Sabarkantha : વડાલીમાં થયો પાર્સલ બ્લાસ્ટ, પાર્સલ ખોલતાં જ થયો બ્લાસ્ટ અને થયો ધડાકો, થયા બે લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-02 16:30:37

પાર્સલમાં સામાન્ય રીતે આપણે ઓર્ડર કરેલો સામાન આવતો હોય છે પરંતુ સાબરકાંઠાના વડાલી ગામથી જે સમાચાર સામે આવ્યા તે ડરાવનારા હતા.. વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમની તબિયત ખરાબ હોવાની સામે આવી છે.... આ બ્લાસ્ટમાં 11 વર્ષની દીકરીનું અને 30 વર્ષના યુવકનું મોત થયું છે..



પાર્સલ ખોલતાની સાથે જ થયો બ્લાસ્ટ

ઓનલાઈન આપણે અનેક વસ્તુઓ મંગાવતા હોઈએ છીએ... પાસર્લ જ્યારે ઘરે આવે ત્યારે આપણે ખોલતા હોઈએ છીએ એમ માનીને કે આપણે જે વસ્તુ મંગાવી છે તે હશે.. પરંતુ આપણે મંગાવેલી વસ્તુમાંથી બ્લાસ્ટ થાય તો..! આ વસ્તુ વિચારીને જ આપણા રૂંવાડા ઉભા થઈ જાય..  ત્યારે આવો કિસ્સો સાબરકાંઠાથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ઓનલાઇન ઇલેક્ટ્રીક વસ્તુ તેમણે મંગાવી હતી અને તેમનું પાર્સલ  માની તેમણે ખોલ્યું હતું. 


બે લોકોના થયા મોત...

આ પાર્સલ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.. આ ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. પિતા અને પુત્રીનું મોત થયું છે તેવી માહિતી સામે આવી છે... પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે