Sabarkantha પોલીસ વિવાદમાં આવી છે, Vijaynagar પોલીસે તોડકાંડ કર્યાના આક્ષેપ સાથે વીડિયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-12-07 17:07:18

પોલીસની કામગીરી પર ફરી એક વખત સવાલ ઉભા થઈ રહ્યા છે. પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કહેવાઈ રહ્યું છે કે પોલીસે રાજસ્થાનથી ગુજરાત દારૂ મંગાવ્યો અને પછી કેશ કરી દીધો અને રૂપિયા પડાવ્યા. 

દારૂબંધી માત્ર કાગળ પર જ છે પૂરવાર થયું! 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ જ દારૂ રાજસ્થાનથી મંગાવે છે અને પછી ગુજરાતમાં તે દારૂને વેચી નાખે છે. જોકે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેની પુષ્ટિ જમાવટ નથી કરતું. પરંતુ  આ વીડિયો જોઈને એવું લાગે છે કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તે ફરીથી એક વખત સાબિત થયું છે. આ વાયરલ વીડિયોના કારણે સાબરકાંઠા પોલીસ વિવાદમાં આવી છે. 


પોલીસે દારૂ મંગાવ્યો, વેચી કમાણી કરી! 

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કેટલો અમલ થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક એવા વીડિયો, અનેક એવા લોકો આપણને મળી આવે છે જે દારૂના નશામાં હોય છે. દારૂબંધી કાયદાનો અમલ ન થવા બદલ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે. ત્યારે ફરી એક વખત પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. વિજયનગર પોલીસે દારૂ તો મંગાવ્યો સાથે સાથે દારૂ પહોંચાડનાર ડ્રાઈવર સામે કેસ કર્યો અને બે લાખ રૂપિયા પણ પડાવ્યાનો રાજસ્થાનના એક ગામના સરપંચે આરોપ લગાવ્યો છે. સાથે કહ્યું કે વિજયનગર પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓએ 31 પેટી દારૂ મંગાવ્યો અને ફક્ત પાંચ પેટી દારૂ ઝડપાયો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. 


વિજયનગર પોલીસ પર સરપંચે લગાવ્યો આરોપ!

રાજસ્થાનના સરપંચે વિડીયો વાયરલ કરીને કહ્યું વિજયનગર પોલીસે દારુ મંગાવી પૈસા પડાવ્યા છે. કાલવણ ચેક પોસ્ટ પર દારુ આપવા ગયેલા ડ્રાઇવર સામે કેસ કર્યો. ૩૧ પેટીમાંથી માત્ર ૫ પેટી દારુ પકડાયો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થઇ છે. આ વાયરલ વીડિયોમાં જે દેખાઈ રહ્યા છે તે રાજસ્થાનનાં ખેરવાડા તાલુકાના કાનપુર ગામના પૂર્વ સરપંચ બક્ષિરામ ડોડા છે આ વીડિયો સાબરકાંઠાના વિજયનગર તાલુકાના વિવિધ સોશ્યલ મીડિયા ગ્રુપ માં વાયરલ થતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. હવે સાચું કોણ અને ખોટું તેની તપાસ જરૂરી છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.