Sabarkantha : વડાલીમાં થયો પાર્સલ બ્લાસ્ટ, પાર્સલ ખોલતાં જ થયો બ્લાસ્ટ અને થયો ધડાકો, થયા બે લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-02 16:30:37

પાર્સલમાં સામાન્ય રીતે આપણે ઓર્ડર કરેલો સામાન આવતો હોય છે પરંતુ સાબરકાંઠાના વડાલી ગામથી જે સમાચાર સામે આવ્યા તે ડરાવનારા હતા.. વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમની તબિયત ખરાબ હોવાની સામે આવી છે.... આ બ્લાસ્ટમાં 11 વર્ષની દીકરીનું અને 30 વર્ષના યુવકનું મોત થયું છે..



પાર્સલ ખોલતાની સાથે જ થયો બ્લાસ્ટ

ઓનલાઈન આપણે અનેક વસ્તુઓ મંગાવતા હોઈએ છીએ... પાસર્લ જ્યારે ઘરે આવે ત્યારે આપણે ખોલતા હોઈએ છીએ એમ માનીને કે આપણે જે વસ્તુ મંગાવી છે તે હશે.. પરંતુ આપણે મંગાવેલી વસ્તુમાંથી બ્લાસ્ટ થાય તો..! આ વસ્તુ વિચારીને જ આપણા રૂંવાડા ઉભા થઈ જાય..  ત્યારે આવો કિસ્સો સાબરકાંઠાથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ઓનલાઇન ઇલેક્ટ્રીક વસ્તુ તેમણે મંગાવી હતી અને તેમનું પાર્સલ  માની તેમણે ખોલ્યું હતું. 


બે લોકોના થયા મોત...

આ પાર્સલ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.. આ ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. પિતા અને પુત્રીનું મોત થયું છે તેવી માહિતી સામે આવી છે... પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.