Sabarkantha પોલીસ વિવાદમાં આવી છે, Vijaynagar પોલીસે તોડકાંડ કર્યાના આક્ષેપ સાથે વીડિયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-12-07 17:07:18

પોલીસની કામગીરી પર ફરી એક વખત સવાલ ઉભા થઈ રહ્યા છે. પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કહેવાઈ રહ્યું છે કે પોલીસે રાજસ્થાનથી ગુજરાત દારૂ મંગાવ્યો અને પછી કેશ કરી દીધો અને રૂપિયા પડાવ્યા. 

દારૂબંધી માત્ર કાગળ પર જ છે પૂરવાર થયું! 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ જ દારૂ રાજસ્થાનથી મંગાવે છે અને પછી ગુજરાતમાં તે દારૂને વેચી નાખે છે. જોકે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેની પુષ્ટિ જમાવટ નથી કરતું. પરંતુ  આ વીડિયો જોઈને એવું લાગે છે કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તે ફરીથી એક વખત સાબિત થયું છે. આ વાયરલ વીડિયોના કારણે સાબરકાંઠા પોલીસ વિવાદમાં આવી છે. 


પોલીસે દારૂ મંગાવ્યો, વેચી કમાણી કરી! 

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કેટલો અમલ થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક એવા વીડિયો, અનેક એવા લોકો આપણને મળી આવે છે જે દારૂના નશામાં હોય છે. દારૂબંધી કાયદાનો અમલ ન થવા બદલ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે. ત્યારે ફરી એક વખત પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. વિજયનગર પોલીસે દારૂ તો મંગાવ્યો સાથે સાથે દારૂ પહોંચાડનાર ડ્રાઈવર સામે કેસ કર્યો અને બે લાખ રૂપિયા પણ પડાવ્યાનો રાજસ્થાનના એક ગામના સરપંચે આરોપ લગાવ્યો છે. સાથે કહ્યું કે વિજયનગર પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓએ 31 પેટી દારૂ મંગાવ્યો અને ફક્ત પાંચ પેટી દારૂ ઝડપાયો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. 


વિજયનગર પોલીસ પર સરપંચે લગાવ્યો આરોપ!

રાજસ્થાનના સરપંચે વિડીયો વાયરલ કરીને કહ્યું વિજયનગર પોલીસે દારુ મંગાવી પૈસા પડાવ્યા છે. કાલવણ ચેક પોસ્ટ પર દારુ આપવા ગયેલા ડ્રાઇવર સામે કેસ કર્યો. ૩૧ પેટીમાંથી માત્ર ૫ પેટી દારુ પકડાયો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થઇ છે. આ વાયરલ વીડિયોમાં જે દેખાઈ રહ્યા છે તે રાજસ્થાનનાં ખેરવાડા તાલુકાના કાનપુર ગામના પૂર્વ સરપંચ બક્ષિરામ ડોડા છે આ વીડિયો સાબરકાંઠાના વિજયનગર તાલુકાના વિવિધ સોશ્યલ મીડિયા ગ્રુપ માં વાયરલ થતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. હવે સાચું કોણ અને ખોટું તેની તપાસ જરૂરી છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.