Sabarkantha પોલીસ વિવાદમાં આવી છે, Vijaynagar પોલીસે તોડકાંડ કર્યાના આક્ષેપ સાથે વીડિયો વાયરલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-07 17:07:18

પોલીસની કામગીરી પર ફરી એક વખત સવાલ ઉભા થઈ રહ્યા છે. પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કહેવાઈ રહ્યું છે કે પોલીસે રાજસ્થાનથી ગુજરાત દારૂ મંગાવ્યો અને પછી કેશ કરી દીધો અને રૂપિયા પડાવ્યા. 

દારૂબંધી માત્ર કાગળ પર જ છે પૂરવાર થયું! 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ જ દારૂ રાજસ્થાનથી મંગાવે છે અને પછી ગુજરાતમાં તે દારૂને વેચી નાખે છે. જોકે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેની પુષ્ટિ જમાવટ નથી કરતું. પરંતુ  આ વીડિયો જોઈને એવું લાગે છે કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તે ફરીથી એક વખત સાબિત થયું છે. આ વાયરલ વીડિયોના કારણે સાબરકાંઠા પોલીસ વિવાદમાં આવી છે. 


પોલીસે દારૂ મંગાવ્યો, વેચી કમાણી કરી! 

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કેટલો અમલ થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક એવા વીડિયો, અનેક એવા લોકો આપણને મળી આવે છે જે દારૂના નશામાં હોય છે. દારૂબંધી કાયદાનો અમલ ન થવા બદલ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે. ત્યારે ફરી એક વખત પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. વિજયનગર પોલીસે દારૂ તો મંગાવ્યો સાથે સાથે દારૂ પહોંચાડનાર ડ્રાઈવર સામે કેસ કર્યો અને બે લાખ રૂપિયા પણ પડાવ્યાનો રાજસ્થાનના એક ગામના સરપંચે આરોપ લગાવ્યો છે. સાથે કહ્યું કે વિજયનગર પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓએ 31 પેટી દારૂ મંગાવ્યો અને ફક્ત પાંચ પેટી દારૂ ઝડપાયો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. 


વિજયનગર પોલીસ પર સરપંચે લગાવ્યો આરોપ!

રાજસ્થાનના સરપંચે વિડીયો વાયરલ કરીને કહ્યું વિજયનગર પોલીસે દારુ મંગાવી પૈસા પડાવ્યા છે. કાલવણ ચેક પોસ્ટ પર દારુ આપવા ગયેલા ડ્રાઇવર સામે કેસ કર્યો. ૩૧ પેટીમાંથી માત્ર ૫ પેટી દારુ પકડાયો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થઇ છે. આ વાયરલ વીડિયોમાં જે દેખાઈ રહ્યા છે તે રાજસ્થાનનાં ખેરવાડા તાલુકાના કાનપુર ગામના પૂર્વ સરપંચ બક્ષિરામ ડોડા છે આ વીડિયો સાબરકાંઠાના વિજયનગર તાલુકાના વિવિધ સોશ્યલ મીડિયા ગ્રુપ માં વાયરલ થતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. હવે સાચું કોણ અને ખોટું તેની તપાસ જરૂરી છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે