા છે. આ બધા વચ્ચે સાબરકાંઠામાં મોટી સંખ્યામાં ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતાર્યા છે. ભીખાજી ઠાકોરના સમર્થકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. 

આ બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની પાડી ના... 

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. નામ જાહેર કર્યા બાદ ઉમેદવારોમાં ઉત્સાહ હતો અને અનેક ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. આ બધા વચ્ચે અચાનક વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ તેમજ સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા જાહેરાત કરવામાં આવી કે તેઓ ચૂંટણી નથી લડવાના. જેને કારણે તેમના સમર્થકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 


ભાજપે શોભના બારૈયાને આપી છે ટિકીટ 

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી આ બંને બેઠકો માટે પણ. સાબરકાંઠા બેઠક માટે શોભના બારૈયાને ટિકીટ આપવામાં આવી. ઉમેદવારના નામની જાહેરાત થઈ તે બાદ કાર્યકર્તાઓમાં ચાલી રહેલી નારજગી જોવા મળી. અને હવે ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ કદાચ આવા દ્રશ્યો જોવા પડશે તેનો વિચાર પણ નહીં કર્યો હોય... ભાજપ માટે એવું કહીએ કે હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય....      





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે