Sabarkantha : વડાલીમાં થયો પાર્સલ બ્લાસ્ટ, પાર્સલ ખોલતાં જ થયો બ્લાસ્ટ અને થયો ધડાકો, થયા બે લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-02 16:30:37

પાર્સલમાં સામાન્ય રીતે આપણે ઓર્ડર કરેલો સામાન આવતો હોય છે પરંતુ સાબરકાંઠાના વડાલી ગામથી જે સમાચાર સામે આવ્યા તે ડરાવનારા હતા.. વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમની તબિયત ખરાબ હોવાની સામે આવી છે.... આ બ્લાસ્ટમાં 11 વર્ષની દીકરીનું અને 30 વર્ષના યુવકનું મોત થયું છે..



પાર્સલ ખોલતાની સાથે જ થયો બ્લાસ્ટ

ઓનલાઈન આપણે અનેક વસ્તુઓ મંગાવતા હોઈએ છીએ... પાસર્લ જ્યારે ઘરે આવે ત્યારે આપણે ખોલતા હોઈએ છીએ એમ માનીને કે આપણે જે વસ્તુ મંગાવી છે તે હશે.. પરંતુ આપણે મંગાવેલી વસ્તુમાંથી બ્લાસ્ટ થાય તો..! આ વસ્તુ વિચારીને જ આપણા રૂંવાડા ઉભા થઈ જાય..  ત્યારે આવો કિસ્સો સાબરકાંઠાથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ઓનલાઇન ઇલેક્ટ્રીક વસ્તુ તેમણે મંગાવી હતી અને તેમનું પાર્સલ  માની તેમણે ખોલ્યું હતું. 


બે લોકોના થયા મોત...

આ પાર્સલ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.. આ ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. પિતા અને પુત્રીનું મોત થયું છે તેવી માહિતી સામે આવી છે... પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે